યામિની વ્યાસ
———————————————————–
કોઈપણ જાતના વાયરસથી બચવું હોય તો આપણું સ્વદેશી અપનાવશો તો જીવનભર વિદેશી ગોળીઓ ખાઈને જીવવાની લગભગ જરૂર પડશે નહિ*
*ધાણા સ્વભાવે* *ઠંડા, ગરમીને મારે દંડા.*
*લસણ કરે પોષણ,* *મેદનું કરે શોષણ*
*તીખું તમતમતું* *આદુ, માણસ ઉઠાડે માંદુ.*
*લીંબુ લાગે ખાટું, રોગને મારે પાટું.*
*પીળી તૂરી હળદર, શરીરની મટાડે કળતર.*
*મધમધતી હીંગ, રસોડાનો છે કીંગ.*
*ખાવ ભલે બટાકા, હીંગ બોલાવે ફટાકા*
*કઢીમાં મીઠો લીમડો, પ્રગટાવે આરોગ્યનો દિવડો*
*પચાવવા લાડુ બુંદીનો, રોજ ખાઓ ફૂદીનો.*
*ખાવ કાળા મરી, સંસાર જાશો તરી.*
*કાળા મરી છે નકકર, મટાડે એ ચક્કર.*
*માપસર જમો, પછી ફાકો અજમો.*
*તીખા લાંબા તમાલપત્ર, મજબૂત કરે મગજનું તંત્ર*
*નાના નાના તલ, શરીરને આપે બળ.*
*જીરાવાળી છાશ, પેટ માટે હાશ.*
*લીલી સૂકી વરિયાળી, જીંદગી બનાવે હરિયાળી.*
*લાલ તીખા મરચા, બીજે દિવસે બતાવે પરચા.*
*કજિયાનું મૂળ હાંસી, લવિંગ મટાડે ખાંસી.*
*વધુ ખાવાથી વાંધો, આંબલી દુખાડે સાંધો.*
*કાળું કાળું કોકમ, ખૂજલી માટે જોખમ*
*પેટને માટે દુવા, તીખાતીખા સૂવા.*
*કમ્મર પર ના મારો હથોડા, રોજ ખાઓ ગંઠોડા.*
*મોં માંથી આવે વાસ, તો એલચી છે મુખવાસ.*
*ઝાડા કરે ભવાડા, જાયફળ મટાડે ઝાડા.*
*રોજ રોજ ખારો, ના લો તો સારો.*
*પથારીમાંથી ઉઠ, ને ફાકવા માંડ સૂંઠ.*
*રોજ ખાઓ તજ, રોગ નહિ રાખે રજ*
*કોળાના બીજ,*
*આપની ઈમ્યૂન સિસ્ટમને કરે નિજ*
*કેરીની ગોટલી આરોગ્યની પોટલી*
*સરગવો ખાઓ બીમારીઓ ભગાવો*
*પારિજાતના ઉકાળો દુઃખાવા મટાડો*
*નગોડના નવ ગુણ દુઃખતી નસ કરે દૂર*
*ઉકાળીને પીવો ગળો બધા રોગની જળો.*
*ખાઓ ચાવીને અળસી કોઈ રોગ નહિ મળશી*
*નમક સિંધવ બધા રોગનો બાંધવ*
*કપૂર કરશે પૂરી રક્ષા આપના કુટુંબની*
*અર્જુન છાલ હદયના ખોલે વાલ*
*બ્રાહ્મી સાથે દૂધ મગજના જ્ઞાનતંતુઓને રાખે શુદ્ધ*
*ડોડીના પાન આંખોની વધારે શાન*
*રોજ ખાઓ તુલસીપત્ર બીમારીઓ નહિ આવે અત્ર*
*વધારો ફેફસાની શક્તિ કરો જેઠીમધની ભક્તિ.*
*ગોખરુ પ્રોસ્ટેટ માટે સાવ ખરું*
*ખાઓ શંખપુષ્પી વધારો બુદ્ધિ*
*મામેજવો ને લીમડાની છાલ ડાયાબીટીસ જાય હાલ*
*બાવળની શીંગ સાંધાના દુઃખાવાની રીંગ*
*ખાઓ રોજ મેથી તો NO એલોપથી*
*દાડમનો રસ શક્તિનો જશ*.
*અશ્વગંધા ચૂર્ણ સ્નાયુ સાંધાનું પકડે મૂળ*
*રજકોને જવારા વિટામિન B12 માટે સારા*
.
*પપૈયા પાનનો રસ ડેગ્યુંને કહે હવે ખસ*
*મુલતાની માટી,ગુલાબની પાંખડી અને ચંદન ચહેરાને કરે વંદન*
*મીઠો લીમડાના પાન વાળની વધારે શાન*
*આવો કુદરતના ખોળે જીવવાનું ચાલુ કરીએ અને જીવનભર નિરોગી અને રુષ્ટ પુષ્ટ રહીએ*
*સાહેબ થોડી જીવનશૈલી બદલો અને જીવનભર નિરોગી રહો*
*આરોગ્યની ગુરુચાવી એટલે યોગ આહાર આયુર્વેદ ઘરગથ્થુ ઉપચાર અને એક્યુપ્રેશર*
એ,,,,આવજો અને એક વૃક્ષ વાવજો..