June 12, 2009...1:11 am

અગ્નિપરીક્ષા…યામિની ગૌરાંગ વ્યાસ

Jump to Comments

પતિને પત્ર

 

 

પ્રિય રામ,

કુશળ હશો.

જત જણાવવાનું કે

હું અહીં અશોકવાટિકામાં

સુરક્ષિત છું, તમારા નામના

રટણના આવરણ માત્રથી…

તમારી ભાર્યા સામે

લંકાપતિ હાર્યા બરાબર છે

તમતમારે નિશ્ચિત થઈ

મને લેવા આવશો

પણ થોડા પ્રશ્નો છે, પૂછું?

‘હું સ્ત્રીસહજ સજવાધજવાના

મોહથી મોહી પડી

પણ તમે ય ન કળી શક્યા

સોનમૃગની છળને ?

કોને અનુસરશો?

મોહને કે નિયતિને ?

તો શું નિયતિ મુજબ જ

લીધા કરશો મારી

અગ્નિપરીક્ષા

યુગો યુગો સુધી !!

યામિની ગૌરાંગ વ્યાસ

5 Comments


Leave a Reply