October 31, 2009...12:01 am

સરદાર પટેલનો જન્મદિવસ/વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા/Happy Halloween

Jump to Comments
  
આજે ૩૧ ઓક્ટોબર, આપણા વ્હાલા સરદાર પટેલનો જન્મદિવસ
હાલના સમયમાં તો આ પાંચ સવાલના ઉતર આવડે તો પણ સારું!
૧) સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો?-
 નડીયાદ
(૨) સરદાર પટેલને કેટલા સંતાનો હતા?
- એક પુત્ર એક પુત્રી
(૩) સરદાર પટેલની રાજકીય કારકિર્દી ક્યાંથી શરૂ થઇ?
નગરપાલિકાથી – અમદાવાદ
(૪) સરદાર પટેલ, નહેરૂ અને ગાંધીજી પૈકી કોનો અભ્યાસ વઘુ હતો.-
ત્રણે નેતાઓનો અભ્યાસ એક સરખો બેરિસ્ટર
(૫) જ્યારે સરદાર પટેલનું નિધન -
સરદારનું નિધન ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦માં થયું હતું.
તેમની નાની પણ અસરકારક વાત-ચરોતરના પાટીદાર કુટુંબની એક કન્યાના વિવાહ માટે વર-પરિવારની વ્યક્તિઓ સાથે દહેજની વાટાઘાટો ચાલતી હતી. પણ દહેજની રકમ અંગે કોઈ સમજૂતી સધાતી નહોતી. સરદાર વલ્લભભાઈ પટેલને આ બાબતની જાણ થતાં, તેઓ ગુસ્સે થયા, અને વર-કન્યા બંનેનાં મા-બાપને બોલાવીને તાડૂક્યા : ‘તમે લોકો દહેજની ભાટાઈ અને ભાંજગડ છોડો અને વર-કન્યાને શુક્રવારીમાં મૂકી દો ! ત્યાં જે ભાવ નક્કી થાય તે ફાઈનલ !’
—————————————————-
રાજકારણમા ઈન્દિરા ગાંધી  આમારા આદર્શ હતાં. ૧૯૮૪ના ઓક્ટોબરની ૩૧મીએ  વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા ! પોખરણ પ્રથમ માટે અમે ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરીએ છીએ. આ પૂર્વ સરકારોની તે નીતિઓમાં પરિવર્તન હતું જેનાં અનુસાર પરમાણુનો માત્ર અસૈનિકો ઉપયોગ થતો હતો.જાણકારો ઈન્દિરા ગાંધીને ટેલિવિઝન નામના ટૂલ કમ ‘હથિયાર’નું મહત્વ સૌપ્રથમવાર પિછાણવાનું શ્રેય આપે છે અને એમની યુધ્ધનીતિની કોઈ બરોબરી કરી શકે તેમ નથી…
————————————————
હેલોવીન 3૧મી ઓક્ટોબરે ઉજવાતો તહેવાર છે.તે મોટે ભાગે એક બિનસાંપ્રદાયિક ઉજવણી છે
મૂળે Hallowe’en તરીકે લખાતો Halloween શબ્દ ઓલ હેલોઝ ઇવનું ટુંકું રૂપ બન્યો છે.  હેલોવીનનો n ઇવનમાંથી ઉતરી આવ્યો છે, કેમ કે તે “ઓલ હેલોઝ ડે”ની પૂર્વસંધ્યા છે..ાહીં હેલોવીન સાથે કોળાને કોતરવાનું કામ સંકળાયેલું છે. 
ઘણા કુટુંબો હેલોવીનની ઉજવણી કરવા કોળાને કોઈ ભયાનક કે રમુજી ચહેરા તરીકે કોતરીને અંધારા પછી તેમના ઘરના બારણા પાસે મુકે છે. કોળાને કોતરવાની પરંપરા આઇરિસ વસાહતીઓના ભીષણ દુકાળના ગાળા પછી શરૂ થઈ હોવાનું મનાય છે.સફરજનની વાર્ષિક લણણી પછી આ ઉજવણી આવતી હોવાથી કેન્ડી સફરજન (ટોફી, કારમેલ કે ટેફી સફરજનના નામે પણ ઓળખાય છે) હેલોવીનની સામાન્ય વાનગી છે. તેમાં સમગ્ર સફરજનને ચીકણા ખાંડવાળા સીરપમાં રગદોળીને અને ક્યારેક અને ક્યારેક એમને કાજુમાં પણ રગદોળવામાં આવે છે.
 હેલોવીન પોષાકો પ્રેતો, હાડપિંજરો, ડાકણો અને શેતાનો જેવા પિશાચોના પરંપરાગત પોષાકો છે.આ પોષાકો ભયના પરંપરાગત વિષયના બદલે જુદા વિષયવસ્તુ પર પણ આધારિત છે,.
 
 

2 Comments


Leave a Reply