પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું,
પણ… પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો,
એ જોઈને દિલ રડી પડયું………
“શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે
શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને
વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે.”
માનવ સંવેંદનાઓનો છે આ જનજાળ..
સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળ…
ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર..
બસ મનનો થાક ઓછો કરો ઉતરી જશે બધો ભાર..
દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે
ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ .
માનસિક દરિદ્રતાને પરિણામે આપણાં સપનાં નાનાં હોય છે અને તેના થકી નવસર્જન શક્ય નથી માટે આપણાં સપનાં દિવ્ય અને ભવ્ય હોવાં જોઇએ.
જે ગતિશીલ છે તે પ્રગતિશીલ પણ છે. ઊર્જા સ્ત્રોત સૂર્ય ક્યારેય થંભે છે! માટે જ, સતત ગતિશીલ રહો! ઇતિહાસ નિર્જીવ નથી હોતો. ઇતિહાસ પુસ્તકોમાં છાપેલાં કાળાં અક્ષરો નથી હોતાં. ઇતિહાસનો પ્રત્યેક પળ ચેતના ધરાવતો હોય છે. ચૈતન્યમય હોય છે. જે નવી ચેતના પ્રગટાવવાનું સામર્થ્ય ધરાવે છે.
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે
તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે
એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે
હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઈશ,
પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે..!!
જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તેની ચિંતામાં પડવા કરતાં કિતાબના કોરા પાના સારા કર્મોથી લખાય તેની ચિંતા કરો
એકથી એક ઉત્તમ કણિકાઓ. મનનીય અને પથદર્શક.
રમેશ પટેલ(આકાશદીપ)
Pingback: » કિતાબના કોરા પાના સારા કર્મોથી લખાય તેની ચિંતા કરો » GujaratiLinks.com