ઇકો ફ્રેન્ડલી અગ્નિસંસ્કારઃ

એક્વામેશન અથવા આલ્કલાઇન હાઇડ્રોલિસિસ એ અગ્નિનો ઉપયોગ કરીને મૃત શરીરને બાળવાની પરંપરાગત પદ્ધતિથી તદ્દન અલગ છે. આ પ્રક્રિયામાં મૃતકના શરીરને પાણી અને આલ્કલાઇન તત્વ (પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ)ના દ્રાવણમાં ઉચ્ચ દબાણવાળા ધાતુના સિલિન્ડરમાં મૂકવામાં આવે છે અને સિલિન્ડરને લગભગ ત્રણથી ચાર કલાક માટે 150 °C તાપમાને ગરમ કરવામાં આવે છે
મૃતદેહને ગરમ પાણી અને આલ્કલાઇન કેમિકલ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ (જેને લાઇ અથવા કોસ્ટિક સોડા તરીકે ઓળખવામાં આવે છે) અથવા તે બંનેના મિશ્રણના દ્રાવણ સાથે મોટી ચેમ્બરમાં મૂકવામાં આવે છે.
તાપમાન ૧૬૦ ડિગ્રી સુધી પહોંચે છે. પરંતુ ચેમ્બરનું દબાણ પાણીને ઉકળતા અટકાવે છે. પાણી, ગરમી અને રાસાયણિક સંયોજનોના આ મિશ્રણથી શરીરના પેશીઓ અને ચરબી ત્રણથી ચાર કલાકમાં ઓગળી જાય છે.
માત્ર હાડકાં જ બાકી રહે છે, જેનો પાઉડર કરીને કળશમાં પરિવારજનોને પરત કરી શકાય છે. તે અગાઉ તબીબી સંશોધન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓના શરીર અને માનવ શરીરની પ્રક્રિયા માટે તેનો ઉપયોગ થતો હતો.
NAFDએ જણાવ્યું યુકેમાં આ પ્રક્રિયા અપનાવવાનો આધાર પ્રક્રિયાના અંતે જે કંઈપણ પાણીમાં પ્રવેશે છે તે “યોગ્ય” છે કે નહીં તે સુનિશ્ચિત કરવા પર રહે છે.
NAFD જણાવ્યું હતું કે જ્યારે કાયદામાં સુધારો કરવામાં આવે ત્યારે તે તાજેતરના વર્ષોમાં અંતિમ સંસ્કારના સંદર્ભમાં થયેલા મોટા ફેરફારોને માન્યતા આપે અને નિકાલના વધારાના પ્રકારોને અમલી બનાવવા માટે વાજબી જોગવાઈ કરે તે મહત્વનું છે. પર્યાવરણ માટે આ પ્રક્રિયાને વધુ સારી માનવામાં આવે છે કારણ કે જ્યોતના અગ્નિસંસ્કાર કરતાં આ પ્રક્રિયામાં ઓછા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે. તેમાં પરંપરાગત અગ્નિસંસ્કાર કરતાં ૯૦ ટકા જેટલી ઓછી ઉર્જાનો ઉપયોગ થતો હોવાનું જણાયું છે. આ પ્રક્રિયામાં શબપેટીને બાળવાની જરૂર હોતી નથી અને અસ્થિના ૩૦ ટકાથી વધુ સુધીના અવશેષો પરિવારને પરત કરવામાં આવે છે.