આજે ફાગણ સુદ ૧૧ ને આમલકી એકાદશી કહેવાય છે. આમળા એકાદશી વ્રતનું વિધાન ફાગણ સુદ અગિયારશના રોજ હોય છે. અંજલિથી આમલકીના વૃક્ષને અર્ધ્ય આપે છે, વૃક્ષની પ્રદક્ષિણા કરે છે. રાત્રે જાગરણ કર્યું.વશિષ્ઠ મુનિ માંધાતા નામના રાજાને આમલકી (આમળા) એકાદશીનો મહિમા અને મહાત્મય કહી સંભળાવે છે.“હે રાજન ! આમળા એકાદશીનું વ્રત કરનાર નિઃસંદેહ વિષ્ણુલોકને પામે છે..
આમળા એઁબ્લીકા ઓફીસીનાલીસ જંગલ વિસ્તારમાં મધ્યસ્તરીય જોવા મળતું મધ્યમ કદનું વૃક્ષ છે. તેનું થડ વાંકુચુંકુ તથા તેની છાલ લીલાશ પડતી ગ્રેકલરની હોય છે. તેની છાલ મો ટુકડાઁમાં ઉખડે છે. ઊંચી કેલરીયુક્ત હોવાથી બળતણ તરીકે તેનું લાકડું સારું છે. તેના લાકડામાંથી કોલસો બનાવી શકાય છે. તેનાં ફળ ખાટાં તથા તૂરા સ્વાદનાં હોય છે અને અથાણું, મીઠાઈ તેમજ આર્યુવેદક દવા ચ્યવનપ્રાશ, ત્રિફળાચૂર્ણ બનાવવામાં વપરાય છે. તેનાં ફળ ટેનીંગમાં પણ વપરાય છે. તેનાં ફળ તથા ફળનો ભૂકો માંથામાં નાંખવાના તેલ તેમજ વાળને રંગવા વપરાય છે. સ્વામી રામદેવના પ્રવક્તા સુરેન્દ્ર તિજારાવાલાએ જણાવ્યું કે, આ બન્ને ફેક્ટરીઓ અગાઉથી જ પતંજલિ આર્યુવેદ કંપનીના બ્રાંડની આમળા અને કુવરપાઠાનું જ્યૂસ કોન્ટ્રેક્ટમાં બનાવી રહ્યાં છે અને આ બન્ને જ્યૂસ લોકોમાં ઘણા લોકપ્રિય થઈ રહ્યાં છે. ભવિષ્યમાં તે આમળા, દૂધી, ટમેટા, કારેલા, ઘઉ, જુવાર, જાંબુ અને શાકભાજીના જ્યૂસ તથા ગાયના દૂધના વિભિન્ન પ્રકારના ઉત્પાદનો બનાવવા પર વિચાર કરી રહ્યાં છે.
સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં આમળાનો પાક વધારે સારી રીતે લઇ શકાય છે.સર્વ દોષ હર તરીકે પ્રચલિત એવા આમળાંમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં છે. તે સુકાઈ જાય તો પણ તેનામાંથી વિટામિન્સ નષ્ટ થતાં નથી. આમળાના ઉપયોગથી આપણું પાચનતંત્ર મજબૂત બને છે અને વજનને કાબૂમાં રાખે છે. તેનાથી ત્વચા અને વાળની સુંદરતામાં વધારો થાય છે. તેનાથી બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. વિટામિન સી ઉપરાંત તેમાં વિટામિન-બી કૈલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, ઉપરાંત બૈરોટીન પણ રહેલું છે. આમળાનો પાઉડર, ત્રિફળા, આમળા રસાયણ લઈ શકાય.
તેનું રાસાયણિક બંધારણ જૉતાં ૧૦૦ ગ્રામમાં ૭૨૦ મિ.ગ્રા. વિટામિન સી(નારંગી કરતા છ ગણું) પ્રોટીન (૦.૦૫%), ફોસ્ફરસ (૦.૦૨%), વસા (૦.૦૧%), કેલ્શિયમ (૦.૦૫%), લોહ (૧%), કાર્બોહાઇડ્રેટ (૧૪.૧%) તથા અન્ય ખનીજ દ્રવ્યો (૦.૦૭%) જૉવા મળે છે. આમ શરીરને જૉઇતા મોટા ભાગનાં તત્ત્વો તેમાં ઉપલબ્ધ છે તથા તે ઇમ્યુનોમોડયુલર અને એન્ટિ ઓકિસડન્ટ છે.
શરીરના દરેક કોષમાં રહેલા પ્રવાહીમાં પોટેશિયમ હાજર હોય છે. તે હ્ય્દયના ધબકારાનું નિયંત્રણ કરે છે. કિડનીને સતેજ કરી શરીરનો કચરો બહાર ફેંકી દે છે. પેનક્રિયાઝને સક્રિય કરી ઈન્સ્યુલીનનો સ્રાવ વધારી ડાયાબિટીસના દર્દીને મદદરૃપ બને છે. મગજને ઓકિસજન પહોંચાડી માનસિક ક્રિયાને ઉત્તેજિત કરે છે તેથી સિનિયર સિટિઝન માટે પોટેશિયમ અગત્યનું છે. બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. જઠરમાં ઝરતા સ્રાવોને ઉત્તેજિત કરી પાચનમાં મદદરૃપ બને છે. સખત ડાયેટિંગ કરનાર (રોજની ૧૦૦૦ કેલેરીથી પણ ઓછો આહાર લેનાર) તેમજ વધુ પડતી ચરબી, ખાંડ તથા મીઠાનો વપરાશ કરનારને પોટેશિયમની ખામી ઉદ્ભવે છે. પોટેશિયમના નીચેના પ્રાપ્તિ સ્થાનો છે.
ડાયાબિટિસના ઉપચાર માટે 50 ગ્રામ હળદર અને 50 ગ્રામ આમળા પાવડર મિક્સરમાં મિક્ષ કરીને એક બોટલમાં ભરી લેવો. નિયમિતરૂપે તેને લેવા માટે એક ગ્લાસ પાણીમાં જો વધુ જરૂરિયાત હોય તો બે ચમચી અને ઓછી જરૂરિયાત હોય તો એક ચમચી નાંખીને તેને પલાળી રાખવો. જો સવારે પલાળ્યો હોય તો રાત્રે હલાવીને પી લેવો અને જો રાત્રે પલાળ્યો હોય તો તેને વહેલી સવારે ઉપયોગમાં લેવો. આમ કર્યા બાદ, અડધાથી પોણા કલાક સુધી બીજો કોઈ પણ આહાર ન લેવો.કઠોળ : ચોળા, મગ, મઠ, અડદ, સૂકા વટાણા, તુવેર, ચણા જેવા કઠોળ અને તેમની દાળ.અનાજ : બાજરી, રાગી, ઘઉં.શાક : બટાકા, શકકરિયા, લીલા પાંદડાવાળાં શાક, રીંગણ, સરગવો, કાચું પપૈયું.
ફળો : આમળા, મોસંબી, કેળા, પીચ, લીંબુ, સક્કરટેટી, ફાલસા, ચીકુ.
ફળો : આમળા, મોસંબી, કેળા, પીચ, લીંબુ, સક્કરટેટી, ફાલસા, ચીકુ.

4 Comments
March 7, 2009 at 1:50 am
આથેલા આમળા ખાવા સિવાય આમળા વિષે વધારે કદી વિચાર્યું જ નથી…
March 7, 2009 at 9:25 am
Very good useful information I like this fruit. Thanks
March 7, 2009 at 11:41 pm
Nice information about Amara !
March 9, 2009 at 10:32 pm
તમે આમળાનું ઝાડ જોયું છે?
આમળાનો મુરબ્બો – જુનો થયેલો બહુ ભાવતો હતો. દર શીયાળામાં અમારી બા બનાવતાં,
અત્યારે આંખ માટે ત્રીફળાનો પ્રયોગ શરુ કર્યો છે.