pragnaju પર રંગહોત્ર -૫ | |
anilapatel પર રંગહોત્ર -૫ | |
anilapatel પર valentine day | |
Mukesh Shrimali પર તોલ માપ વિગેરે *ખુબજ અગત્યની મ… | |
pragnaju પર ૬૬મી વૅડીંગ એનીવર્સરી | |
pragnaju પર ૬૬મી વૅડીંગ એનીવર્સરી | |
ગોવીન્દ મારુ પર ૬૬મી વૅડીંગ એનીવર્સરી | |
pragnaju પર ૬૬મી વૅડીંગ એનીવર્સરી | |
ગોવીન્દ મારુ પર ૬૬મી વૅડીંગ એનીવર્સરી | |
pragnaju પર ૬૬મી વૅડીંગ એનીવર્સરી | |
pragnaju પર ૬૬મી વૅડીંગ એનીવર્સરી | |
pragnaju પર ૬૬મી વૅડીંગ એનીવર્સરી | |
pragnaju પર ૬૬મી વૅડીંગ એનીવર્સરી | |
pragnaju પર ૬૬મી વૅડીંગ એનીવર્સરી | |
pragnaju પર ૬૬મી વૅડીંગ એનીવર્સરી |
જાગરણ બાદ ભૂમિ સાથે અનુબંધ તથા સમસ્ત સાથે ઐક્ય .ઘર પરિવારનું સુખ પામે છે .લગ્ન જીવન અને સંબંધો પ્રત્યે સજગ રહે છે ..સાચવે છે .બાંધછોડ કરી શકે ..સ્વીકૃતિ ભાવ દાખવે ..તથા અન્ય લોકોસાથે કાયમી સારા સબંધો ,એકાત્મભાવ , સહાનુભુત અને વ્યવહારુ .*જાતનું સાચું મૂલ્યાંકન કરે .સલામતી અનુભવે .રીલેક્ષ થઈ શકે .*સ્વાભિમાની ,આત્મવિશ્વાસુ અને ધીરજવાન દેખાય છે .*જીવંતતા ,સ્થિરતા અને પવિત્રતા જોવા મળે .*જીવનમાં આવતા સારા –ખરાબ બદલાવોનો સામનો કરે છે .
*વર્તમાનમાં જીવે છે ..રહે છે .*વૈશ્વિક સત્તા –ઈશ્વરમા શ્રધા રાખે છે .*ભૂતકાળથી શીખે છે .*પ્રકૃતિ અને ધરતી માતાને પ્રેમ કરે છે .
મા.અશોકભાઇનું આ કાવ્ય અંગે જ્ઞાની મિત્રો ના રસાસ્વાદનું સુંદર સંકલન કર્યું છે
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે … જળકમળ
કહે રે બાળક તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવીયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો? … જળકમળ
નથી નાગણ હું મારગ ભૂલ્યો, કે મારા વેરીએ વળાવિયો,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હારિયો … જળકમળ
રંગે રૂડો, રૂપે પુરો, દીસંતો કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો … જળકમળ
મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો … જળકમળ
લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો … જળકમળ
શું કરું નાગણ હાર તારો ? શું કરું તારો દોરિયો ?
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ ? …જળકમળ
ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવિયો … જળકમળ
બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … જળકમળ
નાગણ સહુ વિલાપ કરે છે, નાગને બહુ દુ:ખ આપશે,
મથુરા નગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … જળકમળ
બેઉ કર જોડી વિનવે, સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … જળકમળ
થાળ ભરીને નાગણ સર્વે, મોતીડે કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો …આ ’જળકમળ’ કયું છે ? અહીં શરૂઆત થાય છે આપણી બહુજાણીતી યૌગીકપ્રક્રિયાની, શરીરના નાભિપ્રદેશને ’નાભિકમળ’ કહે છે. કુંડલિની યોગની ભાષામાં શરીરમાં રહેલાં સાત ચક્રોને કમળ સાથે સરખાવ્યા છે. અને કુંડલીની શક્તિને સાડાત્રણ આંટા વાળીને બેઠેલા સર્પના રૂપે સમજાવાય છે. અહીં જાગૃત કરાતી કુંડલિનીના સંદર્ભમાં નાગણો દ્વારા આ કહેવાય છે કે ’જાગશે તને મારશે’, ટુંકમાં “ભય”નો ભય દેખાડાય છે. સામાન્ય માણસ તો અહીંથી જ અટકી જશે ! જાગરણના સંદર્ભે પ્રથમ અડચણ છે આ ભય. ભય પર કાબુ મેળવ્યા પછી જ આગળનું પગલું ભરી શકાશે તે વાત અહીં સમજાવવાનો પ્રયાસ છે.આઠ નાગણીઓ તે ’અષ્ટ સિદ્ધિ’નું પ્રતિક હોઇ શકે. (’નાગણ સૌ વિલાપ કરે’ લખ્યું છે તેથી એક કરતા તો વધુ જ હશે !) સાધનાના માર્ગમાં સૌ પ્રથમ આ સિદ્ધિઓ અડચણ કરવા આવે છે. સાદી ભાષામાં પણ જોઇએ તો આ નાગણીઓ એટલે મનની વિવિધ વૃત્તિઓ, જેવી કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ભય વગેરે. માણસને સત્યની નજીક જતા, માનવમાંથી મહામાનવ બનતા, વચ્ચે આ અડચણો રોકી પાડે છે. અને આ અડચણોને એક પછી એક વટાવી અને પોતાના માર્ગે આગળ વધવાની વાત અહીં નરસિંહ સમજાવે છે. અહીં પ્રથમ છે ’મુલાધાર ચક્ર’ .આખો લેખ ચિંતનાત્મક છે
સૌજન્ય ચિરાગભાઇ