Category Archives: પ્રકીર્ણ

ખુબસુરતીનો પર્યાય હતાં લીલા નાયડુ

ખુબસુરતીનો પર્યાય હતાં લીલા નાયડુ
થોડી હિન્દી અને અંગ્રેજી ફિલ્મોમાં અભિનય કરનારા અભિનેત્રી લીલા નાયડુની ૧૧મી પુણ્યતિથિ. ૨૮ જુલાઈ, ૨૦૦૯ના રોજ મુંબઈમાં ૬૯ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. આપણે તેમને ‘યે રાસ્તે હૈ પ્યાર કે’ની નાયિકા રૂપે ઓળખીએ છીએ. જે નાણાવટી ખૂન કેસની સત્યકથા પરથી બની હતી. આઈવરી મર્ચન્ટની ફિલ્મ ‘હાઉસ હોલ્ડર’માં પણ તેમણે અભિનય કર્યો હતો. લીલા ૧૯૫૪ના ફેમિના મિસ ઇન્ડિયા બન્યાં હતાં. ‘વોગ’ મેગેઝીનમાં ‘દુનિયાની દસ સૌથી ખુબસુરત મહિલાઓ’ની યાદીમાં તેમનું નામ મહારાણી ગાયત્રી દેવી સાથે દેખાતું હતું. વિશ્વના જાણીતા ફેશન મેગેઝીનની આવી યાદીમાં લીલા નાયડુનું નામ પચાસ અને સાંઠના દાયકામાં વારંવાર આવતું હતું. તેમના શાંત સૌન્દર્ય અને સાહજિક અભિનયને કારણે લીલાજી હંમેશા યાદ કરાશે.
લીલાનો જન્મ મુંબઈના જાણીતા અણુ વૈજ્ઞાનિક ડૉ. પત્તીપતિ આર. નાઈડુ જેવા હોનહાર પિતાજીના ઘરે થયો હતો. પિતાજી આંધ્ર પ્રદેશના ચિત્તૂર જીલ્લાના માંડનાપલ્લેના હતા. પિતા ડૉ. નાયડુએ નોબલ વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીના હાથ નીચે પેરીસમાં કામ કર્યું હતું. મેડમ ક્યુરી ત્યારે યુનેસ્કો દ્વારા દક્ષિણ-પૂર્વ એશિયા વિસ્તાર માટે કાર્યરત હતાં. બાદમાં તેઓ ટાટા ગ્રુપના સલાહકાર હતા. લીલાના માતા ડૉ. માર્થે મેંગે નાયડુ પત્રકાર અને ઇન્ડોલોજીસ્ટ હતાં. તેઓ સ્વિસ-ફ્રેંચ મૂળના હતાં. દક્ષિણ ફ્રાંસના પોન્ટ ડી એવીગ્નોનના તેઓ વતની હતાં. લીલા તેમના માતાની આઠ ગર્ભાવસ્થામાંના એક માત્ર સંતાન હતાં. લીલાને વિખ્યાત માતા-પિતાનો લાભ મળ્યો હતો. તેઓ યુરોપમાં મોટાં થયાં, સ્વીટઝરલેન્ડના જીનીવાની વિખ્યાત સ્કૂલમાં લીલા ભણ્યાં હતાં. જીન રેનોઈર પાસે તેઓ કિશોરાવસ્થામાં અભિનય શીખ્યાં હતાં. પેરીસની ગ્રાન્ડ હોટેલ ઓપેરામાં લીલાનો પરિચય સાલ્વાડોર ડાલી સાથે થયો હતો, જેમણે લીલાનું પોટ્રેઈટ ચીતર્યું હતું. ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સરોજીની નાયડુ લીલાના આંટી થતાં હતાં.
૧૯૫૪માં લીલા નાયડુએ ફેમિના મિસ ઇન્ડિયાનો તાજ પહેર્યો હતો અને તેજ વર્ષે તેઓ વોગ સામયિકના વિશ્વના સૌથી સુંદર દસ મહિલાઓમાંના એક રૂપે પસંદ થયાં હતાં.
લીલાએ બલરાજ સાહનીસાથે ‘અનુરાધા’ (૧૯૬૦)માં તેમની ફિલ્મ અભિનય યાત્રાનો આરંભ કર્યો હતો. તેના નિર્દેશક હૃષીકેશ મુખર્જી હતા. કમલાદેવી ચટ્ટોપાધ્યાયએ લીલાનો લીધેલો એક ફોટો જોઇને હ્રુશીદાએ લીલાને ફિલ્મમાં લીધાં હતાં. જોકે એ ફિલ્મ ટીકીટ બારી પર સફળ થઇ નહોતી, પણ તેને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. લીલાના અભિનયના તેમાં વખાણ થયાં હતાં. મહાન સિતારવાદક પંડિત રવિ શંકરે તેના યાદગાર ગીતો બનાવ્યાં હતાં. ‘હાય રે વો દિન કયું ના આયે’, ‘જાને કૈસે સપનો મેં ખો ગઈ અખિયા’ અને ‘કૈસે દિન બીતે કૈસે બીતી રતિયાં’ જેવાં યાદગાર ગીતો એ ફિલ્મમાં હતાં.
લીલાની બીજી ફિલ્મ અશોક કુમાર અને જોય મુખર્જી સાથેની નીતિન બોઝની ‘ઉમીદ’ (૧૯૬૨) હતી. તો આર. કે. નય્યર નિર્દેશિત ‘યે રસ્તે હૈ પ્યાર કે’ (૧૯૬૩)માં લીલા નાયડુએ લગ્ન બહારના સંબંધ ધરાવતી પત્નીની બોલ્ડ ભૂમિકા ભજવી હતી. સુનીલ દત્ત અને રેહમાન સાથેની એ ફિલ્મ કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર કોર્ટ કેસ પર આધારિત હતી. વિવાદી વિષય હોવા છતાં એ ફિલ્મ પણ નિષ્ફળ ગઈ હતી. જોકે તેનું શીર્ષક ગીત અને ‘યે ખામોશીયા યે તાન્હાઈયા’ ગીતો જાણીતા બન્યાં હતાં.
૧૯૬૩માં લીલા નાયડુએ મર્ચન્ટ આઈવરી ફિલ્મ્સની જેમ્સ આઈવરી નિર્દેશિત અંગ્રેજી ફિલ્મ ‘ધ હાઉસહોલ્ડર’ની બળવાખોર યુવા પત્નીની ભૂમિકા કરી હતી. લીલાજીએ તેમની ૨૦૦૯માં પ્રકાશિત થયેલી આત્મકથામાં વર્ણવ્યું છે કે ઈસ્માઈલ મર્ચન્ટ અને જેમ્સ આઈવરી એક આર્કીયોલોજીસ્ટની કથાવાળી ફિલ્મ બનાવવાના હતાં. પણ તેની કથા બેકર્સને ન ગમતા લીલાએ તેમને રૂથ ઝાબવાલાની નવલકથા ‘ધ હાઉસહોલ્ડર’ પરથી ફિલ્મ બનાવવાનું સૂચવ્યું હતું. મર્ચન્ટ અને આઈવરી માટે તે પહેલી ફિલ્મ હતી. તેમણે તે માટે મહાન સત્યજીત રાયની મદદ લીધી હતી. રાયે તેમના અનેક કલાકારો અને કસબીઓ આપ્યાં હતાં. ત્યાં સુધી કે બની ગયેલી ફિલ્મના સંકલન-સંપાદનમાં સત્યજીત રાયે ઘણું કામ કર્યું હતું. અહીંથી મર્ચન્ટ અને આઈવરીએ ફિલ્મ કલા શીખવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે હોલીવૂડમાં જગપ્રસિદ્ધ ફિલ્મો બનાવીને અનેક એવોર્ડ્સ જીત્યાં હતાં. લીલાની તે ભૂમિકા જોઇને સત્યજીત રાય માર્લોન બ્રાન્ડો અને શશી કપૂર સાથે લીલાને લઈને એક અંગ્રેજી ફિલ્મ બનાવવા માંગતા હતા, પરંતુ કમનસીબે તે સપનું કદી સાકાર થયું નહોતું. તો વિજય આનંદની મહાનતમ ફિલ્મ ‘ગાઈડ’ (૧૯૬૫) ની રોઝી રૂપે પણ લીલા નાઈડુને વિચારાયાં હતાં. પરંતુ તે ભૂમિકા માટે એક તાલીમબદ્ધ નર્તકીની જરૂરિયાત જોતાં તે ભૂમિકા વહીદા રહમાનને મળી હતી. લીલા નાઈડુની છેલ્લી ફિલ્મ પ્રદીપ કુમાર, મુમતાઝ અને વિજયા ચૌધરી સાથેની મોટા પાયાની ફિલ્મ ‘બાગી’ (૧૯૬૪) હતી. જોકે મર્ચન્ટ-આઈવરીની ‘ધ ગુરુ’ (૧૯૬૯)માં લીલા નાઈડુએ મહેમાન ભૂમિકા કરી હતી. તેજ રીતે શ્યામ બેનેગલની સામયિક ફિલ્મ ‘ત્રિકાલ’માં લીલાએ ગોવાનીઝની નાની ભૂમિકા કરી હતી. તો પ્રદીપ કૃષ્ણની ફિલ્મ ‘ઇલેક્ટ્રિક મૂન’ (૧૯૯૨) લીલા નાઈડુની પડદા પરની છેલ્લી હાજરી હતી.
લીલા નાઈડુએ રાજ કપૂર દ્વારા ફિલ્મમાં કામ કરવાની ઓફર ચાર વાર નકારી હતી. તેજ રીતે ડેવિડ લીન અને સત્યજીત રાય પણ તેમને ફિલ્મોમાં લેવા માંગતા હતાં.
૧૯૫૬માં ૧૭ વર્ષની ઉમરે લીલા નાઈડુએ ઓબોરોય લક્ઝરી હોટેલ્સ ચેઈનના સ્થાપક મોહન સિંઘ ઓબેરોયના દીકરા તિલક રાજ (ટીક્કી) ઓબેરોય સાથે લગ્ન કર્યા હતાં. ત્યારે પતિ ‘ટીક્કી’ ૩૩ વર્ષના હતા. તેમને બે જોડિયા દીકરીઓ પ્રિયા અને માયા હતી. તેમનું ટૂંકું લગ્ન તૂટ્યું અને પિતાને બંને દીકરીઓની કસ્ટડી મળી હતી. પછી લીલાનો જીદ્દું કૃષણમૂર્તિ સાથે લંડનમાં મિલાપ થયો. તેમની ટેકનીકથી લીલા ખૂબ આકર્ષાયા હતાં. ૧૯૬૯માં લીલાએ વિખ્યાત કવિ-લેખક ડોમ મોરાઇસ સાથે બીજી વાર લગ્ન કર્યા. તેઓ ૨૫ વર્ષ હોંગકોંગ, ન્યુ યોર્ક સીટી, નવી દિલ્હી તથા મુંબઈમાં રહ્યાં. ડોમ મોરાઈસે અંગ્રેજીમાં ૩૦ પુસ્તકો લખ્યાં છે અને ‘અંગ્રેજીમાં લખતાં ભારતીય લેખક’ રૂપે તેમની નામના હતી. કમનસીબે એમની સાથેના સંબંધનો પણ અંત આવતા લીલા નાઈડુ ભાંગી પડયા હતાં.
મુંબઈના કોલાબાના સાર્જન્ટ હાઉસના મોટા ફ્લેટમાં લીલા એકલા રહેતાં હતાં. જીવનનો છેલ્લો દશકો આ મહિલા ઘરમાં જ પુરાઈ રહ્યાં. આર્થિક હાલતને કારણે તેઓ પેઈંગ ગેસ્ટ રાખતા અને તેમની કંપની માણતા. તેમણે દીકરીઓ સાથે સંપર્ક જાળવ્યો હતો. ૨૦૦૮માં દીકરી પ્રિયાનું હૃદય રોગમાં નિધન થયું હતું. અને ૨૮ જુલાઈ, ૨૦૦૯ના રોજ મુંબઈમાં ફેફસાંની નિષ્ફળતાથી ઇન્ફ્લુંએન્ઝા થવાને કારણે લીલા નાઈડુએ તેમની લીલા સંકેલી ત્યારે તેઓ ૬૯ વર્ષના હતાં. ‘લીલા: એ પોટ્રેઈટ’ નામના તેમના જીવન ચરિત્રના સહલેખક જેરી પિંટો છે, પેન્ગ્વીને તે પુસ્તક ૨૦૦૯માં બહાર પાડ્યું હતું.
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકનો અંશ. આભાર શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under પ્રકીર્ણ

ડાયસ્પોરાનું સાહિત્ય અંગે પ્રેરણાદાયી ચર્ચા

સુશ્રી રેખાબહેન અને વેગુનાં સહુ સાથી મિત્રો

થોડા સમય પહેલાં ભારતની બહાર વસતાં ગુજરાતીઓનાં ઇન્ટરનેટ પરનાં કામને અલગથી રજૂ કરવાનો વિચાર વહેતો મૂકાયો, જેના પરિપાકરૂપે એ કાર્યનું સંકલન સુશ્રી રેખાબહેન સિંધલને સોંપાયું હતું.

આ  વિભગના વ્યાપ અને ભવિષ્યની કાર્યપદ્ધતિ વિષે રેખાબહેન સમયે સમયે તેમના વિચારો વ્યક્ત કરતાં રહ્યાં છે.

હવે બહુ થોડા સમયમાં આ વિભાગને વિધિપુરઃસર શરૂ કરવાની તૈયારીમાં તેઓ લાગી ચૂકેલાં છે,એ સમયે આ વિભાગનાં સંચાલનને લગતા કેટલાક વિચારો આપ સહુની વિચારણા માટે પ્રસ્તુત કરેલ છે.

૧. વિભાગનાં નામ અંગે પણ ઘણી ચર્ચાઓ થયેલ છે. આથી વિભાગનં નામ અંગેની કોઇ પણ ગુંચવણો દૂર કરવા માટે કરીને નામ પર ઓફિસિયલ સહમતિ કરી લેવી જોઇએ.

૨. વેગુ ની પરંપરા મુજબ દરેક વિભાગ માટે આપણે બ્રોડ-બેઝ્ડ સંકલન સમિતિ ગોઠવતાં હોઇએ છીએ, જેનો આશય કોઇ એક વ્યક્તિ પર વધારે પડતો બોજ ન આવી પડે તેમ જ સામગ્રીની શોધ વધારે વ્યાપક બની રહે તે રહ્યો છે. આ નવા વિભાગ માટે પણ રેખાબહેનનાં વડપણ હેઠળ આવી સમિતિનું ગઠન કરવું જોઇએ.

સમિતિઓનું ગઠન કોઇ વાડાબંધી તો નથી જ, તેથી અન્ય સહુ સાથી મિત્રો તો પોતાનાં યોગદાન આપતાં જ રહેશે તે વાતની ચોખવટની જરૂર તો નથી જ, પરંતુ નવા વિભાગનું ગઠન કરી રહ્યાં હોઇએ ત્યારે આ વાત દોહરાવી લેવાની લાલચ નથી રોકી શકાતી.

૩.વેગુ પર સામગ્રી મળી રહેવામાં સહુ સાથીઓની મદદ રંગ લાવવા લાગી છે, તેથી અઠવાડીયાનાં સામાન્ય દિવસોમાં પણ આપણે એક થી વધારે લેખ પણ પ્રસિદ્ધ કરતાં થયાં છીએ. જો કે આપણો સદાય એ પ્રયાસ રહ્યો છે કે કોઇ પણ પ્રકારની સામગ્રીનો એક સાથે ભાર ન થાય, અને તેથી એક જ વિષય કે પ્રકારના લેખો વચ્ચે તેમજ, શકય હોય ત્યાં સુધી એક જ લેખકના લેખો વચ્ચે ઉચિત અંતરાલ રાખવાનો પણ સંન્નિષ્ઠ પ્રયાસ કરતાં રહ્યાં છીએ.

આ સંદર્ભમાં આ નવા વિભાગના લેખોની પ્રકાશન અવધિ વિષે પણ વિચારણા કરવી જોઇએ. શરૂઆત દર પખવાડીએ એક લેખથી કરી તેવું મારૂં અંગત સૂચન છે. જો આ વિભાગને ઘણાં વૈવિધ્યસભર લેખકો, વિષયો અને સામગ્રી મળતાં થાય તો પછીથી દર અઠવાડીયાંના એક લેખ અંગે વિચારી શકાય.

૪. મારાં અંગત માનવા મુજબ હાલ આપણા સા.વિ. પર પણ મોટા ભાગની કૃતિઓ વિદેશ સ્થિત ગુજરાતીઓની જોવા મળે છે, તેથી ભવિષ્યમાં આ બન્ને વિભાગના વ્યાપ અને સામગ્રીના ઑવરલેપ અંગે પણ વિચાર કરવો જોઇએ.

સાદર વિચારણાર્થે

અશોક વૈષ્ણવ…………………

%e0%aa%85

વડિલો અને મિત્રો,

અશોકભાઈએ જે મુદ્દા મૂક્યા છે તે અગત્યના હોઈને મારૂં મંતવ્ય જણાવતા પહેલાં કેપ્ટનની વાત સંવેદનને સ્પર્શી ગઈ છે તેથી કહું કે વેબગુર્જરી આવા રત્નોને ઓળખીને એમનો લાભ ગુજરાતી વાંચકોને અને સાહિત્યને આપે છે તે માટે આપણે ગૌરવ લઈએ. કોઈ મૂલ્ય ન આંકે તેથી હીરાનું મૂલ્ય ઓછું થઈ જતું નથી. અમર થઈ ગયેલા કેટલાય કવિ-લેખકો અંગ્રેજી સહિતની અન્યભાષામાં પણ એમના જીવનકાળ દરમ્યાન ઓળખાયા નહોતા.  અમુક મંચ પર સુધી જવામાં રખેવાળોની મર્યાદા નડે છે. મોટેભાગે એમનો અહમ! પણ આપણે એ ચર્ચા જવા દઈએ અને આપણા કાર્યમાં કેપ્ટનને સામેલ કરીએ. ડાયસ્પોરા સમિતિમાં તેઓ પણ જોડાય એવી મારી વિનંતિ છે. સંકલનની મુખ્ય જવાબદારી હું ખુશીથી સંભાળીશ પણ વિસ્તાર વધારવા માટે સતત સહાયની આવશ્યકતા છે જેથી સમિતિ અંગેની અશોકભાઈની વાત મને ગમી છે. દેવિકાબેન આપણી સાથે જોડાયેલા છે જ તો તેઓ પણ આ સમિતિમાં સામેલ થઈ શકે.  વિપુલભાઈ જેવા અમેરિકા સિવાયના કોઈ જોડાય તો તે પણ ઉત્તમ વિચાર છે.  ભારત સહિત દુનિયાના જુદા જુદા દેશોમાંથી મળી સમિતિની સંખ્યા પાંચની કરીએ તો ય આ તો ‘ગમતાનો ગુલાલ’ થશે.

બીજુ વલીભાઈની વાતના અનુસંધાને કહું તો મારા પ્રથમ લેખમાં મારો પ્રયત્ન ડાયસ્પોરા સાહિત્ય કોને કહેવું?  એ ગુંચવાડાઓ શક્ય તેટલા દૂર કરવાનો છે અને તેથી જ ધીરજ માટે મેં સમય માંગ્યો. વિજ્યાદશમી સુધીની અવધિ પર્યાપ્ત થશે એમ લાગે છે.

‘ડાયસ્પોરા’ નામકરણ થઈ ચૂક્યું છે. હવે જો નામ બદલવાની વિધિ કરવી હોય તો ડાયસ્પોરાને હુલામણુ કરીને કરવી પડે. એ કાર્ય પણ સહેલુ નથી જ રખેવાળોએ તે માન્ય કરવું પડે અને એ થઈ શકે એવું લાગે તો જ વિચારવા રહ્યું બાકી વિચાર કરવાનો અર્થ નથી.

અઠવાડિયે એક કૃતિથી શરૂઆત થાય તો સારૂં એવો મારો મત છે.

%e0%aa%b0%e0%ab%87

રેખા સિંધલ

……………………

From: “Dipak Dholakia” <dipak.dholakia@gmail.com>
સુ શ્રી  હંસાબેન,

તમે રજૂ કરેલો મુદ્દો સારો છે. તેમ છતાં કેટલીક વ્યાવહારિક મુશ્કેલીઓ છે. ગુજરાતીઓ તો મુંબઈમાં પણ ઘણા વસે છે. આપણા ઘણા લેખકો મુંબઈના જ છે. ચંદ્રાકાન્ત બક્ષી મુંબઈના, ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી મુંબઈના. શિવકુમાર જોશી કોલકાતાના. સાહિત્યના ઇતિહાસકાર દીપક મહેતા દિલ્હીમાં હતા અને પછી મુંબઈ ગયા. હરીન્દ્ર દવે, સુરેશ દલાલ(?) વગેરે અનેક નામો છે. કેમ અલગ તારવવા?
વેબગુર્જરીમાં મોટા ભાગે તો એવું રાખ્યું છે કે વિદેશવાસી ગુજરાતીઓના લખાણમાં વિદેશી વાતાવરણની છાંટ હોય તેને ડાયસ્પોરાનું સાહિત્ય ગણવું. જો કે એનો કડકપણે અમલ કરવામાં મુશ્કેલીઓ પણ આવે છે, ખાસ કરીને કાવ્ય ક્ષેત્રે. એ સંપૂર્ણપણે ભાવનાઓનું ક્ષેત્ર છે.
બીજી બાજુ એ પણ ખ્યાલ રહે છે કે ભલે માત્ર ભારતીય થીમ હોય પણ લખનારની સાધના કેટલી જબ્બર હશે કે ભાષાની સંપૂર્ણ ઉત્કટતા જાળવીને લખે છે. જે આપણા માટે સહજ હોય તે તદ્દન નવા વાતાવરણમાં નથી હોતું.
ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ સામૂહિક રીતે સહિત્યસેવા કરતા હોય તો એને પ્રકાશિત કરવામાં અમને હંમેશાં રસ રહેશે. દિલ્હીમાં થતી આવી પ્રવૃત્તિના સમાચારો મે આપ્યા જ છે. દિલ્હીમાં સાહિત્યિક મંડળ ઊભું કરવું એમાં બહુ નિષ્ઠા જોઇએ અને એ વાત અમારા ધ્યાનમાં રહે જ છે.

Leave a comment

Filed under ઘટના, પ્રકીર્ણ, Uncategorized

વૅગુ પર સૌના બ્લૉગ પરના લેખોની લીંક એટલે એગ્રીગેટર …+ સુરતીઓનો નવો ટ્ર્ન્ડ…યામિની

From  jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
To Dipak Dholakia
CC Pragnaju Vyas jignesh adhyaru Jignesh Adhyaru Chirag Patel Chirag Pancham Shukla 01/29/13 at 8:26 PM
ઉપર મુજબનો જવાબ લખ્યા પછી ઓચિંતું જ ધ્યાન પર જિજ્ઞેષભાઈનો જ બ્લૉગ અક્ષરનાદ સામે આવી ગયો ! (આને સંકેત જ કહેવો પડે !) હું જરા અંદર ઊંડો ઊતર્યો તો તેમણે અનેક પ્રકારનું સાહિત્ય સંકલિત કર્યું છે તે જોવા મળ્યું.

જાણીતા લેખકોનાં લખાણો કે આખી ને આખી કૃતિ મૂકવાનું ઘણાં બ્લૉગરો કરે જ છે પણ આપણે ફક્ત ને ફક્ત નેટલેખકોનાં જ લખાણો, ઈમેઈલવાળાંઓની જ રજૂઆતો, કોમેન્ટલેખકોનાં જ મંતવ્યો સંકલિત કરવાનો આગ્રહ રાખીશું તો તે સાવ નવી વાત ગણાશે, સૌ નેટલેખકોને પોરસાવશે, આપણો હેતુ સરશે ને નેટપરની ઘણી બાબતોની સુધારણા શક્ય બનશે.

હું માનું છું કે મુ. બહેન, જિજ્ઞેષભાઈ, પંચમભાઈ, વગેરે સૌ અનેક બ્લૉગની સફર કરી ચૂક્યાં છે. તેઓ પોતાના અનુભવે કહી શકે કે આપણે કઈ રીતે બીજા કરતાં અલગ કામ કરી શકીએ, શું કરીએ તો ડુપ્લીકેશન ન થાય ? શું ખૂટે છે, કે જે આપણે શરૂ કરીએ ? જિજ્ઞેષ, ચીરાગ અને પંચમ આ અંગે વધુ સમીક્ષા કરી આપે તેવી વિનંતી. – જુ.

2013/1/30 jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
ગમીયું ! આ વિભાવના મને સમજાઈ ન હતી……(જુઓ, મારે માટે કામ તો હાલતાંચાલતાં મળી જ રહેવાનું છે..દા.ત. આ ન હતી શબ્દ લખ્યો તો સૂઝી આવ્યું કે કેટલાયને ખબર નહીં હોય કે ‘ન હતી’ જુદું ને ‘નહોતી’ ભેગું લખાય. આમ ભાષાશિક્ષણ પણ ચાલ્યાં કરશે !)

સરસ કાર્ય છે. હવે સાથે બીજી વાત –

વધુમાં વધુ બ્લૉગ–લેખકો અને વધુમાં વધુ વાચકો (ઈમેઈલ ધરાવતા હોય તેઓ) વેગુના ફોલોઅર બને તો વેગુ પર લખાણ પ્રગટ થાય કે તરત તેની જાણ ફોલોઅરને થાય તેવું તો ગોઠવવું જ પડશે….

આ રીતે લખાણોનો ધોધ વરસે ખરો જેમાંથી આપણે ચાળવાનું રહે…દરરોજની પ્રગટ થતાં લખાણોની સંખ્યા પારાવાર હોય છે. જોકે એ ચિંતાનો વિષય નથી…..

વેગુની સાઈટ પેજ તથા કેટેગરી વગેરે સાથે તૈયાર થાય કે તરત શરૂ કરી દઈએ. –જુ.
2013/1/30 Dipak Dholakia <dipak.dholakia@gmail.com>
શ્રી જુગલભાઈ.

પાસવર્ડ તો જેમણે અપડેટ કરવાનું હોય તે્મની પાસે અને તમારી પાસે જ હોય. મારી પાસે પણ ન હોય. જરૂર પણ નથી. બધા પાસે પાસવર્ડ હોય તો આ તો બોડી બામણીનું ખેતર થઈ જાય.

હું જે કહું છું તે અમુક અંશે તો એગ્રીગેટર જેવું જ છે પણ મારો ખ્યાલ એના કરતાં થોડો જુદો પડે છે. એગ્રીગેટર તટસ્થ છે, આ સાઇટ પર આપણે રસ લઈને દેખાડીએ છીએ કે આ વાંચવા જેવું છે. હું નીચે દાખલો આપું છું.

ધારો કે, આજે આપણા મેઇલબૉક્સમાં પાંચ નવી પોસ્ટના સંદેશ મળ્યા. આમાંથી બે કવિતાના છે. એક સાહિત્યનો છે અને એકમાં કોઈ અખબારી લેખ છપાયો છે. તમે (શ્રી જુગલભાઈ) આની ઇન્ટ્રોડક્શન આપો – ” આજે ક-ભાઇએ એમના બ્લૉગ ‘ઝ’ પર એક ગઝલ મૂકી છે, અહીં વાંચવા મળશે….(બીજું ઉદાહરણ આપું છું) શ્રી….આપનએ જૂનાં ફિલ્મી ગીતોનો રસાસ્વાદ કરાવતા રહ્યા છે. આમ તો દર અઠવાડિયે કઈંક મળે છે, પણ આ વખતે એકાદ મહિને તેઓ આવ્યા છે, પણ એવી સામગ્રી લાવ્યા છે કે ગીતો જ નહીં એમની સાહિત્યિક ક્ષમતા પણ દેખાય છે. અહીં વાંચો.”

આમ ખરેખર દરરોજ ચારપાંચ બ્લૉગ માટે કુલ પંદર લાઇન લખવાની થાય. આપણે સૌ સરેરાશ પામ્ચ બ્લૉગ તો આજે પણ જોતા હશું જ. શ્રી જુગલભાઈની ત્રણ લાઇનની ભૂમિકા સાથે કૃતિ રજુ થાય એટલે એ આપણે પોતીકી બની ગઈ. મૂળ બ્લૉગરે તો આવી ભૂમિકા બાંધી નહીં હોય! આમ કઈંક અંશે સભામાં માઇક સંભાળનારા ઍંકરની આ કામગીરી છે.

મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં માનો કે ચાર-પાંચ કવિતાઓ વાંચવા મળી હોય તો પંચમભાઈ એના પર વિવેચન કરે. એવા જ ભાવની કોઈ અન્યભાષી રચના નવી કે જૂની, હોય તો એની પણ તુલના કરી શકાય. જો કે તુલનામાં કોઈને ખરાબ ન લાગી જાય તેનું તો આપણે ધ્યાન રાખીએ જ.

એ જ રીતે લેખો વિશે પણ કરી શકાય. દાખલા તરીકે – “આ અઠવાડિયે દિલ્હીમાં ગૅંગ રેપનો બનાવ બન્યો તેનો ભૂપેન્દ્ર સિંહ રાઓલે આગવો પ્રત્યાઘાત આપ્યો છે. એમણે પુરુષની આક્રમકતા અને સેક્સ વચ્ચેનો સંબંધ સમજાવ્યો છે… આ રહી લિંક” બસ.

મહિનાના અંતે બ્લૉગ લેખો પર એક સમીક્ષાત્મક લેખ. બધું ધીમે ધીમે થાળે પડતું જશે. ચાર-્છ મહિના પછી આ બહુ મોટું કામ નહીં લાગે.

તમે જે નિમંત્રણ પત્ર તૈયા્ર કર્યો છે તેની સાથે સંમત છું..

2013/1/29 jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
* સૌના બ્લૉગ પરના લેખોની લીંક એટલે એગ્રીગેટર જેવું ?
* આપણો પાસવર્ડ આપવાથી તેઓ ડૅશબોર્ડ ખોલી શકે ? જો હા, તો તો કદાચ ગોટાળો ન થઈ જાય ?

* કેટલીક બાબતો કઈ રીતે કરવી તે જિજ્ઞેષભાઈ જ સમજાવી શકશે…એટલે હું રાહ જોઈશ.

દરમિયાન મેં પણ તાત્કાલિક કામ શરૂ થઈ શકે તે માટે જે યોજના વિચારી છે તે સૌ સમક્ષ મૂકું છું. (પંચમ, ચીરાગ અને જિજ્ઞેષ ત્રણેય ભાઈઓ ખૂબ જ વ્યસ્ત છે તેમને તો અમારા બન્નેનાં લખાણો કદાચ માથાના દુખાવા જેવા બની રહે કદાચ !! અમે નવરા છીએ તેથી નવા નવા તુક્કા લગાડીશું જ પણ હવે કામ શરૂ થઈ જ ગયું ત્યારે આગળ વધ્યા વિના છૂટકો નથી…..

આ સાથે એટેચ કરેલો ડ્રાફ્ટ પણ જોઈ જવા વિનંતી છે…– જુગલકિશોર.

2013/1/29 Dipak Dholakia <dipak.dholakia@gmail.com>
શ્રી જુગલભાઇના સવાલો, સ્પષ્ટતા અને જાહેરાતના સંદર્ભમાં મારા વિચારો સૌના ધ્યાનમાં લાવું છું
વેગુ પર શું મૂકવું
આપણો હેતુ સૌને સંગઠિત કરવાનો છે. આનો આધાર બ્લૉગ જગતનું સ્તર ઊંચે લઈ જવાની આપણે ભાવનામાં છે. આથી આપણી સમક્ષ “શું મૂકવું” તે વિચાર બે રૂપમાં આવે છે. એક તો ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં.
તાબડતોબ, એટલે કે ટૂંકા ગાળામાં આપણે બધા બ્લૉગ પર આવતી નવી પોસ્ટની લિંક મૂકવી જોઈએ. આજે મેં પંચાવન બ્લૉગ સબસ્ક્રાઇબ કર્યા છે. એમાંથી પાંચેક પર નવી પોસ્ટ મુકાઈ છે. પાસવર્ડ તો સૌને આપ્યો છે, તો આપણું ઇમેઇલ ખોલી શકાશે. આ ટલા આપણા મેઇલિંગ લિસ્ટમાં તો આવી જ ગયા. આવતા પંદર દિવસમાં રોજના ૫૦-૭૮ના દરે હું સબસ્ક્રાઇબ કરીશ. આમાંથી ઘણા બ્લૉગ બંધ છે. એટલે કે એમની છેલ્લી પોસ્ટ બે કરતાં વધારે વર્ષ જૂની છે. પણ હમણાં તો મેં હનુમાનની જેમ આખો જ પહાડ લઈ આવવાનું નક્કી કર્યુ છે, સંજીવની કઈ તે પછી શોધીશું. આમ છતાં એ સૌ પણ આપણા મેઇલિંગ લિસ્ટમાં તો આવી જ ગયા, એ લાભ તો ખરો જ.
દેખીતી વાત છે કે આપણે Enlightrned Self interest (પ્રબુદ્ધ સ્વાર્થ)ના સિદ્ધાંત પ્રમાણે ચાલબું જોઇએ. આપણે પોતે કોઈ બ્લૉગને પ્રોત્સાહિત ન કરીઈ અને સામી વ્યક્તિ આપણી જાહેરાત કરતી રહે એ ન બને. એટલે આમાં આપણે give and take કામે લગાડવું જોઇએ.
આપણે નવું સાહિત્ય મૂકી શકીએ ત્યારે મૂકવું.પણ એ લાંબા ગાળાનું કામ છે. એના માટે એકાદ મહિનાનો સમયગાળો રાખીએ. આપણે લોકોની લિંક મૂકીને એમને આપણી લિંક મૂકવા પ્રેરી શકીશું. અને તે પછી જ્યારે લેખો મૂકવાનું શરૂ કરીએ ત્યારે આપણી પાસે એપોસ્ટની માહિતી મોકલવા માટે ઘણા સભ્યો હશે.
મારૂં કામ ઇમેઇલ આઇડી માત્ર હશે તો ચાલી જશે. મારે સાઇટ પર સીધું કઈં અપલોડ કરવાનું નહીં હોય. અને એમાં હું માથું નહીં મારૂં.આપણે દરેક નવી પોસ્ટની લિંક સાઇટ ઉપર દર્શાવવાનું નક્કી કરશું તો અપલોડક(!)ને એ ફોરવર્ડ કરી દઈશ. અપલોડાઇ જાય તે પછી સંબંધિત બ્લૉગ સાથીને એની જાણ પણ કરીશ.
સરનામાં Gmailમાંથી GMailમાં ઇમ્પોર્ટ કરી શકાતાં નથી એવો મારો ખ્યાલ છે. એટલે શું કરવું જોઇએ એ ખબર નથી. કદાચ એક યાહૂ આઇડૅએ બનાવીને એમાં નાખીએ અને તે પછી યાહોમાંથી આપણા ઇમેઇલમાં ઇમ્પોર્ટ કરીએ? આ બાબતમાં હું કઈં જાણતો નથી. એ ટેકનિકલ કામ છે એટલે જિજ્ઞેશ અને ચિરાગ કહી શકે.
વેગુનું સરનામું શ્રી જુગલભાઈનું હોવું જોઇએ કરણ કે આ એમનું જ સંતાન છે. એના સંચાલક સભ્યો તો બ્લૉગની જેમ એક કરતાં વધારે પણ હોઈ શકે અને શ્રી જુગલભાઈ અને જિજ્ઞેશ/ચિરાગ પાસે એના પાસવર્ડ અથવા જે કઈં વ્યવસ્થા હોય તે હોવી જોઈએ.
એક જ ક્લિકમાં આટલા ઇમેઇલ, કેમ મોકલી શકાય તે તો જિજ્ઞેશ માટૅ રોજની વાત છે, એટલે જુગલભાઇએ આ બાબતમાં ચિંતા ન કરવી જોઈએ. એમની પાસે જે સરનામાં છે તે કઈ રીતે એક્સ્પોર્ટ/ઇમ્પોર્ટ કરવાં એ ચિંતામાંથી આપણે એમને હમણાં જ મુક્ત કરી દઈએ. કદાચ એ કરનારને શ્રી જુગલભાઇએ પોતાનો પાસવર્ડ આપવો પડશે. પણ એ મોટી વાત નથી.
અહીં પંચમભાઈએ અશોકભાઈનું નામ આપ્યું છે તે અશોકભાઈ મોઢવડિયા જ હશે એમ માનું છું એમને પૂછ્યા વગર લઈ લેવા જોઈએ. એમાં પૂછવાનું શું? જુગલભાઈ એમને કહી દે કે તમને લીધા છે, પછી તરત ફોન મૂકી દે. ભલે ને અશોકભાઈ રિંગ કર્યા કરે! (મેં હમણાં જ અશોકભાઈ સાથે વાત કરી લીધી છે અને એમને કહ્યું છે કે એમની બધી વાતો સોએસો ટકા ખોટી છે એટલે એમને ટીમમાં લઈ લીધા છે.). આ ઘડીએ (સાડાનવે) વાત પૂરી થઈ છે અને હવે તેઓ શ્રી જુગલભાઇને ફોન કરતા જ હશે. અશોકભાઈ સંપર્કો માટે બ્લૉગને સબસ્ક્રાઇબ કરવામાં પણ મને મદદ કરશે. અમે બન્ને કરી લઈશું. એમને પણ હું પાસવર્ડ આપીશ, જેથી કામ થઈ શકે. હજી બીજા બે’ક જણને શોધું છું.
શ્રી અશોકભાઈને ગૂગલ ગ્રુપમાં જોડાવાનું આમંત્રણ આપી દેવું જોઇએ. આ ગ્રુપને ઇમેઇલ મોકલીએ અને સૌને કેમ મળી જાય, અને એના માટે શું કરવું જોઇએ તે હું સમજી શકતો નથી. ગઈ કાલે હું પોતે જૉઇન થઈ શક્યો, પણ મને મૅસેજ મળ્યો કે સંચાલકની પરમિશનની જરૂર છે. તે પછી જ હું ઇમેઇલ મોકલી શકીશ. મેં જિજ્ઞેશને લખ્યું પણ છે.
આપણે કઈં ત્રાસવાદી હુમલાની તૈયારી કરતા નથી એટલે માત્ર સાઇટના સંચાલન વિશેના નિર્ણય સિવાય અ ગ્રુપ ખુલ્લું રાખી શકાય છે. વળી, બીજી અને ત્રીજી કૅડર બનાવવી છે એમનો સમાવેશ કર્યા વિના તો નહીં જ ચાલે.
મને લાગે છે કે એકંદરે મેં બધા જ મુદ્દા પર મારા વિચાર રજુ કરી દીધા છે.
મુ, પ્રજ્ઞાબેનને ગૂગલ ગ્રુપમાં જોડાવા માટેની લિંક કદાચ ફરી મોકલવી પડશે. જિજ્ઞેશે મોકલેલી લિંક અહીં પેસ્ટ કરૂં છું. પ્રજ્ઞાબેન એના પર ક્લિક કરી દે એવી વિનંતિ છે.
http://groups.google.com/group/webgurjari/sub?s=WNuMchQAAABu5CO8042OxdD6cvJydp131S-6vUM86etGoOrthH-Y0A&hl=en-GB  + %e0%aa%af%e0%aa%be%e0%ab%a7

 

Leave a comment

Filed under ઘટના, પ્રકીર્ણ, Uncategorized

મહાન સંગીતકાર રોશન

Image may contain: 1 personમહાન સંગીતકાર રોશન
મહાન સંગીતકાર રોશન હોત તો તેમનો ૧૦૩મો જન્મ દિવસ ઉજવાત. ૧૪ જુલાઈ, ૧૯૧૭ના રોજ પંજાબના ગુજરાનવાલા મુકામે તેમનો જન્મ. તેમનું મુળ નામ રોશનલાલ નાગરથ. પણ તેઓ તેમના પહેલાં નામ ‘રોશન’થી જ જાણીતા થયા. તેઓ અભિનેતા-દિગ્દર્શક રાકેશ રોશન અને સંગીતકાર રાજેશ રોશનના પિતા અને જાણીતા ફિલ્મ સ્ટાર ઋતિક રોશનના દાદા થાય. ફિલ્મ ‘તાજ મહાલ’ના યાદગાર સંગીત માટે રોશનને ફિલ્મફેરનો શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ મળ્યો હતો.
હાલ પાકિસ્તાનમાં છે એવાં ગુજરાનવાલામાં રોશનનો જન્મ. નાની ઉમરે તેમણે સંગીત શીખવું શરૂ કર્યું અને પછી તેઓ લખનૌની આજની જાણીતી ભાતખંડે મ્યુઝિક ઇન્સ્ટિટયૂટ અને ત્યારની મોરીસ કોલેજ તરીકે ઓળખાતી વિખ્યાત સંસ્થામાં સંગીત ભણ્યા. ત્યારના આચાર્ય પંડિત એસ. એન. રતનજાનકરના તેઓ માનીતા વિદ્યાર્થી હતા. ચાલીસના દાયકાના આરંભમાં ઓલ ઇન્ડિયા રેડીઓ, દિલ્હીના મ્યુઝિક પ્રોડ્યુસર ખ્વાજા ખુરશીદ અનવરે રોશનને એસરાજ નામનું વાજિંત્ર વગાડવા માટે નોકરી આપી હતી.
રોશનલાલ ૧૯૪૮માં મુંબઈ આવ્યા અને સંગીતકાર બનવા માટે કામ શોધ્યું. તેઓ આકાશવાણીવાલા એજ સંગીતકાર ખ્વાજા ખુરશીદ અનવરના ફિલ્મ ‘શિંગાર’ના સહાયક સંગીતકાર બન્યા. સંઘર્ષના દિવસો હતાં, ત્યારે કેદાર શર્માજીએ રોશનને તેમની ફિલ્મ ‘નેકી ઔર બદી’ (૧૯૪૯) માટે સંગીતકાર બનવાનું કામ આપ્યું. એ ફિલ્મ તો નિષ્ફળ ગઈ પણ એ સંબંધે તેમને બીજા વર્ષે ફિલ્મ ‘બાવરે નૈન’ આવી અને રોશનલાલે સફળતા જોઈ.
પચાસના દાયકામાં સંગીતકાર રોશને મોહંમદ રફી, મુકેશ અને તલત મેહમૂદ સાથે કામ કર્યું. ‘મલ્હાર’, ‘શીશમ’ અને ‘અનહોની’ જેવી એ ફિલ્મો હતી. ત્યારે એમણે લતા મંગેશકરે ગયેલી ‘નૌબહાર’ની ‘એરી મૈ તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાને કોઈ’ જેવી ધૂન બનાવી હતી. રોશન હંમેશા વ્યવસાયિક રીતે સફળ નહોતા બન્યા. એમણે ‘ઇન્દીવર’ અને ‘આનંદ બક્ષી’ જેવા ગીતકારોને પહેલી તક આપી હતી. આ બે એવાં ગીતકારો હતાં જેમને ફિલ્મી દુનિયા હંમેશા શોધતી રહી. નિસાર બઝમીની ‘ભલા આદમી’ (૧૯૫૬)માં આનંદ બક્ષીએ ચાર ગીતો લખ્યાં હતાં. જયારે રોશને ‘સીઆઈડી ગર્લ’માં બક્ષીના ગીતો લીધાં. જોકે ‘ભલા આદમી’ પછી ૧૯૫૮માં રજુ થઇ. આનંદ બક્ષી અને રોશને ‘દેવર’માં યાદગાર ગીતો આપ્યાં હતાં. સાંઠનો દાયકો રોશન અને તેમના સંગીત માટે સુવર્ણ દાયકો નીવડ્યો. લોક સંગીતને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને મેળવીને બનેલા તેમના ગીતોએ ધૂમ મચાવી. ‘ન તો કારવાં કી તલાશ હૈ’ કે ‘ઝીંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત’ જેવા ગીતો તેમણે ‘બરસાત કી રાત’માં આપ્યાં. તો ‘અબ ક્યા મિસાલ દુ મૈ તુમ્હારે શબાબ કા’ (આરતી) કે ‘જો વાદા કિયા વો’ (તાજમહાલ) કે ‘નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ’ અને ‘લાગા ચુનરી મેં દાગ’ (દિલ હી તો હૈ)માં કે ‘સંસાર સે ભાગે ફિરતે હો’ (ચિત્રલેખા) કે ‘ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં’ (અનોખી રાત) જેવી યાદગાર રચનાઓ રોશન સાહેબે આપી હતી.
રોશને ‘મમતા’ માટે મજરૂહના ગીતો પર લતાજી ને કંઠે ‘રેહતે થે કભી જિનકે દિલ મેં’ કે ‘રહે ન રહે હમ’ કે ‘છુપા લો યું દિલ મેં પ્યાર’ હેમંત કુમાર –લતા જેવાં યાદગાર ગીતો આપ્યાં. ‘દેવર’ના યાદગાર ગીતો કહેતાં હતાં, ‘આયા હૈ મુઝે ફિર યાદ વો જાલિમ’, કે ‘બહારોં ને મેરા ચમન લૂંટ કર’ કે ‘દુનિયા મૈ ઐસા કહાં સબકા નસીબ હૈ’ જેવાં ગીતો રોશનની કમાલ હતી.
રોશન કવ્વાલીના નિષ્ણાંત ગણાયા. ‘નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ’ કે ‘ન ખંજર ઉઠેગા ના તલવાર તુમસે, યે બાઝૂ મેરે આઝમાયે હુએ હૈ’ જેવી રચનાઓ તેમણે આપી હતી.
જીવનના છેલ્લા વીસ વર્ષો સુધી સંગીતકાર રોશન હૃદય રોગથી સખત પીડાયા હતા. અતે ૧૬ નવેમ્બર, ૧૯૬૭ના રોજ માત્ર ૫૦ વર્ષની ઉમરે રોશન હૃદય રોગના હુમલા સામે હારી ગયા. તેમની પાછળ પત્ની, બે દીકરા અને બે દીકરીઓ મુકીને ચાલી નીકળ્યા. આ તો તેમનું પરિવાર, બાકી તેમના ચાહકોના વિશાળ પરિવારને તેઓ વિલાપ કરતાં મૂકી ગયા.
સંગીતકાર રોશનના જાણીતા ગીતો: બડે અરમાન સે રખા થા બલમ – મલ્હાર, ખયાલો મેં કિસી કે – બાવરે નૈન, જો વાદા કિયા વો નિભાના પડેગા – તાજમહાલ, રહે ન રહે હમ, છુપા લો યું દિલ મે – મમતા, આયા હૈ મુઝે ફિર યાદ વો જાલિમ, બહારોં ને મેરા ચમન લૂંટ કર, દુનિયા મે ઐસા કહાં સબ કા નસીબ હૈ – દેવર, ના તો કારવાં કી તલાશ હૈ, ઝીંદગીભર નહીં ભૂલેગી – બરસાત કી રાત, લાગ ચુનરી મેં દાગ – દિલ હિ તો હૈ, કભી તો મિલેગી કહીં તો મિલેગી – આરતી, દિલ જો ન કેહ સકા – ભીગી રાત, હમ ઇન્તઝાર કરેંગે – બહુ બેગમ, ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં – અનોખી રાત.
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી. આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person

Leave a comment

Filed under પ્રકીર્ણ

એક મઝાની યાદ.. કુમકુમ, ટુનટુન અને બાબુ ઉમરાવ

એક મઝાની યાદ..
કુમકુમ, ટુનટુન અને બાબુ ઉમરાવ
વર્ષો પહેલાંની વાત છે. રંગઉપવન, સુરતમાં ફિલ્મી સિતારાઓ સાથેની સંગીત સંધ્યા યોજાઈ હતી. હાસ્ય કલાકાર મેડમ ટુનટુન તેમાં મુખ્ય મહેમાન હતાં. તેઓ હાર્મોનિયમ પર ‘અફસાના લીખ રહી હું – દર્દ’ રજુ કરવાના હતાં, તેમને તબલા પર સંગત માટે આપણા મિત્ર બાબુભાઈ ઉમરાવ (જાણીતી ઉમરાવ બેકરી)ની પસંદગી થઈ. મંચ પર અડધો કલાક સુધી ધમ્માલ મચાવતા ટુનટુન જી એ બાબુભાઈ સાથે ખુબ મસ્તી કરી હતી. મંચ પર હાજર કુમકુમ જી (જેમને બે દિવસ પહેલાં જ આપણે કાયમ માટે ગુમાવી દીધાં તે)ને ટુનટુન જી એ વારંવાર કહેલું, ‘કુમકુમ યે લડકે કો લાઈન મત મારના, વો મેરા યાર હૈ.’ બિચ્ચારા બાબુભાઈ તો પાણી પાણી.. ઢોલકના તાલ ચુકી જાય તેવી હાલતમાં મુકાઈ ગયેલા.
યાદ રહ જાતી હૈ, ઔર વક્ત ગુજર જાતા હૈ..
Image may contain: 3 people, people sitting, table and indoor

Leave a comment

Filed under પ્રકીર્ણ

ગીતકાર આનંદ બક્ષી

યામિનીબહેન લેખન, કાવ્ય, ગીત, ગઝલ, ટૂંકીવાર્તા, નવલિકા, લઘુનવલ, સ્ક્રિપ્ટ લેખન ક્ષેત્રે કાર્યરત છે. નાનપણથી જ ઘરમાં સંગીતનું વાતાવરણ. નાનીમા ગરબા સરસ ગાય એટલે લય પહેલેથી ઘૂંટાતો ગયો હતો. ૨૦૦૨થી તેઓ કવિતા-ગઝલ લખે છે. સ્ત્રી ભ્રૂણહત્યા જેવી ગંભીર સામાજિક સમસ્યા આધારિત એમના નાટક ‘જરા થોભો’એ ૩૫૦થી ય વધુ પ્રયોગ કરી જાગૃતિ ફેલાવી છે. રાજ્ય તેમ જ મુંબઈની ભવન્સમાં વ્યક્તિગત રીતે અભિનયનાં અનેક પારિતોષિકો મેળવી તેઓ ગૌરવાન્વિત થયાં છે.
અભિનય અને પ્રસ્તુતિ સાથે પ્રત્યક્ષ સંકળાયેલાં હોવાથી એમનું નાટ્યલેખન ખાસ્સી મંચન સભાનતા દાખવે છે. વિશ્વની તમામ નારીને ‘નમન’ માટેના વિશેષ વીડિયોમાં યામિનીબહેનનું ગીત લેવાયું છે. આમ, સર્જનનાં અનેક ક્ષેત્રે ખેડાણ કરી ચૂકેલાં યામિની વ્યાસનાં ગીતો તક મળે તો જરૂર સાંભળજો. — with
Shaunak Pandya

.
સદાબહાર ગીતકાર આનંદ બક્ષી
હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર આનંદ બક્ષીનો ૯૦ મો જન્મ દિન. ૨૧ જુલાઈ, ૧૯૩૦ના રોજ આજના પાકિસ્તાનના રાવલપિંડીમાં તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ બખ્શી આનંદ પ્રકાશ વૈદ હતું. તેમના પૂર્વજો મૂળ કાશ્મીરના હતાં, તેઓ રાવલપિંડી પાસેના કુર્રીના મોહયાલ બ્રાહ્મણ પરિવારના હતા. આનંદ પાંચ વર્ષના હતા ત્યારે તેમના માતા સુમિત્રાનું નિધન થયું હતું. દેશના ભાગલા પછી તેમનું પરિવાર ડાકોટા વિમાન દ્વારા દિલ્હી આવીને વસ્યું. ત્યારે આનંદ ૧૭ વર્ષના હતા. ત્યાંથી તેઓ પહેલાં પુણે, પછી મિરત અને અંતે દિલ્હીમાં જ વસ્યા. બચપણથી બક્ષીને કવિતા કરવાનો શોખ હતો. ૧૯૮૩માં દૂરદર્શનની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તેઓ અભ્યાસ બાદ ભારતીય સેનામાં જોડાયા હતા. જ્યાં સમય ન મળતાં તેઓ ઓછું લખતા હતા. તેઓ થોડા વર્ષ સેનામાં રહીને ત્યાંથી જ તેમના ગીતો મુંબઈની ફિલ્મોમાં આવે તેવું કરતા રહ્યા. પછી ૧૯૫૬માં ગાયક કે ગીતકાર કે સંગીતકાર બનવા મુંબઈ આવ્યા. જેમાંથી તેઓ સફળ ગીતકાર બન્યા. બ્રીજ મોહનની ફિલ્મ ‘ભલા આદમી’ (૧૯૫૮)થી શરૂઆત કરી, જેમાં ભગવાન દાદા હતા. વધુ થોડી ફિલ્મોમાં લખ્યાં બાદ કલ્યાણજી આનંદજીની ‘મેંહદી લગી મેરે હાથ’માં સફળતા મળી. ‘કાલા સમંદર’ ની કવ્વાલી ‘મેરી તસ્વીર લેકર ક્યા કરોગે’માં તેમનું નામ થયું. પણ ‘હિમાલય કી ગોદ મેં’માં જબ્બર સફળતા મળી. તરત ‘જબ જબ ફૂલ ખિલે’ આવી, પછી સુપર હીટ ‘મિલન’ આવી. બસ, અહીંથી આનંદ બક્ષી એવાં જામી ગયાં કે તેમણે ૬૩૮ ફિલ્મોમાં ૩,૫૦૦થી વધુ ગીતો લખ્યાં. ‘મોમ કી ગુડિયા’ (૧૯૮૨) જેમાં તેમણે ‘બાગો મેં બહાર આઈ’ ગીત લતાજી સાથે લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતમાં ગાયું પણ હતું.
તેમણે એટલો લાંબો સમય અને સંખ્યામાં ગીતો લખ્યાં કે ગાયકો અને સંગીતકારોની બે પેઢી સાથે તેમણે કામ કર્યું. કિશોર કુમારથી કુમાર સાનુ અને શમશાદ બેગમથી કવિતા કૃષ્ણમુર્થી સહિતના ગાયકોએ તેમના ગીતો ગાયા. તેઓ જે ફિલ્મોના ગીતો માટે યાદ કરાશે તેમાં ‘હિમાલય કી ગોદ મેં’, ‘દેવર’, ‘આસરા’, ‘જબ જબ ફૂલ ખિલે’, ‘મિલન’, ‘દો રાસ્તે’, ‘આરાધના’, ‘અમર પ્રેમ’, ‘હરે રામ હરે કૃષ્ણ’, ‘મૈ તુલસી તેરે આંગન કી’, ‘સીતા ઔર ગીતા’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘રોટી’, ‘જીને કી રાહ’, ‘આન મિલો સજના’, ‘શરાફત’, ‘ખિલૌના’, ‘મર્યાદા’, ‘કટી પતંગ’, ‘રાજા ઔર રંક’, ‘ફર્ઝ’, ‘લોફર’, ‘પિયા કા ઘર’, ‘અપના દેશ’, ‘આપકી કસમ’, ‘બોબી’, ‘મૈ સુંદર હું’, ‘અમર અકબર એન્થની’, ‘ધરમ વીર’, ‘શાલીમાર’, ‘સત્યમ શિવમ સુન્દરમ’, ‘જુલી’, ‘જવાની દીવાની’, ‘દોસ્તાના’, ‘હીરો’, ‘તકદીર’, ‘લવ સ્ટોરી’, ‘અવતાર’, ‘આશા’, ‘મિ. નટવરલાલ’, ‘સરગમ’, ‘જાનેમન’, ‘જુદાઈ’, ‘નમક હરામ’, ‘જીવન મૃત્યુ’, ‘શોલે’, ‘શાન’, ‘શક્તિ’, ‘સચ્ચા જુઠા’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ને યાદ કરી શકાય. પણ ત્યાર બાદની ‘પરદેશ’, ‘દુશ્મન’, ‘તાલ’, ‘મોહબ્બતેં’, ‘ગદર: એક પ્રેમ કથા’ કે ‘યાદેં’માં પણ તેમના ગીતો હતાં.
આનંદ બક્ષીએ લક્ષ્મીકાંત પ્યારેલાલ માટે ૩૦૨, રાહુલદેવ બર્મન માટે ૯૯, કલ્યાણજી આનંદજી માટે ૩૨, અનુ મલિક માટે ૨૪, રાજેશ રોશન માટે ૧૩, સચિન દેવ બર્મન માટે ૧૩, આનંદ મિલિન્દ માટે ૮, રોશન માટે ૭, જતીન લલિત માટે ૭, એસ. મોહિન્દર માટે ૭, ભપ્પી લાહિરી માટે ૮, વિજુ શાહ માટે ૮, એન. દત્તા માટે ૬, શિવ હરિ માટે ૫, ઉત્તમ સિંઘ માટે ૬, એ.આર. રેહમાન માટે ૩, રવીન્દ્ર જૈન માટે ૩, ઉષા ખન્ના માટે ૩, ચિત્રગુપ્ત માટે બે ફિલ્મોમાં ગીતો લખ્યાં હતા. તે ઉપરાંત અન્ય અનેક સંગીતકારો સાથે તેઓ ગીતકાર રૂપે જોડાયા હતા.
જે નિર્દેશકોની ફિલ્મોમાં આનંદ બક્ષીએ સૌથી વધુ ગીતો લખ્યાં તેમાં ટી. રામા રાવની ૨૩ ફિલ્મો, રાજ ખોસલાની ૨૧, સુભાષ ઘાઈની ૧૫, શક્તિ સામંતની ૧૪, કે. બાપૈયાની ૧૦, મહેશ ભટ્ટની ૧૦, પ્રમોદ ચક્રવર્તીની ૧૦, દુલાલ ગુહાની ૯, રવિ નાગાઈચની ૮, મોહન કુમારની ૮, મનમોહન દેસાઈની ૮, જે. ઓમપ્રકાશની ૮, યશ ચોપ્રાની ૮, રાહુલ રવૈલની ૮, હૃષીકેશ મુખર્જીની ૫, રામાનંદ સાગરની ૫, આસિત સેનની ૪, રાજકુમાર કોહલીની ૪, તથા એલ.વી.પ્રસાદ કે દેવ આનંદની ત્રણ ત્રણ ફિલ્મોમાં ગીતો લખ્યાં હતા.
આનંદ બક્ષીના ૪૦ ગીતોને ફિલ્મફેરના શ્રેષ્ઠ ગીત રૂપે નામાંકન મળ્યાં હતાં, જેમાંથી ચારને એવોર્ડ મળ્યાં હતાં. એ ગીતો હતાં, ‘આદમી મુસાફિર હૈ (અપનાપન), તેરે મેરે બીચ મેં કૈસા હૈ (એક દુજે કે લિયે), તુજે દેખા તો યે (દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે) અને ઈશ્ક બિના ક્યા જીના યારો (તાલ).
પાછલી ઉમરમાં બક્ષી સાહેબને હૃદય અને ફેફસાંની બીમારી થઇ હતી. તેઓ આજીવન સિગરેટ પીતા રહ્યા તેનું તે ફળ હતું. ૨૦૦૨ના માર્ચમાં તેમને બેક્ટેરિયાનો ચેપ લાગ્યો, મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં નાનું ઓપરેશન થયું, અને મલ્ટીપલ ઓર્ગન ફેલીયોરના કારણે ૩૦ માર્ચ ૨૦૦૨ના રોજ ૭૨ વર્ષની વયે તેમનું નિધન થયું. ત્યારે તેમના ગીતોવાળી છેલ્લી ફિલ્મ ‘મેહબૂબા’ રજૂ થઇ હતી.
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી. આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત.
Image may contain: 1 person, closeup
 
 
 
 
 
 
 

Leave a comment

Filed under પ્રકીર્ણ

+અલબેલા માસ્ટર ભગવાન

અલબેલા અભિનેતા માસ્ટર ભગવાન
હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા ભગવાન દાદાનો જન્મ ૧ ઓગસ્ટ, ૧૯૧૩ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ લાંબો સમય અભિનેતા રહ્યા અને ફિલ્મો નિર્દેશિત પણ કરી. તેઓ તેમની ૧૯૫૧ની ફિલ્મ ‘અલબેલા’થી સૌથી વધુ યાદ રહેશે.
ભગવાન અભાજી પાલવ નામે તેઓ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ૧૯૧૩માં જન્મ્યા હતા. પિતા ટેકસટાઇલ મિલના કારીગર હતા. ભગવાને પણ મજુર રૂપે કામ કર્યું, ત્યારે તેમણે ફિલ્મોના સપના જોયા હતાં. થોડી મૂંગી ફિલ્મોમાં કામ કરવાનું મળ્યું ત્યારથી જાણે સ્ટુડીઓ જ તેમના ઘર બન્યાં. તેઓ ફિલ્મ બનાવવાની કળા શીખ્યા અને ઓછામાં ઓછા ખર્ચે ફિલ્મો બનાવતા. તેઓ અભિનય ઉપરાંત બધું જ કરતા, કલાકારોના ડ્રેસ પણ ડીઝાઈન કરતા અને તેમના ખાવાની પણ જાતે વ્યવસ્થા કરતા તેઓ માત્ર રૂ. ૬૫,૦૦૦ માં આખી ફિલ્મ બનાવતા. તેમનો અખાડાનો શોખ તેમને મૂંગી ફિલ્મોમાં કામ આપવી ગયો. ‘ક્રિમીનલ’ નામની ફિલ્મમાં તેમને પહેલી તક મળી હતી.
સહદિગ્દર્શક રૂપે તેમણે ૧૯૩૮માં પવાર સાથે ‘બહાદુર કિસન’ ફિલ્મ કરી. ત્યારથી ૧૯૪૯ સુધી તેઓ શ્રેણીબંધ લો બજેટ ફિલ્મો કરતા રહ્યા. જેના મુખ્ય વિષય સ્ટંટ અને એક્શન ફિલ્મો રહેતા. એ ફિલ્મો મજુર વર્ગનું મનોરંજન કરતી. તેઓ આમ આદમીની ભૂમિકામાં વધુ જોવા મળતા. એ સમયની તેમની નોંધપાત્ર ફિલ્મ ૧૯૪૧ની ‘વન મોહિની’ હતી જેમાં એમ.કે. રાધા અને શ્રીલંકાની અભિનેત્રી થાવામનીદેવી અભિનય કરતા હતાં.
૧૯૪૨માં શૂટિંગ દરમિયાન એક કમનસીબ ઘટના બની હતી. એક દ્રશ્યમાં ભગવાન દાદાએ અભિનેત્રી લલિતા પવારને તમાચો મારવાનો હતો. દાદાએ ભૂલથી એવો જોરદાર તમાચો માર્યો કે લલિતા પવારની ડાબી આંખની નસ ફાટી ગઈ અને તેમનો અડધો ચેહરો લકવાગ્રસ્ત થઇ ગયો હતો. ત્રણ વર્ષની સારવાર બાદ લલિતાજીની ડાબી આંખ તો ક્ષતિગ્રસ્ત જ રહી. પછી તેમણે એવી આંખથી જીવનભર અભિનય કરવો પડ્યો.
૧૯૪૨માં ભગવાન દાદા નિર્માતા બન્યાં અને જાગૃતિ પિક્ચર્સના નેજા હેઠળ ફિલ્મો બનાવી. ૧૯૪૭માં તો તેઓ ચેમ્બુરમાં જાગૃતિ સ્ટુડીઓના માલિક હતા. રાજ કપૂરની સલાહથી ૧૯૫૧માં ભગવાન દાદાએ ‘અલબેલા’ બનાવી હતી. જેમાં ભગવાન સાથે ગીતા બાલી હતાં અને સી. રામચંદ્રના ગીતોએ ધૂમ મચાવી. ‘અલબેલા’ને કદી કોઈએ ન ધારી હોય તેવી સફળતા મળી હતી. તેના ‘શોલા જો ભડકે’ કે ‘ભોલી સુરત દિલ કે ખોટે’ ગીતો આજે પણ લોકપ્રિય છે. એ સમયે તેઓ કેટલું કમાયા હશે તેની કલ્પના એ રીતે થઇ શકે કે તેમનો દરિયા કિનારે ૨૫ રૂમનો બંગલો અને રોજની એક કાર વાપરી શકાય તે હિસાબે સાત કાર તેમની પાસે હતી.
‘અલબેલા’ બાદ માસ્ટર ભગવાને ગીતા બાલી અને સી. રામચંદ્ર સાથે ૧૯૫૩માં ‘ઝમેલા’માં ‘અલબેલા’ની સફળતા દોહરાવવાનો પ્રયાસ કર્યો, પણ તે બની શક્યું નહીં. ત્યાર બાદ ‘લા-બેલા’ બનાવીને ફરી પ્રયાસ કર્યો પણ તે પણ નિષ્ફળ ગયો. પછી ફિલ્મો સતત નિષ્ફળ જતા તેમણે અભિનયને બદલે માત્ર નિર્માણ-નિર્દેશન કરી જોયું પણ નિષ્ફળતા જ મળી. બંગલો અને કાર વેચાઈ ગયાં.
હવે ભગવાન દાદા જે મળે તે ભૂમિકા ભજવવા માટે મજબુર બન્યા હતા. પણ ‘ઝનક ઝનક પાયલ બાજે’ અને ‘ચોરી ચોરી’ સિવાય તેમની કોઈ ભૂમિકા નોંધપાત્ર રહી નહીં. તેઓ મંચ પર પોતાના ‘અલબેલા’ના નૃત્યો કરતા પણ જોવાયા. તેમની એ નૃત્ય શૈલીને અમિતાભ બચ્ચાને અપનાવી અને ન ધરેલી સફળતા અમિતાભ મેળવતા રહ્યા.
દુનિયા અને ફિલ્મ ઉદ્યોગમાં બનતું આવે છે તેમ ભગવાન દાદાની સફળતાના લગભગ તમામ સાથીઓ તેમને છોડીને જતા રહ્યાં. હવે દાદા મુંબઈની ચાલીમાં રહેતા હતા. તેઓ ઘણીવાર એકસ્ટ્રા કલાકાર રૂપે દેખાતા હતા. જોકે સી. રામચંદ્ર, ઓમ પ્રકાશ કે ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ ભગવાન દાદાને ચાલીમાં પણ મળવા જતાં.
૨૦૦૨ની ચોથી ફેબ્રુઆરીએ તેમના દાદરના ઘરમાં જ હૃદય રોગના ભારે હુમલામાં ભગવાન દાદા ૮૮ વર્ષની વયે આ જગત છોડી ગયા.
ભગવાન દાદાના આ ચડતી-પડતી ભર્યા જીવન આધારિત એક મરાઠી ફિલ્મ ‘એક અલબેલા’ બની જેમાં ભગવાન રૂપે મંગેશ દેસાઈ અને ગીતા બાલી રૂપે વિદ્યા બાલને અભિનય કર્યો છે.
ભગવાન દાદાની ફિલ્મ ‘અલબેલા’માં ‘શોલા જો ભડકે’, ‘શામ ઢલે ખિડકી તલે’, ‘ભોલી સુરત દિલ કે ખોટે’, ‘દીવાના પરવાના’, ‘ધીરે સે આજા રે અખિયન મેં’, ‘દીવાના આ ગયા’, ‘તેરી યાદને મારા’ (ગાયકો: લતાજી અને ચિતલકર), તે ઉપરાંત લતાજીના ‘બલમાં નાદાન હૈ’, ‘દેવતા માના ઔર પૂજા’, અને ચિતલકરે ગયેલા સોલો ‘કિસ્મત કી હવા કભી નરમ કભી ગરમ’ અને ‘હસીનો સે મોહબ્બત કા બુરા અંજામ’ મળી કુલ ૧૨ ગીતો હતાં. જેના ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ અને સંગીતકાર ચિતલકર યાને સી. રામચંદ્ર હતા.
‘ઓગસ્ટના સિતારા: નરેશ કાપડીઆ’ – પુસ્તકમાંથી – આભાર શુભ સાહિત્ય
 
 
Image may contain: 1 person, standing, tree and outdoor

Leave a comment

Filed under પ્રકીર્ણ

સુરીલા સંગીતકાર જયદેવની જન્મ શતાબ્દી*

સુરીલા સંગીતકાર જયદેવની જન્મ શતાબ્દી*
હિન્દી ફિલ્મોના અત્યંત સુરીલા સંગીતકાર જયદેવ વર્મા હોત તો આજે ૧૦૧ મો જન્મ દિન ઉજવતે. ૩ ઓગસ્ટ, ૧૯૧૯ના રોજ કેન્યાના નૈરોબીમાં તેમનો જન્મ. ખુબ ઓછું પણ ખુબ ગણવત્તાવાળું કામ કરનાર જયદેવજી પહેલાં એવાં સંગીતકાર હતા જેમને ત્રણ નેશનલ એવોર્ડ્સ એમની ફિલ્મો ‘રેશમા ઔર શેરા’, ‘ગમન’ અને ‘અનકહી’ માટે મળ્યાં હતાં. ‘પ્રેમ પર્વત’, ‘પરિણય’, ‘આલાપ’, ‘ઘરોંદા’, ‘તુમ્હારે લિયે’ કે ‘દૂરિયાં’ ના ગીતો માટે પણ જયદેવજીને યાદ કરાશે.
કેન્યામાં જન્મીને લુધિયાણામાં મોટા થયેલાં જયદેવ ૧૫ વર્ષની ઉમરે ઘરેથી મુંબઈ એટલાં માટે ભાગી ગયેલા કે એમને ફિલ્મ સ્ટાર બનવું હતું. અરે, વાડિયા ફિલ્મ્સની આઠ ફિલ્મોમાં તો તેમણે બાળ કલાકાર તરીકે અભિનય પણ કર્યો હતો. વતનમાં પ્રો. બરકત રાય અને મુંબઈમાં કૃષ્ણરાવ જાવકર અને જનાર્દન જાવકર પાસે સંગીત શીખ્યા. કમનસીબે, તેમના પિતાજી અંધ થઇ ગયા અને જયદેવે ફિલ્મ કારકિર્દી છોડીને યુવાવયે પરિવારનો ભાર ખભે લેવા વતન પરત થવું પડ્યું. પિતાજીનું મૃત્યુ થયા પછી બેન વેદ કુમારીને મોટી કરી તેમના લગ્ન સતપાલ વર્મા સાથે કરાવીને જયદેવ લખનઉ ગયા અને અલી અકબર ખાન સાહેબના શાગીર્દ બન્યા.
અલી અકબર ખાન સાહેબે ચેતન આનંદની ‘આંધિયાં’ અને ‘હમ સફર’ ફિલ્મોના સંગીત દરમિયાન જયદેવને સહાયક બનાવ્યા હતા. પછી ‘ટેક્સી ડ્રાઈવર’, ‘ચલતી કા નામ ગાડી’ અને ‘લાજવંતી’માં જયદેવ સચિનદેવ બર્મનના સહાયક બન્યા. પછી ચેતન આનંદે તેમને ‘જોરુ કા ભાઈ’ અને ‘અંજલિ’ ફિલ્મના મુખ્ય સંગીતકાર બનાવ્યા, જે સફળ બની. ત્યાર પછી આવી ૧૯૬૧ની ‘હમ દોનો’ અને જયદેવનો ડંકો વાગી ગયો. એ ફિલ્મના તમામ ગીતો લોકપ્રિય થયા. રફી, આશા અને લતાજી પાસે તેમણે સાહિર લુધિયાનવીના ગીતો ગવડાવ્યાં. દેવ આનંદ માટેના રફી સાહેબના બે યાદગાર સોલો ‘મૈ ઝીંદગી કા સાથ નિભાતા ચલા ગયા’ અને ‘કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા’ આપણને અહીં મળ્યાં. તો રફી-આશાના ‘અભી ના જાઓ છોડ કર’ અને ‘અધૂરી આશ-પ્યાસ છોડકર’ જેવા યુગલ ગીતો અને આશાજીનું સોલો ગીત ‘જહાં મેં ઐસા કૌન હૈ’ અને લતાજીના બે સોલો ગીતો ‘અલ્લા તેરો નામ’ અને ‘પ્રભુ તેરો નામ’ જેવી યાદગાર રચનાઓ જયદેવે ‘હમ દોનો’માં આપી હતી.
સુનીલ દત્તની ફિલ્મ ‘મુઝે જીને દો’ (૧૯૬૩)માં પણ સાહિર સાહેબના ગીતોને જયદેવે સ્વરબદ્ધ કર્યા હતાં. તેમાં આશાજી ગાતા હતાં, ‘નદી નારે ના જાઓ સામ પહિયા પડું’, તો રફી સાહેબ ગાતા હતા ‘અબ કોઈ ગુલશન ન ઉજડે અબ વતન આઝાદ હૈ’ પણ લતાજીનું વહીદા રેહમાન માટેનું નૃત્ય ગીત ‘રાત ભી હૈ કુછ ભીગી ભીગી’ તો યાદગાર બન્યું.
મુઝફ્ફર અલીની ૧૯૭૮ની યાદગાર ફિલ્મ ‘ગમન’ માટે જયદેવે સહરયાર અને મકદૂમ મોહ્યુદ્દીનની યાદગાર રચનાઓ સ્વરબદ્ધ કરીને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મેળવ્યો હતો. જેમાં ‘આપ કી યાદ આતી રહી રાતભર’ ગાવા માટે છાયા ગાંગુલીને પણ શ્રેષ્ઠ ગાયિકાનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. સુરેશ વાડકરે ગાયેલું ‘સિને મેં જલન આંખો મેં તુફાન સા કયું હૈ’ અને હરીહરનનું ‘અજીબ સનેહા મુજ પર ગુજર ગયા’ ખુબ સારા હતાં તો હીરા દેવી મિશ્રાએ ગયેલી ઠુમરી ‘રસ કે ભરે તોરે નૈન’ પણ યાદગાર રહી. અમોલ પાલેકરની ‘અનકહી’ (૧૯૮૫)માં જયદેવે પંડિત ભીમસેન જોષી પાસે ભજન ગવડાવ્યાં, ‘ઠુમક ઠુમક પગ કુમળ’ અને ‘રઘુવર તુમ તો મેરી લાજ’ બહુ સુંદર બન્યાં, તો દીપ્તિ નવલ માટે આશાજીએ પણ બે ભજન ગાયા, ‘મુજકો ભી રાધા બના લે નંદલાલ’ અને ‘કૌનો ઠગવા નંદલાલ’. ‘અનકહી’ માટે જયદેવજીને શ્રેષ્ઠ સંગીતનો નેશનલ એવોર્ડ મળ્યો. તેજ રીતે અમદાવાદમાં શૂટ થયેલી સુંદર ફિલ્મ ‘પરિણય’માં શર્મા બંધુઓ પાસે જયદેવે યાદગાર ભજન ગવડાવ્યું, ‘જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તનકો મીલ જાયે તરુવર કી છાયા’.
જયદેવની ઘણી ફિલ્મો સફળ થઇ નહોતી પણ તેમના સંગીત નાવીન્યને કારણે ‘આલાપ’, ‘કિનારે કિનારે’ કે ‘અનકહી’ યાદગાર બની. પારંપરિક સંગીતને લોક સંગીત સાથે ભેળવીને તેઓ કસબ કરતા. હરિવંશરાયની કવિતા ‘મધુશાલા’ના મન્ના ડે એ ગયેલા આલબમ માટે જયદેવને ખ્યાતિ મળી. જયદેવ લતાજીના પણ માનીતા સંગીતકાર રહ્યા.
જયદેવે લગ્ન નહોતા કર્યા. પોતાની બેનના પરિવાર સાથે જ રહ્યા. પોતાના અંતીમ કાર્ય રૂપે ટીવી શ્રેણી ‘રામાયણ’નું સંગીત તેમણે આપ્યું હતું. ૬ જાન્યુઆરી, ૧૯૮૭ના રોજ ૬૭ વર્ષની વયે મુંબઈમાં તેમનું નિધન થયું હતું.
જયદેવના યાદગાર ગીતો:
અલ્લા તેરો નામ, કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા, અભી ના જાઓ છોડ કે (હમ દોનો), રાત ભી હૈ કુછ ભીગી ભીગી (મુઝે જીને દો), રઘુવર તુમ તો મેરી લાજ (અનકહી), તૂ ચંદા મૈ ચાંદની (રેશમા ઔર શેરા), આપ કી યાદ આતી રહી રાતભર (ગમન), જૈસે સૂરજ કી ગરમી સે (પરિણય), યે દિલ ઔર ઉનકી (પ્રેમ પર્વત), એક અકેલા ઇસ શહર મેં (ઘરોંદા), ચાંદ અકેલા (આલાપ).
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકનો અંશ. આભાર શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under પ્રકીર્ણ

હિન્દી ફિલ્મોના શ્રેષ્ઠ દિગ્દર્શક બિમલ રોય

હિન્દી ફિલ્મોના શ્રેષ્ઠ દિગ્દર્શક બિમલ રોય
મહાન અને શ્રેષ્ઠ ફિલ્મ નિર્દેશક બિમલ રોયનો ૧૧૧ મો જન્મ દિન. ૧૨ જુલાઈ, ૧૯૦૯ના રોજ તેમનો જન્મ થયો હતો. પોતાની કલાત્મક, સાહજીક અને સામાજિક રીતે સાર્થક ફિલ્મ દ્વારા તેમણે સિનેમાના માધ્યમનો એટલો સુંદર વિનિયોગ કર્યો કે બિમલદા સહજ રીતે શ્રેષ્ઠ નિર્દેશક રૂપે જોવાવા માંડ્યા. ‘દો બિઘા જમીન’, ‘પરિણીતા’, ‘બિરાજ બહુ’, ‘મધુમતિ’, ‘સુજાતા’ કે ‘બંદિની’ને કોણ ભૂલી શકે? ઇટલીની નીઓ-રીઆલિસ્ટિક ફિલ્મ પ્રકારના નિર્દેશક વિટ્ટોરીઓ દ સિક્કાની ‘બાઈસિકલ થીવ્સ’ (૧૯૪૮)થી પ્રેરિત થઈને બિમલદાએ ‘દો બિઘા જમીન’ જેવી ક્લાસિક ફિલ્મ બનાવી હતી. પોતાની ફિલ્મોના દરેક દ્રશ્યોને બિમલદા કલાત્મક રીતે રજૂ કરતા. તે આબેહુબ લાગતું. ખાસ તો દર્શકોને તે ગમી જતું. પરિણામે બિમલ રોયને તેમની આખી કરિયર દરમિયાન સંખ્યાબંધ એવોર્ડ્સ મળતાં રહ્યાં. જેમાં બે નેશનલ એવોર્ડ્સ અને ૧૧ ફિલ્મફેર એવોર્ડ્સનો સમાવેશ થાય છે. તેમને કેન્સ ફિલ્મ ફેસ્ટીવલનું આંતરરાષ્ટ્રીય પારિતોષિક પણ મળ્યું હતું. તેમની ‘મધુમતિ’ (૧૯૫૮)ને ૯ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં, એ વિક્રમ ૩૭ વર્ષ સુધી અકબંધ રહ્યો હતો.
૧૨ જુલાઈ, ૧૯૦૯ના રોજ આજના બંગલા દેશના ઢાકા જીલ્લાના સાપુર મુકામે તેમનો જન્મ થયો હતો. તેઓ કોલકાતા આવ્યા અને ન્યુ થિયેટર્સના કેમેરામેન રૂપે ફિલ્મ સર્જન તરફ જોડાયા હતા. એ સમયે તેમણે નિર્દેશક પી.સી. બરુઆને કુંદનલાલ સાયગલની ‘દેવદાસ’ (૧૯૩૫) માટે પબ્લીસીટી ફોટોગ્રાફર રૂપે નિર્દેશન સહાય કરી હતી. ચાલીસ અને પચાસના દાયકામાં બિમલદા યુદ્ધ કાળ પછીના સમાંતર સિનેમા આંદોલન સાથે જોડાયા હતા. ન્યુ થિયેટર્સની છેલ્લી મોટી ફિલ્મોમાંની એક એવી ‘અંજાનગઢ’ (૧૯૪૮) તેમણે બનાવી હતી. કોલકાતા આધારિત ફિલ્મોના દિવસો પુરા થઇ રહ્યાં હતાં, હવે બિમલદા ૧૯૫૦માં ટીમ સાથે મુંબઈ આવ્યા. એમની એ ટીમમાં એડિટર હૃષીકેશ મુખર્જી, સિનેલેખક નાબેંદુ ઘોષ, સહાયક નિર્દેશક આસિત સેન, સિનેમેટોગ્રાફર કમલ બોઝ, તો સંગીતકાર સલિલ ચૌધરી સામેલ હતાં. ૧૯૫૨થી બિમલદાએ તેમના કાર્યનો બીજો તબક્કો બોમ્બે ટોકીઝની ‘માં’થી શરૂ કર્યો. તેઓ તેમની રોમાન્ટિક-રીયાલિસ્ટ મેલોડ્રામા શૈલીથી જાણીતા બન્યા. તેમણે મહત્વના સામાજિક મુદ્દાઓ પર ફિલ્મો બનાવી જે મનોરંજક પણ હતી. માનવીય શક્તિઓનો તેમને ઊંડાણપૂર્વકનો અભ્યાસ હતો. તેમનો માન-મોભો હતો, ૧૯૫૯ના પહેલાં મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલની જ્યુરીના બિમલદા સભ્ય હતા.
બિમલ રોયને તેમની જે ફિલ્મો માટે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં, તેમાં ‘દો બિઘા જમીન’ માટે શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ નિર્દેશન, ‘પરિણીતા’ માટે શ્રેષ્ઠ નિર્દેશક, ‘બિરાજ બહુ’ માટે શ્રેષ્ઠ નિર્દેશક, ‘મધુમતિ’ માટે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ નિર્દેશક, ‘સુજાતા’ માટે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ નિર્દેશક, ‘પરખ’ માટે શ્રેષ્ઠ નિર્દેશક, ‘બંદિની’ માટે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ નિર્દેશકનો સમાવેશ થાય છે. તેમને ‘દો બિઘા જમીન’ ‘બિરાજ બહુ’ અને ‘દેવદાસ’ માટે શ્રેષ્ઠ ફિલ્મના નેશનલ સર્ટીફીકેટ મળ્યાં હતાં. ‘મધુમતિ’ માટે શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રપતિ સિલ્વર મેડલ, ‘સુજાતા’ માટે શ્રેષ્ઠ ફિલ્મનું પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.
પોતાની ફિલ્મો માટે બિમલ રોય સામાન્ય રીતે એક ફિલ્મમાં સલિલ ચૌધરી અને પછીની ફિલ્મમાં સચિનદેવ બર્મન એમ બદલ્યા કરતા હતા. એમની ફિલ્મોના ગીતો કર્ણપ્રિય, સુંદર કવિતા સમાન રહેતાં. ટોચના ગાયકો તે ગાતાં.
૮ જાન્યુઆરી, ૧૯૬૬ના રોજ ૫૬ વર્ષની વયે બિમલ રોયનું કેન્સરને કારણે નિધન થયું. તેમને ચાર સંતાનો હતાં. રિંકી ભટ્ટાચાર્ય, યશોધરા રોય, અપરાજીતા સિંહા અને એક માત્ર દીકરો જય રોય. મોટી દીકરી રિંકી બંને પરિવારોની ઈચ્છા વિરુદ્ધ ફિલ્મ નિર્દેશક બાસુ ભટ્ટાચાર્યને પરણી હતી. થોડા વર્ષોમાં એ લગ્ન તૂટયા પણ હતાં. ફિલ્મ તેમનો દીકરાઓ તે અભિનેતા-સીનેલેખક આદિત્ય ભટ્ટાચાર્ય. રિંકીજી હવે બિમલ રોય મેમોરીયલ કમિટીના વડા છે.
બિમલ રોયની અસર લાંબા સમય સુધી ભારતીય અને વિશ્વ સિનેમામાં વર્તાઈ હતી. ભારતમાં તેમની અસર મુખ્ય ધારાની અને સમાંતર ધારાની ફિલ્મો પર હતી. ‘દો બિઘા જમીન’ને કલા અને મનોરંજનના સુંદર મિશ્રણનો પહેલો નમુનો મનાય છે. વિવેચકોએતેને વખાણી તો ટિકિટબારી પર પણ તે સફળ રહી. એ સફળતાને કારણે ભારતીય ફિલ્મોમાં નવી તરાહ ઊભી થઇ. દેશ વિદેશના મોટા ફિલ્મોત્સવોમાં બિમલ રોયની ફિલ્મો દર્શાવાતી રહી. જેમાં યુરોપ અને ઉત્તર અમેરિકાના દેશો/રાજ્યો પણ સામેલ છે. રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલય દ્વારા બિમલદાની ફિલ્મોને ડિજીટલ સ્વરૂપે સંગ્રહવામાં આવી છે. બિમલ રોય મેમોરીયલ ટ્રોફી છેક ૧૯૯૭થી અનુભવી કલાકારોને સન્માન રૂપે અને ભારતીય ફિલ્મોમાં ઉદાત્ત પ્રદાન માટે અપાય છે. તેમની યાદમાં ૨૦૦૭માં ભારતીય ટપાલ વિભાગે ટિકિટ જારી કરી હતી.
બિમલ રોયની ફિલ્મોના જાણીતા ગીતો:
ધરતી કહે પુકાર કે, હરિયાલા સાવન ઢોલ બજાતા આયા – દો બિઘા જમીન, મિતવા લાગી રે યે કૈસી, જિસે તુ કુબુલ કર લે – દેવદાસ, યે મેરા દીવાનાપન હૈ – યહુદી, આજા રે પરદેસી, દિલ તડપ તડપ કે, સુહાના સફર ઔર યે મોસમ, તૂટે હુએ ખ્વાબોં ને – મધુમતી, જલતે હૈ જિસકે લીયે, સુન મેરે બંધુ રે, તુમ જીયો હજારો સાલ – સુજાતા, ઓ સજના બરખા બહાર આઈ – પરખ, મોરા ગોરા અંગ લઇ લે, જોગી જબ સે તું આયા, ઓરે માઝી – બંદિની.
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી. આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત.
Image may contain: 2 people, text that says 'विमल रॉय BIMAL ROY भारत INDIA 500 00'

Leave a comment

Filed under પ્રકીર્ણ

જુબિલી સ્ટાર રાજેન્દ્ર કુમાર

આ.વસંત ઘાસવાળાના હસ્તાક્ષરમાં વહાલના વારસદાર વિશે.
જુબિલી સ્ટાર રાજેન્દ્ર કુમાર
ખુબ સફળ અભિનેતા રાજેન્દ્ર કુમારની ૨૧મી પુણ્યતિથિ. ૧૨ જુલાઈ, ૧૯૯૯ના રોજ ૬૯ વર્ષની વયે મુંબઈમાં તેમનું નિધન થયું હતું. લગભગ ચાર દાયકા સુધી વિસ્તરેલી તેમની ફિલ્મી કારકિર્દીમાં રાજેન્દ્ર કુમારે ૮૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. સાંઠના દાયકામાં તો તેઓ સૌથી સફળ ફિલ્મ અભિનેતા ગણાતા હતા. તેમના દીકરા કુમાર ગૌરવ માટે તેમણે અનેક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. ભારત સરકારે તેમને ૧૯૬૯માં પદ્મશ્રીના ઈલ્કાબથી નવાજ્યા હતા.
૨૦ જુલાઈ, ૧૯૨૯ના રોજ પંજાબના સિયાલકોટમાં પંજાબી હિંદુ પરિવારમાં જન્મેલા રાજેન્દ્ર કુમારના દાદા સફળ મીલીટરી કોન્ટ્રક્ટર હતા, તો તેમના પિતાજી કરાંચીમાં ટેક્સટાઈલના વેપારી હતા. દેશના ભાગલા થતાં તેમના પરિવારે તેમની તમામ જમીન-જાયદાદ છોડીને ભારત આવવું પડ્યું હતું. તેઓ જયારે મુંબઈ આવ્યા ત્યારે રાજેન્દ્ર કુમારે તેમનું નસીબ ફિલ્મોમાં અજમાવવાનું નક્કી કર્યું. તેઓ અભિનેતા બનવા માંગતા નહોતા તેથી તેઓ એચ.એસ. રવૈલના સહાયક નિર્દેશક બન્યા અને પાંચેક વર્ષ કામ કર્યું. ‘પતંગા’, ‘સગાઇ’ કે ‘પોકેટમાર’ જેવી ફિલ્મોના રાજેન્દ્ર કુમાર સહાયક નિર્દેશક હતા. કેદાર શર્માની ‘જોગન’માં દિલીપ કુમાર – નરગિસ સાથે રાજેન્દ્ર કુમારે ભૂમિકા કરી હતી. દેવેન્દ્ર ગોયેલે તે જોઈને રાજેન્દ્ર કુમારને ‘વચન’ (૧૯૫૫)માં મુખ્ય ભૂમિકા આપી હતી. તે માટે રાજેન્દ્રને માત્ર રૂ. ૧૫૦૦ આપવામાં આવ્યા હતા. ફિલ્મ સિલ્વર જુબિલી હીટ થઇ અને રાજેન્દ્ર કુમાર માટે કહેવાયું, ‘એક સિતારાનો જન્મ થઇ ચુક્યો છે’. ‘મધર ઇન્ડિયા’ની સહાયક ભૂમિકામાં પણ તેઓ સફળ થયા. રોમાન્ટિક હીરો રૂપે તેમને પહેલી સફળતા અમિતા સામે ‘ગુંજ ઊઠી શેહનાઈ’માં મળી.
સાંઠના દાયકામાં તેઓ સ્ટાર બન્યા. એકી સમયે તેમની છ થી સાત ફિલ્મો સિલ્વર જુબિલી ઉજવતી હતી અને તેમને ‘જુબિલી કુમાર’નું બિરુદ મળ્યું. તેમની સફળ ફિલ્મોમાં ‘ધૂલ કા ફૂલ’, ‘દિલ એક મંદિર’, ‘મેરે મેહબૂબ’, ‘સંગમ’, ‘આરઝૂ’, ‘સૂરજ’, ‘તલાશ’ કે ‘ગંવાર’ને યાદ કરી શકાય. ‘દિલ એક મંદિર’, ‘આઈ મિલન કી બેલા’ અને ‘આરઝૂ’ના અભિનય માટે રાજેન્દ્ર કુમારને શ્રેષ્ઠ અભિનેતાનું અને ‘સંગમ’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનું ફિલ્મફેર નામાંકન મળ્યું હતું. પણ સિત્તેરના દાયકામાં તેમની ફિલ્મો સફળતાથી દૂર રહેવા માંડી. જોકે નૂતન સાથેની ‘સાજન બિન સુહાગન’ (૧૯૭૮) સફળ રહી હતી. તેમણે અનેક પંજાબી ફિલ્મો પણ કરી હતી.
૧૧ જુલાઈ, ૧૯૬૦ના રોજ જન્મેલા તેમના દીકરા કુમાર ગૌરવને આગળ કરવા માટે રાજેન્દ્ર કુમારે ‘લવ સ્ટોરી’નું નિર્માણ કરી એમાં અભિનય પણ કર્યો. એ ખૂબ સફળ રહી. પછી દીકરા માટે ફિલ્મો બનાવતા રહ્યા. દીકરા કુમારના સાળા સંજય દત્તને પણ સાથે લઇને તેમણે ‘નામ’નું નિર્માણ કર્યું. ફરી ૧૯૯૩માં દીકરા કુમાર ગૌરવ સાથે ‘ફૂલ’ નું નિર્માણ કરી સાથે અભિનય કર્યો. ૧૯૯૫માં ટીવી શ્રેણી ‘અંદાઝ’માં તેમણે અભિનય કર્યો, જે તેમનો અંતીમ અભિનય બની રહ્યો.
રાજેન્દ્ર કુમારે નિર્માતા નિર્દેશક ઓ.પી. રાલ્હનના બેન શુક્લા સાથે લગ્ન કર્યા હતા. તેમને અભિનેતા કુમાર ઉપરાંત બે દીકરીઓ પણ હતી. સુનીલ દત્ત તેમના મિત્ર હતા અને જયારે સુનીલ ચૂંટણી લડતા ત્યારે રાજેન્દ્ર તેમનો પ્રચાર પણ કરતા. જયારે સુનીલ દત્ત તેમના દીકરા સંજય દત્તના કેસમાં ફસાયા હતા અને તેમના ઘરે વારંવાર તપાસ થતી ત્યારે રાજેન્દ્ર સાથે રહેતા અને તપાસ યોગ્ય રીતે થાય તે માટે સુનીલજીને મદદ કરતા. રાજેન્દ્ર કુમાર એક સદગૃહસ્થ અભિનેતા ગણાતા. રાજ કપૂર પણ તેમના ખાસ મિત્ર હતા. રાજેન્દ્રના દીકરાના રાજના દીકરી રીમા સાથે વિવાહ પણ થયા હતા, પણ એ સંબંધ આગળ ન વધ્યા. પછી કુમારે નરગિસ અને સુનીલ દત્તની દીકરી નમ્રતા સાથે લગ્ન કર્યા. રાજેન્દ્ર કુમારે પીએચ.ડી. કર્યું હતું.
રાજેન્દ્ર કુમારને પદ્મશ્રી ઉપરાંત ઓનરરી મેજીસ્ટ્રેટ રૂપે ‘જસ્ટીસ ઓફ પીસ’નો ઈલ્કાબ પણ અપાયો હતો. નહેરુએ રાષ્ટ્રીય સન્માનથી નવાજ્યા હતા. તેઓ અનેક દાન-ધર્મની પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા રહેતા.
અંતે, રાજેન્દ્ર કુમારને કેન્સર થયું હતું. તેમણે કોઈપણ દવા લેવાની ના પાડી અને ૧૨ જુલાઈ, ૧૯૯૯ના રોજ તેમના દીકરા કુમાર ગૌરવના ૩૯માં જન્મ દિનને બીજે દિવસે અને પોતાના ૭૦માં જન્મ દિનના આઠ દિવસ પહેલાં દેહત્યાગ કર્યો હતો.
રાજેન્દ્ર કુમારના જાણીતા ગીતો: યે હવા યે નદી કા કિનારા – ઘર સંસાર, જીવન મે પિયા તેરા સાથ રહે – ગુંજ ઉઠી શેહનાઈ, જો તુમ મુસ્કુરા દો – ધુલ કા ફૂલ, નૈન ચકચૂર છે – મેહંદી રંગ લાગ્યો, તેરી પ્યારી પ્યારી સૂરત કો – સસુરાલ, વફા જિન સે કી – પ્યાર કા સાગર, હુસ્નવાલે તેરા જવાબ નહીં – ઘરાના, તુમ રૂઠી રહો મૈ મનાતા રહું – આસ કા પંછી, મેરે મેહબૂબ તુઝે – મેરે મેહબૂબ, મુજકો અપને ગલે લગા દો – હમરાહી, તુમ્હેં પા કે હમને જહાં પા લિયા હૈ – ગહરા દાગ, યહાં કોઈ નહીં તેરે મેરે સિવા, યાદ ન જાયે – દિલ એક મંદિર, પહલે મિલે થે સપનોં મેં – જિંદગી, યે મેરા પ્રેમપત્ર પઢકર – સંગમ, ઓ સનમ તેરે હો ગયે હમ – આઈ મિલન કી બેલા, છલકે તેરી આંખો સે, એ નરગીસે મસ્તાના – આરઝૂ, બહારો ફૂલ બરસાઓ – સૂરજ, મેરા પ્યાર ભી તું હૈ – સાથી, કૌન હૈ જો સપનોં મે આયા – ઝુક ગયા આસમાન, રીમઝીમ કે ગીત સાવન ગાયે – અંજાના, મેરે મિતવા મેરે મીત રે – ગીત.
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી. આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત.
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under પ્રકીર્ણ