21ST CENTURY!*_

*Phone…..👉Wireless*

*Cooking..👉Fireless*

*Cars……..👉Keyless*

*Food……..👉Fatless*

*Tyres…….👉Tubeless*

*Tools…….👉Cordless*

*Dress……👉Sleeveless*

*Youth……👉Jobless*

*Leaders…👉Shameless*

*Attitude…👉Careless*

*Spouse….👉Fearless*

*Feeling….👉Heartless*

*Education👉Valueless*

*Kids……..👉Mannerless*

*Government👉Useless*

*Parliament👉 Clueless*

*MASSES..👉 HELPLESS*

_*Everything is becoming LESS but still our hope in God is – Endless.*_

In fact I am *Speechless* Because friendship remains *Priceless!!*

*If u don’t share this, the message is worthless!*

Leave a comment

Filed under Uncategorized

પ્રાણ ચિકિત્સા/મા કનકભાઇ અને મા મહેંદ્ર્ભાઈ

પ્રાણ ચિકિત્સા’ તરીકે ઓળખાતી યૌગિક સારવાર પદ્ધતિ ઈમ્યુનિટી વધારી અનેક રોગોનું નિવારણ કરે છે! ‘પ્રાણ ચિકિત્સા’ તરીકે ઓળખાતી યૌગિક સારવાર પદ્ધતિ ઈમ્યુનિટી વધારી અનેક રોગોનું નિવારણ કરે છે!- દેવેશ મહેતાનો સુંદર લેખ

– પ્રાણશક્તિ પર આધારિત ઉપચાર પદ્ધતિને ‘પ્રાણિક હિલિંગ’ કહેવામાં આવે છે. પ્રાણશક્તિનો ઉપયોગ કરી સારવાર આપતી આ પદ્ધતિ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બન્ને પર અસર કરે છે

‘પ્રાણં દેવા અનુપ્રાણન્તિ । મનુષ્યે પરાવશ્ચમે ।

પ્રાણો હિ ભૂકાનામાયુઃ । તસ્માત્સર્વાયુષમુચ્યતે ।

સર્વમેવત આયુર્વન્તિ મે પ્રાણ બ્રાહ્મોપાસતે ।

પ્રાણો હિ ભૂતાનામાયુ : તસ્માત્ સર્વાયુષમુચ્યતે ।

દે વો, મનુષ્ય, પશુ અને બધા પ્રાણીઓ પ્રાણથી અનુપ્રાણિત છે. પ્રાણ જ જીવન છે, એને કારણે જ એને આયુષ્ય કહે છે. આ જાણીને જે પ્રાણ રૂપ બ્રહ્મની ઉપાસના કરે છે તે ચોક્કસપણે પૂર્ણ આયુષ્યને પ્રાપ્ત કરે છે.’  – તૈતરિય  ઉપનિષદ

તૈત્તરીય ઉપનિષદની જેમ છાંદોગ્ય ઉપનિષદમાં કહેવાયું છે – ‘સર્વાણિ હવા ઈમાનિ ભૂતાનિ પ્રાણમેવાભિસંવિશન્તિ પ્રાણમન્યુગ્જિહતે । આ બધા પ્રાણીઓ પ્રાણમાંથી જ ઉત્પન્ન થાય છે અને પ્રાણમાં જ લીન થઇ જાય છે.’ ‘પ્રાણાદ્ધિ ખાલ્વિમાનિ ભૂતાનિ જાયન્તે, પ્રાણેન જાતાનિ જિવન્તિ । પ્રાણથી જ બધા પ્રાણીઓનો ઉદ્ભવ થાય છે અને જન્મ્યા પછી તે પ્રાણથી જ જીવિત રહે છે.’

તૈત્તરીય, છાંદોગ્ય, કૌષીતકિ, બ્રહ્મ ઉપનિષદ જેવા અનેક ઉપનિષદોમાં પ્રાણ શક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે. વેદોમાં એક ઉપાખ્યાન આવે છે જેમાં જિજ્ઞાાસુ બ્રહ્મજ્ઞાાની ઋષિને પૂછે છે- ‘એવી કઇ વસ્તુ છે જેનું જ્ઞાાન થવાથી બાકીની બધી વસ્તુઓનું જ્ઞાાન થઇ જાય છે ?’ એનો જવાબ આપતાં ઋષિ કહે છે- ‘તે પ્રાણ તત્ત્વ જ છે જેને જાણી લીધા પછી કશું જાણવાનું બાકી રહેતું નથી.’

સૃષ્ટિમાં જે ચૈતન્ય દેખાય છે એનું મૂળ કારણ પ્રાણ છે. અનંત સૃષ્ટિ પ્રવાહમાં પ્રાણ તત્ત્વ જ હિલોળા લઇ રહ્યું છે. એ જ સૃષ્ટિના સર્જન અને સ્થિતિનું કારણ છે. સ્થૂળ અને સૂક્ષ્મ બધામાં એની જ અભિવ્યક્તિ છે. પ્રાણ બધાની જીવનશક્તિ છે. એનાથી જ બળ, બુદ્ધિ, ક્રિયા અને સ્વાસ્થ્ય ટકી રહે છે. જેની પ્રાણશક્તિ પ્રવૃદ્ધ હોય એની આ તમામ બાબતો બળવાન હોય છે. પ્રાણશક્તિને પ્રવૃદ્ધ કરવા યોગ સર્વાધિક શક્તિશાળી સાધન છે. યોગની જ એક પ્રક્રિયા પ્રાણાયામ છે જેના થકી પ્રાણ વધારે બળવત્તર બને છે.

માનવ કાયામાં શક્તિનો સુષુપ્ત ભંડાર પડેલો છે. એને પ્રાણ ઊર્જા, જીવન શક્તિ, યોગ-અગ્નિ કે કુંડલિની શક્તિ વગેરે નામોથી ઓળખવામાં આવે છે- જેમ પરમાણુના નાભિક (ન્યૂક્લિઅસ)માં પ્રચંડ શક્તિ ભરેલી પડી હોય છે પણ તે જોઇ શકાતી નથી કે ઉપયોગમાં લઇ શકાતી નથી, ખાસ પ્રક્રિયા પછી જ તેનું નાભિકીય વિખંડન થાય છે ત્યારે જ તે પ્રગટ થાય છે તેમ યોગ્ગાનિ, કુંડલિની મહાશક્તિ પણ દરેક મનુષ્યમાં સુષુપ્તાવસ્થામાં પડેલી હોય છે પણ પ્રાણાયમ અને યોગના પ્રયોગ પછી તે પ્રગટ થાય છે.

કુંડલિનિ જાગરણ માટે પ્રાણશક્તિનો પ્રચંડ આઘાત જરૂરી હોય છે. એના માટે આખા બ્રહ્માંડમાં વ્યાપેલા પ્રાણતત્ત્વને આકર્ષિત કરી પોતાની અંદર પ્રસ્થાપિત કરવું પડે છે. સૂર્યભેદન પ્રાણાયામ આ હેતુ સિદ્ધ કરવા સર્વાધિક સહાયક બને છે. આ પ્રકારના પ્રાણાયામમાં સૂર્યમાંથી પ્રાણ ઊર્જા આકર્ષિત કરી એને ઈડા અને પિંગલા નાડીના માધ્યમથી મૂળાધાર ચક્ર અવસ્થિત ચિનગારી જેવા પ્રસુપ્ત અગ્નિ સુધી પહોંચાડવામાં આવે છે. એ પછી તે પ્રવૃદ્ધ થાય છે એટલે સૂસવાટા મારતા અગ્નિની જ્વાળાઓના રૂપમાં આખા તંત્રને દિવ્ય અગ્નિમય બનાવી દે છે. સૂર્યવેધન પ્રાણાયામની પ્રક્રિયા દરમિયાન આટલી પ્રક્રિયા પૂરી કર્યા બાદ પ્રાણ અગ્નિને સુષુમ્ણા નાડી સ્થિત ધન વિદ્યુત પ્રવાહવાળી પિંગલા નાડીમાંથી પસાર કરી પાછો વાળવામાં આવે છે, તેમાં પ્રવેશ કરતી વખતે અંતરીક્ષ સ્થિત પ્રાણ શીતળ હોય છે. ઋણ ધારાને પણ શીતળ માનવામાં આવે છે. એટલે ‘ઈડા’ને ચંદ્રનાડી કહેવામાં આવે છે, શ્વાસને ડાબા નસકોરામાં અંતર્કુંભક પછી પાછો વાળવામાં આવે છે. પાછા વળતી વખતે અગ્નિ ઉદ્દીપન, પ્રાણ પ્રહારની સંઘર્ષણ પ્રક્રિયાથી ઉષ્ણતા વધે છે અને પ્રાણમાં સંમીલિત થઇ જાય છે. પાછા ફરવાનો પિંગલા માર્ગ ધન વિદ્યુતનું ક્ષેત્ર હોવાથી ઉષ્ણતાનો આવિર્ભાવ કરે છે. પિંગલાને સૂર્યનાડી કહેવામાં આવે છે. આ સૂર્યવેધન પ્રાણાયામની વિશેષતા એ છે કે એમાં ફરીથી જમણા નસકોરાથી સૂર્યનાડી રેચક પ્રકારનો પ્રાણાયામ કરવામાં આવે છે. મૂલાધાર ચક્ર પર પ્રાણ પ્રહાર અને પ્રાણોદ્દીપનની ભાવના સતત કરવી પડે છે. આમ આ પ્રાણાયામ યૌગિક ચક્રોને જાગૃત અને સક્રિય કરવા ખૂબ ઉપયોગી બને છે.

પ્રાણશક્તિ પર આધારિત ઉપચાર પદ્ધતિને ‘પ્રાણિક હિલિંગ’ કહેવામાં આવે છે. ફિલિપાઇન્સના ગૂઢવાદી આધ્યાત્મિક પુરુષ ગ્રાન્ડ માસ્ટર ચોઆ કોક સુઇએ પ્રાણિક હિલિંગ અને અર્હટિક યોગનો વિશ્વભરમાં પ્રસાર કર્યો. પ્રાણશક્તિનો ઉપયોગ કરી સારવાર આપતી આ પદ્ધતિ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બન્ને પર અસર કરે છે. સૂક્ષ્મ શરીરમાં આવેલા મુખ્ય ૧૧ ચક્રોને ‘જીવદ્રવ્યશરીર’ના ઊર્જા કેન્દ્રો કહેવામાં આવે છે. મોટા ચક્રો લગભગ ત્રણ-ચાર ઈંચ જેટલા કદના અને નાના ચક્રો લગભગ એકાદ બે ઈંચ જેટલા કદના હોય છે.

બેઇજિંગના ‘ચાઇના ઈમ્યુનોલોજી સેન્ટર’માં થયેલો એક પ્રયોગ પ્રાણિક હિલિંગની અકલ્પ્ય અસરકારતા દર્શાવે છે. ડી.બી.એ ઉંદરના લ્યુકેમિયા (બ્લડ કેન્સર) કે.એલ. ૧૨૧૦ કોશિકાઓ પર પ્રાણિક હિલિંગ દ્વારા ઉત્સર્જિત દૈવી ઊર્જાનો પ્રભાવ કેવો પડે છે તેનું તેમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રયોગ માટે પસંદ કરાયેલ ઉંદરોના એક સમુદાયને દસ દિવસ સુધી પંદર મિનિટ માટે પ્રાણઊર્જા પ્રસારિત કરવામાં આવી. જ્યારે બીજા જૂથને તે આપવામાં આવી નહોતી. એનું પરિણામ જોઇ શરીરવિજ્ઞાાનીઓ પણ વિસ્મયમાં મૂકાઇ ગયા હતા. જેમને પ્રાણશક્તિનો ઉપચાર આપવામાં આવ્યો હતો એ જૂથના ઉંદરોમાં કે.એલ. ૧૨૧૦ કોશિકાઓ મોટી સંખ્યામાં ઘટી ગઇ હતી જ્યારે જે જૂથને પ્રાણશક્તિનો ઉપચાર આપવામાં આવ્યો નહોતો તેના ઉંદરોમાં કેન્સર કરનારી કે.એલ. ૧૨૧૦ કોશિકાઓમાં જરાય ઘટાડો થયો નહોતો. આ પ્રયોગ દર્શાવે છે કે પ્રાણિક હિલિંગ કેન્સર જેવા ભયાનક રોગને મટાડવા કેટલી અસરકારક બની શકે છે !

બેઈજિંગની આ સંસ્થામાં એક અન્ય પ્રયોગ કરાયો હતો. પ્રાણ શક્તિ  (Chi Power) ના સંપર્કમાં આવ્યા પછી શરીરની રોગ-પ્રતિકારક શક્તિ (Immunity) માં કોઇ ફેરફાર થાય છે કે નહીં તે જોવાનો આ પ્રયોગ હતો. ગિગાંક માસ્ટર્સે ઉંદરોના એક જૂથ પર પ્રાણ શક્તિનો ઉપચાર કર્યો હતો. જ્યારે બીજા જૂથ પર પ્રાણ શક્તિનો ઉપચાર કર્યો નહોતો. પ્રાણશક્તિનો ઉપચાર પામેલા ઉંદરોની રોગ-પ્રતિકારક શક્તિ (ઇમ્યૂનિટી) અત્યંત વધી ગયેલી જોવા મળી હતી- પ્રાણશક્તિ પેરિટોમિયલના મેક્રોફેગસની ફેગોસાઇટિક ક્રિયામાં સારા એવા પ્રમાણમાં વધારો કરે છે. ‘પ્રાણ- ધ સિક્રેટ ઑફ યોગિક હિલિંગ’ના લેખક અને પ્રાણ ચિકિત્સક આત્રેયે એક મહિલાને પ્રાણ ચિકિત્સા આપી તેની મોટા કદની ઓવેરિયન સીસ્ટ (Cyst) ને ઓગાળી તેને સારી કરી દીધી હતી. આ ચિકિત્સાથી અનેક રોગો દૂર થયાના ઉદાહરણો જોવા મળ્યા છે.+

યોગથી શું પ્રાપ્ત થાય છે આરોગ્ય સારું રહે છે, આપણે જાતને પામીએ છીએ અને બધા માટે સૌથી મહત્વનું કે ઈશ્વરના દર્શન થઈ જાય છે. ભક્તોએ પરમાત્માના સ્વરૂપ પોત-પોતાની રીતે તૈયાર કર્યા છે. આથી દરેકના પોત-પોતાના ભગવાન છે. એક સીધી વ્યાખ્યા એવી છે કે જે દિવસે તમે અંદર અને બહારથી આનંદિત રહો છો, સુખ-દુ:થી બહાર થઈ જાઓ છો અને ક્ષણે તમે પરમાત્માને પ્રાપ્ત કરી લો છો. પરમાત્માનું એક સ્વરૂપ આનંદ છે. કિષ્કિંધા કાંડમાં બાલિએ શ્રીરામનાં દર્શન અંગે જે ટિપ્પણી કરી હતી તે યોગમાં પ્રાણયામનો વિષય છે. એટલે કે યોગનો ચોથો તબક્કો. શરીરમાં જે વાયુ પ્રગટ થયેલો છે તેને પ્રાણ કહે છે. તેને રોકવો તેનો આયામ છે. ત્રણ રીત છે – રેચક: નાકના એક છિદ્રને દબાવીને બીજામાંથી વાયુ બહાર કાઢવો. પૂરક: બીજા છિદ્ર દ્વારા વાયુ અંદર લેવો. કૂંભક: વાયુના અંદર ઘડાની જેમ રોકવું. આઠ પ્રકારના પ્રાણાયામ જણાવાયા છે, જેની માહિતી અનેક સાહિત્યોમાંથી મળે છે. સંસ્કૃતમાં વાયુને પ્રાણ કહેવાયો છે. વાયુના નિયંત્રણના વિજ્ઞાનનું નામ પ્રાણાયામ છે. શરીરમાં દસ પ્રકારના પ્રાણ હોય છે. 1. પ્રાણ: પ્રયાણ કરે છે, એટલે પ્રાણ કહે છે. 2. અઅપાન: જે ભોજન કરવામાં આવે છે તેને જે વાયુ નીચે લઈ જાય છે. 3. વ્યાન: જે વાયુ તમામ અંગેનો વિકાસ કરે છે. 4. ઉદાન: જે મર્મ સ્થળોને ઉદ્વેલિત કરે છે. 5. સમાન : જે તમામ અંગોમાં સમાન સ્વરૂપે ચાલે છે. 6. નાગ: જે મોઢેથી કંઈક બહાર કાઢવામાં કારક છે. 7. કૂર્મ: આંખ ખોલવામાં કૂર્મ નામનો વાયુ આવેલો છે. 8. કૃકલ : છીંકમાં. 9. દેવદત્ત : જંભાઈમાં. 10. ધનંજય: સંપૂર્ણ શરીરમાં રહે છે અને મૃત શરીરને પણ છોડતતો નથી. પ્રાણાયામનું પરિણામ : મળ, મૂત્ર અને કફનું પ્રમાણ ઘટે છે. શરીર હળવું બને છે, ઝડપથી ચાલવાની શક્તિ, હૃદયમાં ઉત્સાહ, સુંદરતામાં વધારો, યુવાનીમાં સ્થિરતા અને સ્વરમાં મિઠાસ. ઉપરાંત તપ, પ્રાયશ્ચિત, યજ્ઞ, દાન અને વ્રત વગેરે પ્રાણાયામની સોળમી કળા જેટલા પણ નથી.

……………..

પ્રાણ ચિકિત્સા પુ વિભાકર દાદા દ્વારા આવિષ્કાર કરેલ અદ્ભુત પધ્ધતિ છે.

સામાન્ય રીતે પાણી ઢાળ હોય તે બાજુ વહે છે. પ્રાણ પણ એ જ સિધ્ધાંત ઉપર કાર્ય કરે છે. આપણે સર્વે પ્રાણના દરિયામાં જીવીએ છીએ. જેની પ્રાણ ગ્રહણ કરવાની શક્તિ વધારે તે વધારે પ્રાણ ખેંચે. આવી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારૂં રહે. એટલે, જે નિયમિત રીતે ધ્યાન, પ્રાણાયમ,યોગ કરે છે તે આ પ્રાણના દરિયામાંથી કુદરતી પ્રાણ વધારે મેળવે.

જે આધ્યાત્મિક વ્યક્તિ છે જેને આધ્યાત્મિક પ્રગતિ કરવી છે અને જેણે પુર્ણ શક્તિપાત મેળવેલ છે તેનો પ્રાણ પાણીની જેમ ચોતરફ વહેતો હોય છે કેમ કે શક્તિપાત થી તેનું પ્રાણ શરીરનું કવચ ખુલી ગયું છે.હવે કોઈપણ વ્યક્તિ આવી વ્યક્તિના સંપર્કમાં આવે ત્યારે સહજ પ્રાણનું આદાન પ્રદાન ચાલુ થાય છે.

પુ. દાદાએ આ જ સિદ્ધાંત નો ઉપયોગ કરી પ્રાણ ચિકિત્સા જેવી પ્રાણ આપવાની પદ્ધતિ આજ થી ૪૦-૪૫ વર્ષ પહેલાં શોધી છે.આપણું સ્થુળ શરીર છે અને શરીરની અંદર વિવિધ કાર્યો કરવા જુદા જુદા અવયવોને છે જેમ કે હ્રદય,ફેફસા,લીવર,આંતરડા, કીડની વગેરે. જે દરેકના પોતાના કાર્યો છે.હવે કોઈપણ કારણથી આ અવયવોમાં બિમારી આવે છે. જે ઠીક કરવા આપણે બાહ્ય એલોપૈથી,આયૉર્વેદીક, હોમિયોપેથીક દવા લઈએ છીએ. વારંવાર દવા લેવાથી શરીરમાં કંઈક અને કંઈક અસર થાય છે. જે રોગ છે તે અન્ય સ્વરૂપે બહાર આવે છે.

આ વસ્તુને આપણે પ્રાણના સ્વરૂપે સમજીએ. શરીરમાં જુદા જુદા અવયવોને છે તેમ જ કરોડરજ્જુના ભાગમાં સાત ચક્રો છે. જે ચક્રો આધ્યાત્મિક સાધનામાં પણ મહત્વના છે. આ ચક્રો શરીરના અવયવો સાથે સંકળાયેલા છે.વળી શરીર આખું પ્રાણ અથવા વિધ્યુતમય છે. આપણી ઘરની વિદ્યુત ની જેમ બે પોલ છે તેમ ચક્રો +ve તરીકે અને અવયવો -ve તરીકે કાર્ય કરે છે અને વીજસર્કીટ પુરી કરે છે. જ્યારે શરીર બિમાર પડે છે ત્યારે આ વીજ પોલ બદલાય જાય છે એટલે કે ચક્રો  -ve પોલ બને છે અને અવયવો  +ve પોલ બને છે. જો પુર્ણ શક્તિપાત વાળી વ્યક્તિ જો પ્રાણ આપી આ વીજ સર્કીટ ને બદલી નાંખે તો બિમાર માણસ સ્વસ્થ બની જાય.

પ્રાણચિકિત્સકે સિધ્ધ ગુરુ પાસેથી શક્તિપાત ની દીક્ષા લીધેલ હોવી જોઈએ, નિયમિત રીતે સાધના કરતો હોવો જોઈએ, પ્રાણ ચિકિત્સા શિબિર દ્વારા પુરેપુરી માહિતી અને અનુભવ લીધેલો હોવો જોઈએ. તેમ જ નિઃસ્વાર્થ પણે પુરેપુરી સેવા ભાવના જાગૃત થયેલ હોવી જોઈએ. આમાં કુદરત કરે છે અને આપણે માત્ર નિમિત્ત છીએ તેવું દૃઢપણે માનવું જોઈએ. પોતાની જાતે જ ચાલુ કરી દે તો દર્દીનો રોગ લાગુ પાડવાની પુરેપુરી શક્યતાઓ છે. જેનો પછીથી કોઈ જ ઈલાજ નથી.

જરૂર છે ઉદ્દાત્ત ભાવનાની,  સમર્પણની, ઉમદા હેતુની.

 પ્રાણ ચિકિત્સા બાબતે જરૂરી ચેતવણી:  પ્રાણ ચિકિત્સા પદ્ધતિને કાનૂની રીતે સરકાર દ્વારા કે મેડિકલ સાયન્સ દ્વારા પ્રમાણિત નથી કરાયેલ.  આ ચિકિત્સા પધ્ધતિ આધ્યાત્મિક અને માનસિક સ્તર પર નિસ્વાર્થ સેવાના પાયા પાર રચાયેલ છે. પ્રાણ ચિકિત્સા કરનાર અને પ્રાણ ચિકિત્સા લેનાર, બંને પાત્રોએ આ બાબત ધ્યાનમાં રાખી કામ કરવું જેથી કરીને બંને પાત્રો વચ્ચે કોઈ કાનૂની અને તબીબી તકરાર ના થાય. નિસ્વાર્થ સેવાના પાયા પર જ આ પધ્ધતિ રચાયેલ હોવાથી પ્રાણ ચિકિત્સકે દર્દી પાસેથી કોઈ પ્રકારનું અવેજ ના લેવાની ખાસ ભલામણ  ગુરુજી વિભાકર દાદાએ દરેક પ્રાણ ચિકિત્સકને દીક્ષા વખતે પ્રેમથી સમજાવેલી છે અને વર્તમાનમાંગુરુજી વિશાલ ભાઈ પણ તે જ વાત દીક્ષા વખતે દરેક સાધકને સમજાવે  છે. સાધકોની જાણ ખાતર તે જ વાતઅહીં ફક્ત રજૂ જ કરીએ છીએ.Show original message

Leave a comment

Filed under Uncategorized

અંધશ્રદ્ધા…કબીર

મા. આનંદરાવજી

આપનો ઇ-મૅઇલ ‘આ સાથે પૌરાણિક વાર્તાઓ વિષે કબીરના વિચારો છે. આ અંધશ્રદ્ધા વિશે કબીર અને બીજા તત્વજ્ઞાનીઓ પણ લોકોને કહી કહીને થાકી ગયા છે. તેમ છતાં લોકોએ ભાગ્યે જ એમની આ વાતને સાંભળી કે ગણકારી છે.’

મળ્યો. આ અંગે વિચારવમળે…

એક હિન્દુ વિધવાને પેટે જન્મેલા અને મુસ્લિમ વણકર દ્વારા ઉછેર પામેલા કબીર મધ્યકાલમાં થઈ ગયેલા પ્રસિદ્ધ સંત હતા. નાનપણથી જ તેઓ વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા. પોતાના પાલક પિતાનો વણકરનો વ્યવસાય સ્વીકારી તેમણે ગૃહસ્થ જીવન વિતાવવાનું પસંદ કર્યું હતું. તેઓ રામાનંદ સ્વામીના શિષ્ય બન્યા. હિન્દુ-મુસ્લિમ એકતા તથા માનવ-સમાનતાના તેઓ ચુસ્ત હિમાયતી હતા અને બ્રાહ્મણો તથા મૌલવીઓની ધર્મક્ષેત્રે સર્વોપરિતા તેમજ બંને ધર્મમાં પ્રચલિત ક્રિયાકાંડો અને બાહ્યાડંબરો તથા જાતિ-જ્ઞાતિ, મૂર્તિપૂજા અને ઊંચનીચના ખ્યાલોના કટ્ટર વિરોધી હતા. એકેશ્વરવાદ, પ્રેમ, સેવા અને ભક્તિ પર તેમણે ભાર મૂક્યો. પોતાના ગુરુ રામાનંદની જેમ તેમણે પણ હિંદીમાં પોતાનો ઉપદેશ આપ્યો. પોતે અશિક્ષિત હોવા છતાં લોકબોલીમાં ઘણાં પદોની રચના કરી, જે દ્વારા સમાજમાં પ્રચલિત કુરવિાજો, અંધશ્રદ્ધા અને આડંબરો પર તેમણે ભારે પ્રહારો કર્યા. તેમના ઉપદેશમાં વિશિષ્ટાદ્વૈત અને ભેદાભેદ બંને મતોનાં દર્શન થાય છે. તેઓએ નિર્ગુણ ઈશ્વરની ઉપાસના પર વધુ ભાર મૂકે છે. તેમની રચનાઓને તેમના શિષ્યોએ ગ્રંથસ્થ કરી છે. તેમના અનુયાયીઓએ કબીરપંથની સ્થાપના કરી, તેમનાં જ્ઞાન અને ઉપદેશની પરંપરા ચાલુ રાખી.

સંત કબીરે ભગવાનના નિર્ગુણ સ્વરૂપ પર ભાર મૂક્યો અને રામ, કૃષ્ણ વગેરે સ્વરૂપોને મૂલત: નિર્ગુણ જ ગણાવ્યા અને ભક્તિમાર્ગ વિના વેદ, પુરાણ વગેરેનો મર્મ સમજવો શક્ય નથી તેમ ઉપદેશ કર્યો. સંત કબીરએ શ્રીરામ કે કૃષ્ણ કે નિર્ગુણ પરમાત્માને ભગવાનરૂપે સ્થાપી તત્પરાયણ ભક્તિમાર્ગ પ્રવર્તાવ્યો  પરિણામે મૂલત: જ્ઞાન-કર્મ-ઉપાસનારૂપ ભક્તિમૂલક અધ્યાત્મમાર્ગથી સાવ અલગ અને કર્મમાર્ગ તથા જ્ઞાનમાર્ગથી વિપરીત એવો સ્વતંત્ર ભક્તિમાર્ગ હોવાનો અભિગમ લોકસમાજમાં રૂઢ થવા લાગ્યો. 

 સંત કબીરે  ધર્મ સામે, વેદ, પુરાણ સામે અને વર્ષોથી ધર્મના ઓથ હેઠળ ચાલી આવતી ઉંચ-નીચ, અને છૂઆછૂતની  પરંપરા સામે બંડ પોકારી સમાજમાં ભક્તિ નંઈ પણ સમતા, સમાનતા અને બંધુતાની ભાવના સ્થાપિત કરી છે.  

કબીરની વાણીમાં, દોહામાં જોશો તો તમને સમાનતા, માનવતા અને બંધુતાની ભાવના જોવા મળશે. …

पाहन (पत्थर) पूजे हरि मिले , तो मैं पूजूं पहार 

याते चाकी भली जो पीस खाए संसार। 

माटी का एक नाग बनाके, पूजे लोग लुगाया,

जिन्दा नाग जब घर में निकले, ले लाठी धमकाया।

लाडू लावन लापसी ,पूजा चढ़े अपार,

पूजी पुजारी ले गया,मूरत के मुह छार।

कांकर पाथर जोरि कै मस्जिद लई बनाय,

ता चढि मुल्ला बांग दे क्या बहरा हुआ खुदाय। 

આપણે અહીં જોઈ શકીએ છીએ કબીરે પોતાની વાણી અને દોહામાં કેવી રીતે પાખંડ, અંધશ્રદ્ધા, ઉંચ-નીચ, છૂઆછૂત અને જાતિવાદ ઉપર પોતાની વાણી દ્વારા પ્રહાર કર્યો છે. એટલું જ નંઈ પણ કબીર ની વાણીમાં ક્યાંય તમને પરલોક, સ્વર્ગ-નર્ક કે જનમ- પૂર્વજન્મની લાલસા નંઈ દેખાય.અહીં આપણે જોઈ શકીએ છીએ કે કબીર અને રવિદાસની વાણી અન્ય સંતો, ફકીરો કરતાં કેટલી અલગ અને બંડ પોકારતી જોવા મળે છે. કબીર ની વાણી આધ્યાત્મિક નંઈ પણ આધુનિક હતી એમની વાણીમાં સમાનતા, માનવતા, સમતામૂલક સમાજની સ્થાપના અને બંધુતાની ભાવના જોવા મળે છે.

 જો કે કબીરદાસજીએ પોતાના દેવતા માટે રામ રહીમ વગેરે શબ્દોનો ઉપયોગ કર્યો છે. પરંતુ વાસ્તવમાં તેમણે આ લોકપ્રિય નામોનો ઉપયોગ નિર્ગુણ બ્રહ્મ માટે જ કર્યો છે જેથી સામાન્ય લોકો તેમના વિચારોને સરળતાથી સ્વીકારી શકે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેમના રામ ન તો દશરથનો અવતાર લે છે અને ન તો લંકાના રાજા રાવણને મારી નાખે છે.

ना दशरथ घरि ओतरि आवा।

ना लंका का राव सतावा।।

કબીરદાસ જીના રામ નિર્ગુણ-નિરાકાર, સર્વવ્યાપી, અકલ્પ્ય, કાલાતીત અગમ, અગોચર છે. તે કોઈ મંદિર કે મસ્જિદમાં રહેતો નથી, તે ફક્ત માણસના મનમાં જ રહે છે. કબીરા આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પર ભાર મૂકે છે જે દરેક વ્યક્તિની અંદર છે

निरगुन राम जपहुं रे भाई।

अविगत की गति लखि न जाई।।

કબીરદાસ જી માત્ર નિઃસ્વાર્થ ભક્તિને જ મહત્વ આપે છે, સાકા મથુરા કોઈપણ ઈચ્છા પૂરી કરવા માટે કરવામાં આવતી ભક્તિ કવિતાનો વિરોધ કરે છે. તે પોતાના પ્રિય ભગવાન એટલે કે નિર્ગુણ બ્રહ્મ માટે સર્વસ્વ બલિદાન આપવા તૈયાર છે. તેઓ રામની ભક્તિ પહેલાં સ્વર્ગના આનંદને પણ ધિક્કારે છે. તે પ્રેમના બળ પર જ પોતાનું આરાધ્ય મેળવવા માંગે છે. તેથી જ તેઓ કહે છે –

नैनन की कर कोठरी पुतली पलंग बिछाय।

पलकन की चिक डारि कै पिय को लेऊं रिझाय।।

કબીરદાસ ભક્તો માટે સારી સંગત જરૂરી માને છે. સંતો અને ઋષિઓના સાનિધ્યમાં રહીને જ ભક્ત પોતાના ઈષ્ટદેવ પ્રત્યે વિશેષ ભક્તિ ઉત્પન્ન કરી શકે છે અને તે સંતો અને સજ્જનોની નજીક રહીને જ સારું વર્તન કરી શકે છે. કબીરદાસજી ઋષિ-મુનિઓની સેવાને ભગવાનની સેવાથી અલગ નથી માનતા. તે સ્પષ્ટપણે જાહેર કરે છે કે સંતોની સેવા અને ભગવાનની સેવા એક જ છે, તેમાં અંશનો પણ ભેદ નથી.

जा घर साध न सेवियेही, हरि की सेवा नाहिं।

ते घर मरहट सारखे, भूत बसहिं तिन माहिं।।

કબીરદાસજીએ ભગવાનની પ્રાપ્તિ માટે ગુરુને મહત્ત્વનું સાધન માન્યું છે. ગુરુ જ ભક્તોને ભગવાન સાથે જોડી શકે છે. તે ગુરુ છે જે પહેલા ભક્તને ખોટા રસ્તેથી સાચા માર્ગ પર લાવે છે, તેને ભ્રમણામાંથી દૂર કરે છે અને અંતે તેને ભગવાનને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવે છે.

गूँगा हुआ बावला, बहरा हुआ कान।

पाँवु  थैं पंगुल भया, सतगुर मारया बान।।

જ્યારે ભક્ત ભગવાનને જુએ છે, ત્યારે તે ભગવાનની સાથે ગુરુને પણ જુએ છે. આવી સ્થિતિમાં, કબીર પહેલા ગુરુના ચરણ સ્પર્શ કરવાનું કહે છે કારણ કે તે જ છે જેણે તેમને ભગવાન સાથે જોડી દીધા છે. આખરે, કબીરદાસજીએ ગુરુને ભગવાન કરતાં પણ મહાન ગણાવ્યા છે.

गुरु गोविन्द दोऊ खड़े, काके लागूं पांय।

बलिहारी गुरू अपने गोविन्द दियो बताय।।

કબીરદાસજીએ કહ્યું છે કે ભક્ત માટે આસક્તિ અને ભ્રમ વગેરેનો ત્યાગ કરવો યોગ્ય છે કારણ કે તે ભગવાનની પ્રાપ્તિમાં ભક્ત માટે અવરોધરૂપ સાબિત થાય છે. આ ભ્રમ તમામ દોષોની માતા છે. જ્યાં સુધી માણસ માયાનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે ઈશ્વરને પામી શકતો નથી. તેથી જ કબીરદાસજી ભ્રમણાનો વિરોધ કરે છે અને એમ પણ કહે છે કે –

 माया महा ठगनी हम जानि ।

तिरगुन फांस लिए कर डोले बोले मधुरी बानी।।

કબીરદાસ જીની ભક્તિ ભાવનામાં નવધા ભક્તિના તમામ ભેદો જેમ કે નામ સ્મરણ, કીર્તન, શ્રવણ, વંદના, અર્ચના વગેરે જોઈ શકાય છે. આ બધામાં તેમણે નામ સ્મરણ પર વિશેષ ભાર મૂક્યો છે. પરંતુ તે નામ યાદ કરવામાં દંભનો વિરોધ કરે છે.

माला तो कर में फिरे, जीभ फिरे मुख माहिं।

मनवा तो चहुँ दिसि फिरे, यह तो सुमरिन नाहिं।।

मोटी माया सब तजै

झीनी तजी न जाय।

पीर,पैगंबर,औलिया।

झीनी सबको खाय।।

Leave a comment

Filed under Uncategorized

એકલા વિચારથી મટાડવું…

No Two Alike સત્ય એ છે કે તે તમારી અપેક્ષા કરતાં વધુ વખત થાય છે. યુ આર ધ પ્લેસબોમાં, ડૉ. જો ડિસ્પેન્ઝા એવા અસંખ્ય દસ્તાવેજી કિસ્સાઓ શેર કરે છે કે જેમણે પ્લાસિબોમાં વિશ્વાસ કરીને કેન્સર, હ્રદય રોગ, હતાશા, અપંગ સંધિવા અને પાર્કિન્સન રોગના ધ્રુજારીને પણ ઉલટાવી હતી. એ જ રીતે, ડૉ. જૉ કહે છે કે કેવી રીતે અન્ય લોકો બીમાર થયા છે અને હેક્સ અથવા વૂડૂ શ્રાપનો ભોગ બનીને મૃત્યુ પામ્યા છે—અથવા ઘાતક બીમારીનું ખોટું નિદાન થયા પછી. માન્યતા એટલી મજબૂત હોઈ શકે છે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ નવી દવાઓનું મૂલ્યાંકન કરતી વખતે શરીર પર મનની શક્તિને બાકાત રાખવાનો પ્રયાસ કરવા માટે ડબલ અને ટ્રિપલ-બ્લાઈન્ડ રેન્ડમાઇઝ્ડ અભ્યાસનો ઉપયોગ કરે છે.ડૉ. જો પ્લેસિબો અસરના ઈતિહાસ અને શરીરવિજ્ઞાનની શોધ કરતાં વધુ કરે છે. તે પ્રશ્ન પૂછે છે: “શું પ્લેસબોના સિદ્ધાંતો શીખવવા શક્ય છે, અને કોઈપણ બાહ્ય પદાર્થ પર આધાર રાખ્યા વિના, વ્યક્તિના સ્વાસ્થ્યમાં અને આખરે તેના જીવનમાં સમાન આંતરિક ફેરફારો લાવે છે?” પછી તે તેની વર્કશોપમાંથી અદ્ભુત ઉપચારના વૈજ્ઞાનિક પુરાવા (કલર બ્રેઈન સ્કેન સહિત) શેર કરે છે, જેમાં સહભાગીઓ કહેવાતા પ્લેસબો ઈફેક્ટના વ્યવહારુ ઉપયોગના આધારે વ્યક્તિગત પરિવર્તનનું તેનું મોડેલ શીખે છે. આ પુસ્તકનો અંત બદલાતી માન્યતાઓ અને ધારણાઓ માટે “કેવી રીતે” ધ્યાન સાથે સમાપ્ત થાય છે જે આપણને પાછળ રાખે છે – ઉપચારનું પ્રથમ પગલું
—-યૂ આર ધ પ્લેસબો ન્યુરોસાયન્સ, બાયોલોજી, સાયકોલોજી, હિપ્નોસિસ, બિહેવિયરલ કન્ડીશનીંગ અને ક્વોન્ટમ ફિઝિક્સના નવીનતમ સંશોધનને પ્લાસિબો ઇફેક્ટની કામગીરીને અસ્પષ્ટ કરવા માટે જોડે છે. . . અને દેખાડે છે કે અશક્ય લાગતું કામ કેવી રીતે શક્ય બને છે.
નોસેબો અસર ત્યારે થાય છે જ્યારે સારવાર અંગે દર્દીની નકારાત્મક અપેક્ષાઓ સારવારને અન્યથા તેની કરતાં વધુ નકારાત્મક અસર કરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે દર્દી દવાની આડઅસરની અપેક્ષા રાખે છે, ત્યારે તેઓ તે અસરનો અનુભવ કરી શકે છે, પછી ભલેને “દવા” ખરેખર એક જડ પદાર્થ હોય.પૂરક ખ્યાલ, પ્લાસિબો અસર, જ્યારે હકારાત્મક અપેક્ષાઓ પરિણામમાં સુધારો કરે છે ત્યારે થાય છે. આ અસર એવી વ્યક્તિમાં પણ જોવા મળે છે કે જે ખોટી માન્યતાને કારણે બીમાર પડે છે કે તેઓ ઝેરના સંપર્કમાં આવ્યા હતા, અથવા તેઓ માને છે કે ભૌતિક ઘટના હાનિકારક છે, જેમ કે EM રેડિયેશન.
પ્લેસિબો અને નોસેબો બંને અસરો સંભવતઃ સાયકોજેનિક છે, પરંતુ તે શરીરમાં માપી શકાય તેવા ફેરફારોને પ્રેરિત કરી શકે છે. નોસેબો ઇફેક્ટ્સ પરના 31 અભ્યાસોની સમીક્ષા કરનાર એક લેખમાં ઉબકા, પેટમાં દુખાવો, ખંજવાળ, પેટનું ફૂલવું, ડિપ્રેશન, ઊંઘની સમસ્યા, ભૂખ ન લાગવી, જાતીય તકલીફ અને ગંભીર હાયપોટેન્શન સહિતના લક્ષણોની વિશાળ શ્રેણી નોંધવામાં આવી છે જે નોસેબો અસરો તરીકે પ્રગટ થઈ શકે છે. ‘
 ‘હું કૃપા કરું છું’ એવો પદાર્થ જે ફાયદાકારક, આરોગ્યપ્રદ, સુખદ અથવા ઇચ્છનીય અસર પેદા કરી શકે છે). કેનેડીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નોસેબો શબ્દનો તેમનો ઉપયોગ સખત રીતે વિષય-કેન્દ્રિત પ્રતિભાવનો સંદર્ભ આપે છે, જે ઉપચારની જગ્યાએ દર્દીમાં સહજ ગુણવત્તા ધરાવે છે. એટલે કે, કેનેડીએ ફાર્માકોલોજિકલ રીતે પ્રેરિત નકારાત્મક આડઅસરો માટે શબ્દનો ઉપયોગ નકારી કાઢ્યો હતો જેમ કે ક્વિનાઇનને કારણે કાનમાં વાગવું.[6] તેનો અર્થ એ નથી કે દર્દીના મનોવૈજ્ઞાનિક પ્રેરિત પ્રતિભાવમાં શારીરિક અસરોનો સમાવેશ થતો નથી.ઉદાહરણ તરીકે, પીડાની અપેક્ષા ચિંતાને પ્રેરિત કરી શકે છે, જે બદલામાં cholecystokinin ના પ્રકાશનનું કારણ બને છે, જે સુવિધા આપે છે. પીડા ટ્રાન્સમિશન.
પ્રતિભાવ
સંકુચિત અર્થમાં, નોસેબો પ્રતિભાવ ત્યારે થાય છે જ્યારે ડ્રગ-ટ્રાયલ વિષયના લક્ષણો નિષ્ક્રિય, શામ] અથવા બનાવટી (સિમ્યુલેટર) સારવારના વહીવટ દ્વારા વધુ ખરાબ થાય છે, જેને પ્લેસબો કહેવાય છે. વર્તમાન ફાર્માકોલોજીકલ જ્ઞાન અને કારણ અને અસરની વર્તમાન સમજ મુજબ, પ્લાસિબોમાં કોઈ રાસાયણિક (અથવા અન્ય કોઈ એજન્ટ) હોતું નથી જે સંભવતઃ વિષયના લક્ષણોમાં જોવા મળેલી કોઈપણ ખરાબીનું કારણ બની શકે. આમ, ખરાબ માટે કોઈપણ ફેરફાર અમુક વ્યક્તિલક્ષી પરિબળને કારણે હોવા જોઈએ. પ્રતિકૂળ અપેક્ષાઓ એનેસ્થેટિક દવાઓની પીડાનાશક અસરોને અદૃશ્ય થઈ શકે છે.
વિષયના લક્ષણોનું બગડવું અથવા ફાયદાકારક અસરોમાં ઘટાડો એ તેમના પ્લેસબોના સંપર્કનું સીધું પરિણામ છે, પરંતુ તે લક્ષણો પ્લાસિબો દ્વારા રાસાયણિક રીતે ઉત્પન્ન થયા નથી. કારણ કે લક્ષણોની આ પેઢીમાં “વિષય-આંતરિક” પ્રવૃત્તિઓના સંકુલનો સમાવેશ થાય છે, સખત અર્થમાં, અમે સિમ્યુલેટર-કેન્દ્રિત “નોસેબો ઇફેક્ટ્સ” ના સંદર્ભમાં ક્યારેય બોલી શકતા નથી, પરંતુ માત્ર વિષય-કેન્દ્રિત “નોસેબો પ્રતિભાવો” ના સંદર્ભમાં. જો કે કેટલાક નિરીક્ષકો વિષયની અસ્પષ્ટતા માટે nocebo પ્રતિભાવો (અથવા પ્લાસિબો પ્રતિભાવો)ને આભારી છે, એવા કોઈ પુરાવા નથી કે જે વ્યક્તિ એક સારવાર માટે nocebo/placebo પ્રતિભાવ દર્શાવે છે તે અન્ય કોઈપણ સારવાર માટે nocebo/placebo પ્રતિભાવ દર્શાવે છે; એટલે કે, ત્યાં કોઈ નિશ્ચિત nocebo/placebo-પ્રતિભાવ લક્ષણ અથવા વલણ નથી.
મેકગ્લાશન, ઇવાન્સ અને ઓર્ને 1969માં પ્લાસિબો વ્યક્તિત્વ તરીકે ઓળખાતા કોઈ પુરાવા મળ્યા નથી. ઉપરાંત, કાળજીપૂર્વક તૈયાર કરાયેલા અભ્યાસમાં, 1954માં લાસાગ્ના, મોસ્ટેલર, વોન ફેલ્સિંગર અને બીચરે શોધી કાઢ્યું હતું કે કોઈ પણ નિરીક્ષક પરીક્ષણ દ્વારા અથવા ઈન્ટરવ્યુ દ્વારા નક્કી કરી શકે કે કયો વિષય પ્લેસબો પ્રતિક્રિયા દર્શાવે છે અને કયો નહીં. પ્રયોગોએ દર્શાવ્યું છે કે વ્યક્તિની માપેલી હિપ્નોટિક સંવેદનશીલતા અને નોસેબો અથવા પ્લેસબો પ્રતિભાવોના તેમના અભિવ્યક્તિ વચ્ચે કોઈ સંબંધ નથી.
 દવાઓની આડઅસર
એવું દર્શાવવામાં આવ્યું છે કે, નોસેબો ઇફેક્ટને લીધે, દવાઓની આડઅસર વિશે દર્દીઓને ચેતવણી આપવી એ આવી અસરોના કારણમાં ફાળો આપી શકે છે, પછી ભલે તે દવા વાસ્તવિક હોય કે ન હોય. આ અસર ક્લિનિકલ ટ્રાયલ્સમાં જોવા મળી છે: 2013ની સમીક્ષા મુજબ, પાર્કિન્સન રોગની સારવારના 41 ક્લિનિકલ ટ્રાયલ્સના મેટા-વિશ્લેષણમાં પ્લેસબો-સારવાર કરાયેલા દર્દીઓમાં ડ્રોપઆઉટ દર 8.8% હતો. 2013ની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે ડિપ્રેશન માટે ક્લિનિકલ ટ્રાયલ્સમાં પ્લાસિબો મેળવતા 20 દર્દીઓમાંથી લગભગ 1 પ્રતિકૂળ ઘટનાઓને કારણે બહાર નીકળી ગયા હતા, જે નોસેબો અસરને કારણે હોવાનું માનવામાં આવતું હતું.[2018ની સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે પ્લાસિબો લેનારા દર્દીઓમાંથી અડધા દર્દીઓ ક્લિનિકલ ટ્રાયલ્સ હસ્તક્ષેપ-સંબંધિત પ્રતિકૂળ ઘટનાઓની જાણ કરે છે
જાન્યુઆરી 2022 માં, એક પદ્ધતિસરની સમીક્ષા અને મેટા-વિશ્લેષણના નિષ્કર્ષ પર આવ્યા કે પ્રથમ COVID-19 રસીના ડોઝ પછી 72% પ્રતિકૂળ અસરો અને બીજા ડોઝ પછી 52% નોસેબો પ્રતિસાદોનો હિસ્સો હતો.
ઇલેક્ટ્રોમેગ્નેટિક અતિસંવેદનશીલતા
પુરાવા સૂચવે છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક અતિસંવેદનશીલતાના લક્ષણો નોસેબો અસરને કારણે થાય છે.
દર્દ
મૌખિક સૂચન નોસેબો અસરના પરિણામે હાયપરલજેસિયા (પીડા પ્રત્યે સંવેદનશીલતામાં વધારો) અને એલોડાયનિયા (સ્પર્શક ઉત્તેજના પીડાદાયક તરીકેની ધારણા) નું કારણ બની શકે છે. નોસેબો હાયપરલજેસિયામાં કોલેસીસ્ટોકિનિન રીસેપ્ટર્સના સક્રિયકરણને સામેલ હોવાનું માનવામાં આવે છે.તબીબી ઉપયોગની અસ્પષ્ટતા
સ્ટુઅર્ટ-વિલિયમ્સ અને પોડ દલીલ કરે છે કે નિષ્ક્રિય એજન્ટોને લેબલ કરવા માટે વિરોધાભાસી શબ્દો “પ્લેસબો” અને “નોસેબો” નો ઉપયોગ કરવો જે સુખદ, આરોગ્ય-સુધારણા, અથવા ઇચ્છનીય પરિણામો વિરુદ્ધ અપ્રિય, આરોગ્ય-ઘટાડો અથવા અનિચ્છનીય પરિણામો (અનુક્રમે) ઉત્પન્ન કરે છે તે અત્યંત પ્રતિકૂળ છે. . ઉદાહરણ તરીકે, ચોક્કસપણે સમાન નિષ્ક્રિય એજન્ટો analgesia અને hyperalgesia પેદા કરી શકે છે, જેમાંથી પ્રથમ, આ વ્યાખ્યા મુજબ, પ્લેસબો હશે, અને બીજું નોસેબો.બીજી સમસ્યા એ છે કે સમાન અસર, જેમ કે રોગપ્રતિકારક શક્તિ, સ્વયંપ્રતિરક્ષા ડિસઓર્ડર ધરાવતા વિષય માટે ઇચ્છનીય હોઈ શકે છે, પરંતુ મોટાભાગના અન્ય વિષયો માટે અનિચ્છનીય છે. આમ, પ્રથમ કિસ્સામાં, અસર પ્લાસિબો હશે, અને બીજામાં, નોસેબો. ત્રીજી સમસ્યા એ છે કે પ્રિસ્ક્રાઇબર એ જાણતા નથી કે સંબંધિત વિષયો દવાઓ લીધા પછી અમુક સમય સુધી તેઓ અનુભવેલી અસરોને ઇચ્છનીય કે અનિચ્છનીય માને છે કે કેમ, ચોથી સમસ્યા એ છે કે તમામ વિષયોમાં સમાન ઘટના પેદા થઈ રહી છે, અને આ એક જ દવા દ્વારા બનાવવામાં આવી રહી છે, જે એક જ પદ્ધતિ દ્વારા તમામ વિષયોમાં કાર્ય કરે છે. તેમ છતાં, કારણ કે પ્રશ્નમાંની ઘટનાને વ્યક્તિલક્ષી રીતે એક જૂથ માટે ઇચ્છનીય માનવામાં આવે છે પરંતુ બીજા જૂથ માટે નહીં, ઘટનાને હવે બે પરસ્પર વિશિષ્ટ રીતે (એટલે કે, પ્લેસિબો અને નોસેબો) માં લેબલ કરવામાં આવી રહી છે; અને આ ખોટી છાપ આપે છે કે પ્રશ્નમાં રહેલી દવાએ બે અલગ-અલગ ઘટનાઓ પેદા કરી છે. માનવશાસ્ત્રના ઉપયોગની અસ્પષ્ટતા
કેટલાક લોકો એવું જાળવે છે કે માન્યતા હત્યા કરે છે (દા.ત., વૂડૂ મૃત્યુ: 1942માં કેનન વિવિધ સંસ્કૃતિઓના અસંખ્ય ઉદાહરણોનું વર્ણન કરે છે) અને માન્યતા રૂઝ આવે છે (દા.ત., વિશ્વાસ ઉપચાર)] સ્વ-ઇચ્છાથી મૃત્યુ (વૂડૂ હેક્સ, દુષ્ટ આંખને કારણે) , હાડકાની પ્રક્રિયાને નિર્દેશ કરે છે,[30][31] વગેરે.) એ સંસ્કૃતિ-વિશિષ્ટ સિન્ડ્રોમ અથવા સામૂહિક સાયકોજેનિક બિમારીનું આત્યંતિક સ્વરૂપ છે જે ચોક્કસ પ્રકારનું સાયકોસોમેટિક અથવા સાયકોફિઝીયોલોજીકલ ડિસઓર્ડર ઉત્પન્ન કરે છે જે સાયકોજેનિક મૃત્યુમાં પરિણમે છે. રૂબેલે 1964માં “કલ્ચર બાઉન્ડ” સિન્ડ્રોમ વિશે વાત કરી હતી, જે તે હતા “જેમાંથી ચોક્કસ જૂથના સભ્યો પીડાતા હોવાનો દાવો કરે છે અને જેના માટે તેમની સંસ્કૃતિ ઇટીઓલોજી, નિદાન, નિવારક પગલાં અને ઉપચારની પદ્ધતિઓ પ્રદાન કરે છે”.
રોબર્ટ હેન અને આર્થર ક્લેઈનમેન જેવા અમુક નૃવંશશાસ્ત્રીઓએ આ ક્ષેત્રમાં પ્લેસબો/નોસેબો ભેદને વિસ્તાર્યો છે, જેથી શ્રદ્ધાની સારવાર જેવી ધાર્મિક વિધિઓ વચ્ચે તફાવત કરી શકાય, જે સાજા, ઉપચાર અથવા લાભ લાવવા માટે કરવામાં આવે છે. (પ્લેસબો ધાર્મિક વિધિઓ) અને અન્ય, જેમ કે “હાડકાને નિર્દેશ કરવો”, જે મારવા, ઇજા પહોંચાડવા અથવા નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવે છે (નોસેબો ધાર્મિક વિધિઓ). જેમ કે બે આંતર-સંબંધિત અને વિરોધી શબ્દોનો અર્થ વિસ્તર્યો છે, હવે આપણે માનવશાસ્ત્રીઓ વિવિધ સંદર્ભોમાં, નોસેબો અથવા પ્લેસબો (હાનિકારક અથવા મદદરૂપ) વિધિઓ વિશે બોલતા શોધીએ છીએ:
જેમાં નોસેબો અથવા પ્લેસબો (અપ્રિય અથવા સુખદ) પ્રક્રિયાઓ સામેલ હોઈ શકે છે;
કયા વિષયો વિશે નોસેબો અથવા પ્લેસબો (હાનિકારક અથવા ફાયદાકારક) માન્યતાઓ હોઈ શકે છે;
જે ઓપરેટરો દ્વારા વિતરિત કરવામાં આવે છે જેમાં નોસેબો અથવા પ્લેસબો (પેથોજેનિક, રોગ પેદા કરનાર અથવા સેલુટોજેનિક, આરોગ્યને પ્રોત્સાહન આપતી) અપેક્ષાઓ હોઈ શકે છે;
જે એવા વિષયોને વિતરિત કરવામાં આવે છે કે જેમાં ધાર્મિક વિધિ વિશે nocebo અથવા પ્લાસિબો (નકારાત્મક, ભયજનક, નિરાશાજનક અથવા હકારાત્મક, આશાવાદી, આત્મવિશ્વાસ) અપેક્ષાઓ હોઈ શકે છે;
જે ઓપરેટરો દ્વારા વિતરિત કરવામાં આવે છે કે જેઓ નોસેબો અથવા પ્લેસબો (દુષ્ટ અથવા પરોપકારી) ઇરાદા ધરાવતા હોઈ શકે છે, એવી આશામાં કે ધાર્મિક વિધિઓ નોસેબો અથવા પ્લેસબો (ઘાતક, નુકસાનકારક, હાનિકારક અથવા પુનઃસ્થાપન, ઉપચારાત્મક, તંદુરસ્ત) પરિણામો ઉત્પન્ન કરશે; અને, કે આ બધું નોસેબો ધાર્મિક વિધિના નુકસાનકારક સ્વભાવ અથવા પ્લેસબો વિધિના ફાયદાકારક સ્વભાવમાં ઓપરેટરની એકંદર માન્યતાઓ પર આધારિત છે.
તેમ છતાં તે વધુ પરિભાષાકીય રીતે જટિલ બની શકે છે, કારણ કે હેન અને ક્લેઈનમેન સૂચવે છે તેમ, એવા કિસ્સાઓ પણ હોઈ શકે છે કે જ્યાં પ્લાસિબો ધાર્મિક વિધિઓમાંથી વિરોધાભાસી નોસેબો પરિણામો તેમજ નોસેબો ધાર્મિક વિધિઓમાંથી વિરોધાભાસી પ્લાસિબો પરિણામો (અનિચ્છનીય પરિણામો પણ જુઓ) હોઈ શકે છે.[33] સિડની હોસ્પિટલ, મિલ્ટન ખાતે 1973 માં કેન્સરની સારવારના તેમના વ્યાપક અનુભવ (1,000 થી વધુ મેલાનોમા કેસ સહિત) માંથી લખીને, પૂર્વસૂચનની ડિલિવરીની અસર વિશે ચેતવણી આપી હતી, અને તેમના કેટલા દર્દીઓ, તેમના પૂર્વસૂચન પ્રાપ્ત થયા પછી, તેમના ચહેરા ફેરવ્યા હતા. દીવાલ પર અને અકાળે મૃત્યુ પામ્યા: “દર્દીઓનું એક નાનું જૂથ છે કે જેમને તોળાઈ રહેલા મૃત્યુની અનુભૂતિ એટલો ભયંકર ફટકો છે કે તેઓ તેને સમાયોજિત કરવામાં તદ્દન અસમર્થ છે, અને જીવલેણતા વિકસિત થાય તે પહેલાં તેઓ ઝડપથી મૃત્યુ પામે છે. મૃત્યુનું કારણ પૂરતું છે. સ્વ-ઇચ્છાથી મૃત્યુની આ સમસ્યા કેટલીક રીતે આદિમ લોકોમાં મેલીવિદ્યા (‘હાડકાને નિર્દેશ કરે છે’) દ્વારા ઉત્પન્ન થતા મૃત્યુ સાથે સમાન છે”.
સંખ્યાબંધ સંશોધકોએ ધ્યાન દોર્યું છે કે સંભવિત સારવાર પ્રતિકૂળ ઘટનાઓ વિશે દર્દીઓ સાથે વાતચીત કરવાથી થતા નુકસાન નૈતિક મુદ્દો ઉભો કરે છે. સ્વાયત્તતાનો આદર કરવા માટે, વ્યક્તિએ દર્દીને જાણ કરવી જરૂરી છે કે સારવારથી શું નુકસાન થવાની સંભાવના છે. છતાં જે રીતે સંભવિત હાનિ પહોંચાડવામાં આવે છે તે વધારાના નુકસાનનું કારણ બની શકે છે, જે બિન-દુષ્ટતાના નૈતિક સિદ્ધાંતનું ઉલ્લંઘન કરી શકે છે.[35] સંભવ છે કે ફ્રેમિંગ ઇફેક્ટનો ઉપયોગ] અને અધિકૃત છૂપાવવા સહિત માહિતગાર સંમતિના વિવિધ મોડલનો ઉપયોગ કરીને સ્વાયત્તતાનો આદર કરતી વખતે nocebo અસરો ઘટાડી શકાય. વાસ્તવમાં, એવી દલીલ કરવામાં આવી છે કે દર્દીઓને તેમની ઇચ્છા વિરુદ્ધ તમામ સંભવિત પ્રતિકૂળ ઘટનાઓ વિશે જાણવા માટે દબાણ કરવું સ્વાયત્તતાનું ઉલ્લંઘન કરી શકે છે.
તબીબી પરીક્ષણ
પ્લેસબો અભ્યાસ
સાયકોસોમેટિક બીમારી
વૈજ્ઞાનિક નિયંત્રણ
સ્વયં પરિપૂર્ણ ભવિષ્યવાણી
વિષય-અપેક્ષા અસર
સૂચનક્ષમતા
સૂચન
રોગનિવારક અસર
થોમસ પ્રમેય

Causality – WikipediaCausality (also referred to as causation, or cause and effect) is influence by which one event, process, state, …
Analgesic – WikipediaAnalgesic choice is also determined by the type of pain: For neuropathic pain, traditional analgesics are less e…

Anesthetic – WikipediaAn anesthetic (American English) or anaesthetic (British English; see spelling differences) is a drug used to in…

Leave a comment

Filed under Uncategorized

પ્રાણં દેવા અનુપ્રાણન્તિ…2

ખૂબ સરસ અભ્યાસપૂર્ણ માહિતીપ્રદ લેખો બદલ મા કનકભાઇ અને મા મહેંદ્ર્ભાઈને ધન્યવાદ  ગુઢ વિદ્યા સમજવામા મદદ રુપ થાય તેવા ગુજરાતી લેખો

‘પ્રાણ ચિકિત્સા’ તરીકે ઓળખાતી યૌગિક સારવાર પદ્ધતિ ઈમ્યુનિટી વધારી અનેક રોગોનું નિવારણ કરે છે! ‘પ્રાણ ચિકિત્સા’ તરીકે ઓળખાતી યૌગિક સારવાર પદ્ધતિ ઈમ્યુનિટી વધારી અનેક રોગોનું નિવારણ કરે છે!- દેવેશ મહેતાનો સુંદર લેખ

– પ્રાણશક્તિ પર આધારિત ઉપચાર પદ્ધતિને ‘પ્રાણિક હિલિંગ’ કહેવામાં આવે છે. પ્રાણશક્તિનો ઉપયોગ કરી સારવાર આપતી આ પદ્ધતિ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બન્ને પર અસર કરે છે

‘પ્રાણં દેવા અનુપ્રાણન્તિ । મનુષ્યે પરાવશ્ચમે ।

પ્રાણો હિ ભૂકાનામાયુઃ । તસ્માત્સર્વાયુષમુચ્યતે ।

સર્વમેવત આયુર્વન્તિ મે પ્રાણ બ્રાહ્મોપાસતે ।

પ્રાણો હિ ભૂતાનામાયુ : તસ્માત્ સર્વાયુષમુચ્યતે ।

દે વો, મનુષ્ય, પશુ અને બધા પ્રાણીઓ પ્રાણથી અનુપ્રાણિત છે. પ્રાણ જ જીવન છે, એને કારણે જ એને આયુષ્ય કહે છે. આ જાણીને જે પ્રાણ રૂપ બ્રહ્મની ઉપાસના કરે છે તે ચોક્કસપણે પૂર્ણ આયુષ્યને પ્રાપ્ત કરે છે.’  – તૈતરિય  ઉપનિષદ

તૈત્તરીય ઉપનિષદની જેમ છાંદોગ્ય ઉપનિષદમાં કહેવાયું છે – ‘સર્વાણિ હવા ઈમાનિ ભૂતાનિ પ્રાણમેવાભિસંવિશન્તિ પ્રાણમન્યુગ્જિહતે । આ બધા પ્રાણીઓ પ્રાણમાંથી જ ઉત્પન્ન થાય છે અને પ્રાણમાં જ લીન થઇ જાય છે.’ ‘પ્રાણાદ્ધિ ખાલ્વિમાનિ ભૂતાનિ જાયન્તે, પ્રાણેન જાતાનિ જિવન્તિ । પ્રાણથી જ બધા પ્રાણીઓનો ઉદ્ભવ થાય છે અને જન્મ્યા પછી તે પ્રાણથી જ જીવિત રહે છે.’

તૈત્તરીય, છાંદોગ્ય, કૌષીતકિ, બ્રહ્મ ઉપનિષદ જેવા અનેક ઉપનિષદોમાં પ્રાણ શક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે. વેદોમાં એક ઉપાખ્યાન આવે છે જેમાં જિજ્ઞાાસુ બ્રહ્મજ્ઞાાની ઋષિને પૂછે છે- ‘એવી કઇ વસ્તુ છે જેનું જ્ઞાાન થવાથી બાકીની બધી વસ્તુઓનું જ્ઞાાન થઇ જાય છે ?’ એનો જવાબ આપતાં ઋષિ કહે છે- ‘તે પ્રાણ તત્ત્વ જ છે જેને જાણી લીધા પછી કશું જાણવાનું બાકી રહેતું નથી.’

સૃષ્ટિમાં જે ચૈતન્ય દેખાય છે એનું મૂળ કારણ પ્રાણ છે. અનંત સૃષ્ટિ પ્રવાહમાં પ્રાણ તત્ત્વ જ હિલોળા લઇ રહ્યું છે. એ જ સૃષ્ટિના સર્જન અને સ્થિતિનું કારણ છે. સ્થૂળ અને સૂક્ષ્મ બધામાં એની જ અભિવ્યક્તિ છે. પ્રાણ બધાની જીવનશક્તિ છે. એનાથી જ બળ, બુદ્ધિ, ક્રિયા અને સ્વાસ્થ્ય ટકી રહે છે. જેની પ્રાણશક્તિ પ્રવૃદ્ધ હોય એની આ તમામ બાબતો બળવાન હોય છે. પ્રાણશક્તિને પ્રવૃદ્ધ કરવા યોગ સર્વાધિક શક્તિશાળી સાધન છે. યોગની જ એક પ્રક્રિયા પ્રાણાયામ છે જેના થકી પ્રાણ વધારે બળવત્તર બને છે.

માનવ કાયામાં શક્તિનો સુષુપ્ત ભંડાર પડેલો છે. એને પ્રાણ ઊર્જા, જીવન શક્તિ, યોગ-અગ્નિ કે કુંડલિની શક્તિ વગેરે નામોથી ઓળખવામાં આવે છે- જેમ પરમાણુના નાભિક (ન્યૂક્લિઅસ)માં પ્રચંડ શક્તિ ભરેલી પડી હોય છે પણ તે જોઇ શકાતી નથી કે ઉપયોગમાં લઇ શકાતી નથી, ખાસ પ્રક્રિયા પછી જ તેનું નાભિકીય વિખંડન થાય છે ત્યારે જ તે પ્રગટ થાય છે તેમ યોગ્ગાનિ, કુંડલિની મહાશક્તિ પણ દરેક મનુષ્યમાં સુષુપ્તાવસ્થામાં પડેલી હોય છે પણ પ્રાણાયમ અને યોગના પ્રયોગ પછી તે પ્રગટ થાય છે.

કુંડલિનિ જાગરણ માટે પ્રાણશક્તિનો પ્રચંડ આઘાત જરૂરી હોય છે. એના માટે આખા બ્રહ્માંડમાં વ્યાપેલા પ્રાણતત્ત્વને આકર્ષિત કરી પોતાની અંદર પ્રસ્થાપિત કરવું પડે છે. સૂર્યભેદન પ્રાણાયામ આ હેતુ સિદ્ધ કરવા સર્વાધિક સહાયક બને છે. આ પ્રકારના પ્રાણાયામમાં સૂર્યમાંથી પ્રાણ ઊર્જા આકર્ષિત કરી એને ઈડા અને પિંગલા નાડીના માધ્યમથી મૂળાધાર ચક્ર અવસ્થિત ચિનગારી જેવા પ્રસુપ્ત અગ્નિ સુધી પહોંચાડવામાં આવે છે. એ પછી તે પ્રવૃદ્ધ થાય છે એટલે સૂસવાટા મારતા અગ્નિની જ્વાળાઓના રૂપમાં આખા તંત્રને દિવ્ય અગ્નિમય બનાવી દે છે. સૂર્યવેધન પ્રાણાયામની પ્રક્રિયા દરમિયાન આટલી પ્રક્રિયા પૂરી કર્યા બાદ પ્રાણ અગ્નિને સુષુમ્ણા નાડી સ્થિત ધન વિદ્યુત પ્રવાહવાળી પિંગલા નાડીમાંથી પસાર કરી પાછો વાળવામાં આવે છે, તેમાં પ્રવેશ કરતી વખતે અંતરીક્ષ સ્થિત પ્રાણ શીતળ હોય છે. ઋણ ધારાને પણ શીતળ માનવામાં આવે છે. એટલે ‘ઈડા’ને ચંદ્રનાડી કહેવામાં આવે છે, શ્વાસને ડાબા નસકોરામાં અંતર્કુંભક પછી પાછો વાળવામાં આવે છે. પાછા વળતી વખતે અગ્નિ ઉદ્દીપન, પ્રાણ પ્રહારની સંઘર્ષણ પ્રક્રિયાથી ઉષ્ણતા વધે છે અને પ્રાણમાં સંમીલિત થઇ જાય છે. પાછા ફરવાનો પિંગલા માર્ગ ધન વિદ્યુતનું ક્ષેત્ર હોવાથી ઉષ્ણતાનો આવિર્ભાવ કરે છે. પિંગલાને સૂર્યનાડી કહેવામાં આવે છે. આ સૂર્યવેધન પ્રાણાયામની વિશેષતા એ છે કે એમાં ફરીથી જમણા નસકોરાથી સૂર્યનાડી રેચક પ્રકારનો પ્રાણાયામ કરવામાં આવે છે. મૂલાધાર ચક્ર પર પ્રાણ પ્રહાર અને પ્રાણોદ્દીપનની ભાવના સતત કરવી પડે છે. આમ આ પ્રાણાયામ યૌગિક ચક્રોને જાગૃત અને સક્રિય કરવા ખૂબ ઉપયોગી બને છે.

પ્રાણશક્તિ પર આધારિત ઉપચાર પદ્ધતિને ‘પ્રાણિક હિલિંગ’ કહેવામાં આવે છે. ફિલિપાઇન્સના ગૂઢવાદી આધ્યાત્મિક પુરુષ ગ્રાન્ડ માસ્ટર ચોઆ કોક સુઇએ પ્રાણિક હિલિંગ અને અર્હટિક યોગનો વિશ્વભરમાં પ્રસાર કર્યો. પ્રાણશક્તિનો ઉપયોગ કરી સારવાર આપતી આ પદ્ધતિ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બન્ને પર અસર કરે છે. સૂક્ષ્મ શરીરમાં આવેલા મુખ્ય ૧૧ ચક્રોને ‘જીવદ્રવ્યશરીર’ના ઊર્જા કેન્દ્રો કહેવામાં આવે છે. મોટા ચક્રો લગભગ ત્રણ-ચાર ઈંચ જેટલા કદના અને નાના ચક્રો લગભગ એકાદ બે ઈંચ જેટલા કદના હોય છે.

બેઇજિંગના ‘ચાઇના ઈમ્યુનોલોજી સેન્ટર’માં થયેલો એક પ્રયોગ પ્રાણિક હિલિંગની અકલ્પ્ય અસરકારતા દર્શાવે છે. ડી.બી.એ ઉંદરના લ્યુકેમિયા (બ્લડ કેન્સર) કે.એલ. ૧૨૧૦ કોશિકાઓ પર પ્રાણિક હિલિંગ દ્વારા ઉત્સર્જિત દૈવી ઊર્જાનો પ્રભાવ કેવો પડે છે તેનું તેમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રયોગ માટે પસંદ કરાયેલ ઉંદરોના એક સમુદાયને દસ દિવસ સુધી પંદર મિનિટ માટે પ્રાણઊર્જા પ્રસારિત કરવામાં આવી. જ્યારે બીજા જૂથને તે આપવામાં આવી નહોતી. એનું પરિણામ જોઇ શરીરવિજ્ઞાાનીઓ પણ વિસ્મયમાં મૂકાઇ ગયા હતા. જેમને પ્રાણશક્તિનો ઉપચાર આપવામાં આવ્યો હતો એ જૂથના ઉંદરોમાં કે.એલ. ૧૨૧૦ કોશિકાઓ મોટી સંખ્યામાં ઘટી ગઇ હતી જ્યારે જે જૂથને પ્રાણશક્તિનો ઉપચાર આપવામાં આવ્યો નહોતો તેના ઉંદરોમાં કેન્સર કરનારી કે.એલ. ૧૨૧૦ કોશિકાઓમાં જરાય ઘટાડો થયો નહોતો. આ પ્રયોગ દર્શાવે છે કે પ્રાણિક હિલિંગ કેન્સર જેવા ભયાનક રોગને મટાડવા કેટલી અસરકારક બની શકે છે !

બેઈજિંગની આ સંસ્થામાં એક અન્ય પ્રયોગ કરાયો હતો. પ્રાણ શક્તિ  (Chi Power) ના સંપર્કમાં આવ્યા પછી શરીરની રોગ-પ્રતિકારક શક્તિ (Immunity) માં કોઇ ફેરફાર થાય છે કે નહીં તે જોવાનો આ પ્રયોગ હતો. ગિગાંક માસ્ટર્સે ઉંદરોના એક જૂથ પર પ્રાણ શક્તિનો ઉપચાર કર્યો હતો. જ્યારે બીજા જૂથ પર પ્રાણ શક્તિનો ઉપચાર કર્યો નહોતો. પ્રાણશક્તિનો ઉપચાર પામેલા ઉંદરોની રોગ-પ્રતિકારક શક્તિ (ઇમ્યૂનિટી) અત્યંત વધી ગયેલી જોવા મળી હતી- પ્રાણશક્તિ પેરિટોમિયલના મેક્રોફેગસની ફેગોસાઇટિક ક્રિયામાં સારા એવા પ્રમાણમાં વધારો કરે છે. ‘પ્રાણ- ધ સિક્રેટ ઑફ યોગિક હિલિંગ’ના લેખક અને પ્રાણ ચિકિત્સક આત્રેયે એક મહિલાને પ્રાણ ચિકિત્સા આપી તેની મોટા કદની ઓવેરિયન સીસ્ટ (Cyst) ને ઓગાળી તેને સારી કરી દીધી હતી. આ ચિકિત્સાથી અનેક રોગો દૂર થયાના ઉદાહરણો જોવા મળ્યા છે.+

યોગથી શું પ્રાપ્ત થાય છે આરોગ્ય સારું રહે છે, આપણે જાતને પામીએ છીએ અને બધા માટે સૌથી મહત્વનું કે ઈશ્વરના દર્શન થઈ જાય છે. ભક્તોએ પરમાત્માના સ્વરૂપ પોત-પોતાની રીતે તૈયાર કર્યા છે. આથી દરેકના પોત-પોતાના ભગવાન છે. એક સીધી વ્યાખ્યા એવી છે કે જે દિવસે તમે અંદર અને બહારથી આનંદિત રહો છો, સુખ-દુ:થી બહાર થઈ જાઓ છો અને ક્ષણે તમે પરમાત્માને પ્રાપ્ત કરી લો છો. પરમાત્માનું એક સ્વરૂપ આનંદ છે. કિષ્કિંધા કાંડમાં બાલિએ શ્રીરામનાં દર્શન અંગે જે ટિપ્પણી કરી હતી તે યોગમાં પ્રાણયામનો વિષય છે. એટલે કે યોગનો ચોથો તબક્કો. શરીરમાં જે વાયુ પ્રગટ થયેલો છે તેને પ્રાણ કહે છે. તેને રોકવો તેનો આયામ છે. ત્રણ રીત છે – રેચક: નાકના એક છિદ્રને દબાવીને બીજામાંથી વાયુ બહાર કાઢવો. પૂરક: બીજા છિદ્ર દ્વારા વાયુ અંદર લેવો. કૂંભક: વાયુના અંદર ઘડાની જેમ રોકવું. આઠ પ્રકારના પ્રાણાયામ જણાવાયા છે, જેની માહિતી અનેક સાહિત્યોમાંથી મળે છે. સંસ્કૃતમાં વાયુને પ્રાણ કહેવાયો છે. વાયુના નિયંત્રણના વિજ્ઞાનનું નામ પ્રાણાયામ છે. શરીરમાં દસ પ્રકારના પ્રાણ હોય છે. 1. પ્રાણ: પ્રયાણ કરે છે, એટલે પ્રાણ કહે છે. 2. અઅપાન: જે ભોજન કરવામાં આવે છે તેને જે વાયુ નીચે લઈ જાય છે. 3. વ્યાન: જે વાયુ તમામ અંગેનો વિકાસ કરે છે. 4. ઉદાન: જે મર્મ સ્થળોને ઉદ્વેલિત કરે છે. 5. સમાન : જે તમામ અંગોમાં સમાન સ્વરૂપે ચાલે છે. 6. નાગ: જે મોઢેથી કંઈક બહાર કાઢવામાં કારક છે. 7. કૂર્મ: આંખ ખોલવામાં કૂર્મ નામનો વાયુ આવેલો છે. 8. કૃકલ : છીંકમાં. 9. દેવદત્ત : જંભાઈમાં. 10. ધનંજય: સંપૂર્ણ શરીરમાં રહે છે અને મૃત શરીરને પણ છોડતતો નથી. પ્રાણાયામનું પરિણામ : મળ, મૂત્ર અને કફનું પ્રમાણ ઘટે છે. શરીર હળવું બને છે, ઝડપથી ચાલવાની શક્તિ, હૃદયમાં ઉત્સાહ, સુંદરતામાં વધારો, યુવાનીમાં સ્થિરતા અને સ્વરમાં મિઠાસ. ઉપરાંત તપ, પ્રાયશ્ચિત, યજ્ઞ, દાન અને વ્રત વગેરે પ્રાણાયામની સોળમી કળા જેટલા પણ નથી.

……………..

પ્રાણ ચિકિત્સા પુ વિભાકર દાદા દ્વારા આવિષ્કાર કરેલ અદ્ભુત પધ્ધતિ છે.

સામાન્ય રીતે પાણી ઢાળ હોય તે બાજુ વહે છે. પ્રાણ પણ એ જ સિધ્ધાંત ઉપર કાર્ય કરે છે. આપણે સર્વે પ્રાણના દરિયામાં જીવીએ છીએ. જેની પ્રાણ ગ્રહણ કરવાની શક્તિ વધારે તે વધારે પ્રાણ ખેંચે. આવી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારૂં રહે. એટલે, જે નિયમિત રીતે ધ્યાન, પ્રાણાયમ,યોગ કરે છે તે આ પ્રાણના દરિયામાંથી કુદરતી પ્રાણ વધારે મેળવે.

જે આધ્યાત્મિક વ્યક્તિ છે જેને આધ્યાત્મિક પ્રગતિ કરવી છે અને જેણે પુર્ણ શક્તિપાત મેળવેલ છે તેનો પ્રાણ પાણીની જેમ ચોતરફ વહેતો હોય છે કેમ કે શક્તિપાત થી તેનું પ્રાણ શરીરનું કવચ ખુલી ગયું છે.હવે કોઈપણ વ્યક્તિ આવી વ્યક્તિના સંપર્કમાં આવે ત્યારે સહજ પ્રાણનું આદાન પ્રદાન ચાલુ થાય છે.

પુ. દાદાએ આ જ સિદ્ધાંત નો ઉપયોગ કરી પ્રાણ ચિકિત્સા જેવી પ્રાણ આપવાની પદ્ધતિ આજ થી ૪૦-૪૫ વર્ષ પહેલાં શોધી છે.આપણું સ્થુળ શરીર છે અને શરીરની અંદર વિવિધ કાર્યો કરવા જુદા જુદા અવયવોને છે જેમ કે હ્રદય,ફેફસા,લીવર,આંતરડા, કીડની વગેરે. જે દરેકના પોતાના કાર્યો છે.હવે કોઈપણ કારણથી આ અવયવોમાં બિમારી આવે છે. જે ઠીક કરવા આપણે બાહ્ય એલોપૈથી,આયૉર્વેદીક, હોમિયોપેથીક દવા લઈએ છીએ. વારંવાર દવા લેવાથી શરીરમાં કંઈક અને કંઈક અસર થાય છે. જે રોગ છે તે અન્ય સ્વરૂપે બહાર આવે છે.

આ વસ્તુને આપણે પ્રાણના સ્વરૂપે સમજીએ. શરીરમાં જુદા જુદા અવયવોને છે તેમ જ કરોડરજ્જુના ભાગમાં સાત ચક્રો છે. જે ચક્રો આધ્યાત્મિક સાધનામાં પણ મહત્વના છે. આ ચક્રો શરીરના અવયવો સાથે સંકળાયેલા છે.વળી શરીર આખું પ્રાણ અથવા વિધ્યુતમય છે. આપણી ઘરની વિદ્યુત ની જેમ બે પોલ છે તેમ ચક્રો +ve તરીકે અને અવયવો -ve તરીકે કાર્ય કરે છે અને વીજસર્કીટ પુરી કરે છે. જ્યારે શરીર બિમાર પડે છે ત્યારે આ વીજ પોલ બદલાય જાય છે એટલે કે ચક્રો  -ve પોલ બને છે અને અવયવો  +ve પોલ બને છે. જો પુર્ણ શક્તિપાત વાળી વ્યક્તિ જો પ્રાણ આપી આ વીજ સર્કીટ ને બદલી નાંખે તો બિમાર માણસ સ્વસ્થ બની જાય.

પ્રાણચિકિત્સકે સિધ્ધ ગુરુ પાસેથી શક્તિપાત ની દીક્ષા લીધેલ હોવી જોઈએ, નિયમિત રીતે સાધના કરતો હોવો જોઈએ, પ્રાણ ચિકિત્સા શિબિર દ્વારા પુરેપુરી માહિતી અને અનુભવ લીધેલો હોવો જોઈએ. તેમ જ નિઃસ્વાર્થ પણે પુરેપુરી સેવા ભાવના જાગૃત થયેલ હોવી જોઈએ. આમાં કુદરત કરે છે અને આપણે માત્ર નિમિત્ત છીએ તેવું દૃઢપણે માનવું જોઈએ. પોતાની જાતે જ ચાલુ કરી દે તો દર્દીનો રોગ લાગુ પાડવાની પુરેપુરી શક્યતાઓ છે. જેનો પછીથી કોઈ જ ઈલાજ નથી.

જરૂર છે ઉદ્દાત્ત ભાવનાની,  સમર્પણની, ઉમદા હેતુની.

 પ્રાણ ચિકિત્સા બાબતે જરૂરી ચેતવણી:  પ્રાણ ચિકિત્સા પદ્ધતિને કાનૂની રીતે સરકાર દ્વારા કે મેડિકલ સાયન્સ દ્વારા પ્રમાણિત નથી કરાયેલ.  આ ચિકિત્સા પધ્ધતિ આધ્યાત્મિક અને માનસિક સ્તર પર નિસ્વાર્થ સેવાના પાયા પાર રચાયેલ છે. પ્રાણ ચિકિત્સા કરનાર અને પ્રાણ ચિકિત્સા લેનાર, બંને પાત્રોએ આ બાબત ધ્યાનમાં રાખી કામ કરવું જેથી કરીને બંને પાત્રો વચ્ચે કોઈ કાનૂની અને તબીબી તકરાર ના થાય. નિસ્વાર્થ સેવાના પાયા પર જ આ પધ્ધતિ રચાયેલ હોવાથી પ્રાણ ચિકિત્સકે દર્દી પાસેથી કોઈ પ્રકારનું અવેજ ના લેવાની ખાસ ભલામણ  ગુરુજી વિભાકર દાદાએ દરેક પ્રાણ ચિકિત્સકને દીક્ષા વખતે પ્રેમથી સમજાવેલી છે અને વર્તમાનમાંગુરુજી વિશાલ ભાઈ પણ તે જ વાત દીક્ષા વખતે દરેક સાધકને સમજાવે  છે. સાધકોની જાણ ખાતર તે જ વાતઅહીં ફક્ત રજૂ જ કરીએ છીએ.

Leave a comment

Filed under Uncategorized

ફ્રેશ:તાજું,નવું અને… Paresh Vyas

ફ્રેશ:તાજું,નવું અને… Paresh Vyas

આજુ-બાજુ

તાજું-તાજું

હોય પુષ્પની જેમ

ના પ્રાપ્તિ : બસ પ્રેમ

હો વ્યાપ્તિ પ્રિય, એમ

– મનોહર ત્રિવેદી

પ્રેમમાં સઘળું પુષ્પ જેવું તાજું હોય છે. તાજાં માટે ઇંગ્લિશ શબ્દ છે ‘ફ્રેશ’ (Fresh). પ્રેમ થાય ત્યારે આપણને કશું ય વાસી લાગતું નથી. પ્રેમમાં ઊંઘ વેચીને ઉજાગરો કર્યો હોય તો ય પ્રેમીઓ સાંગોપાંગ ફ્રેશ જ હોય છે. ‘તાજગી’ કે ‘નવીન’ ઉપરાંત ‘ફ્રેશ’ શબ્દનાં અર્થમાં અવનવાં ફ્રેશ(!) ઉમેરણ થતાં રહે છે.

ન્યૂયોર્ક ટાઈમ્સનાં એક ફ્રેશ લેખનું શીર્ષક છે: ‘ફ્રેશ લૂક ફોર અ કોમન વર્ડ’. ફ્રેશ શબ્દ આપણે મન કોમન છે. ફ્રેશ એટલે તાજું. મચ્છીબજારનાં શોરગૂલમાં સંભળાયા કરે છે તે શબ્દો: તાજી અને તરફડતી! એટલે એવી માછલી જે હજી હમણાં જ પાણીમાંથી બહાર આવી છે, અને એટલે તરફડે છે. એટલે કે ફ્રેશ માછલી! આહા! અને કશું નવું હોય એને ય ફ્રેશ કહેવાય. કોઈ ભાયડો પોતાની બૈરીને માટે કારનો દરવાજો ખોલે તો જાણવું કે કાં તો બૈરી ફ્રેશ છે અથવા તો કાર ફ્રેશ છે. કોઈ નોકરી છોડીને ધંધો શરૂ કરે તો એ એનો ફ્રેશ સ્ટાર્ટ કહેવાય.

એક ફ્રેશ સમાચાર છે. કોંગ્રેસ છોડી ચૂકેલા ગુલામનબી આઝાદે કહ્યું કે.. રાહુલ ગાંધી વિદેશ જાય છે ત્યારે તેઓ પોતે ઘણાં અનિચ્છનીય બિઝનેસમેનને ત્યાં મળે છે. ‘બિઝનેસ ઇનસાઇડર’નાં આ સમાચારનાં શીર્ષકમાં -આઝાદનો રાહુલ સામેનો ફ્રેશ સૅલ્વો- એવો શબ્દો હતા. ‘સૅલ્વો’ એટલે તોપમારો. અલબત્ત આ તો શબ્દોનો તોપમારો હતો પણ એ હતો ફ્રેશ, યૂ સી! અને ‘એબીપી’ અનુસાર કોંગ્રેસી નેતા જયરામ રમેશે પણ નરેન્દ્ર મોદી સામે ફ્રેશ સૅલ્વો કરતા કહ્યું કે પ્રોજેક્ટ ટાઈગર ૫૦ વર્ષોથી ચાલે છે પણ મોદી એનો પૂર્ણ જશ ખાટી જશે. અમે માનીએ છે કે ભલે ખાટે. એ ય આવડત જોઈએ. ઇન્ડિયામાં બહોત સારે ટાઈગર્સ અભી જિંદા હૈ! -એ સારા સમાચાર છે. અને અન્ય સમાચારોમાં- દેશમાં કોવિડનાં નવા કેસ વધે એટલે -ઈન્ડિયા રીપોર્ટ્સ __ ફ્રેશ કોવિડ કેઈસિસ- એવા શીર્ષકનાં સમાચાર વારંવાર વાંચવા મળે છે.

ચાલો, ફ્રેશ શબ્દની વાસી વાત કરીએ. બારમી સદીમાં મૂળ પ્રોટોજર્મન મૂળનો શબ્દ ‘ફ્રેશકાઝ’ એટલે જે ખારું નથી એ, એટલે કે સ્વાદ વિનાનું અથવા ગળ્યું એવો અર્થ થતો હતો. પણ પછી ફ્રેશનાં અર્થમાં ‘નવું’ અથવા ‘હમણાંનું’ એવો અર્થ શામેલ થયો. એટલે કે જે બગડેલું નથી કે ઘસાઈ ગયેલું નથી- એવો અર્થ થાય. આજે ફ્રેશ શબ્દનો ઉપયોગ’ કૂલ’ અને ‘ફેશનેબલ’ એવાં અર્થમાં પણ થાય છે. આ નવાં અર્થ છે. કોઈ ચીજ ખૂબ સરસ હોય, મસ્ત મસ્ત હોય તો એને ય ફ્રેશ કહેવાય. જો કે -ટૂ ગેટ ફ્રેશ વિથ સમવન-નો અર્થ થાય કોઇની સાથે ઉદ્ધતાઈથી વર્તવું. એક છોકરી પોતે મુક્કાબાજીની ચેમ્પિયન હતી એટલે કોઈ પણ છોકરો એની સાથે ફ્રેશ નહોતો થઈ શકતો! ગુજરાતી લેક્સિકન અનુસાર ‘ફ્રેશ’નાં અન્ય અર્થોમાં ઉદ્ધત, અવિનયી, કામોન્મત્ત પણ શામેલ છે. વેબ્સ્ટરની ન્યૂ વર્લ્ડ કોલેજ ડિક્સનરી અનુસાર ‘ફ્રેશ’ એટલે કશુંક અવનવું, મૌલિક, બિનઅનુભવી કે પછી આ પહેલાં ક્યારેય જાણ્યું કે અનુભવ્યું ન હોય એવું. રાતે સૂઈને ઊઠીએ એટલે ફરીથી શક્તિનો સંચાર થાય એ ‘ફ્રેશ થયા’ એવું કહેવાય. મુહાવરો છે એઝ ફ્રેશ એઝ ડેઈઝી. ડેઈઝી(ગુલબહાર)નાં ફૂલોની પાંદડીઓ રાતભર બંધ રહે અને સવારે ખીલે એવું ફ્રેશ. ફ્રેશ બ્રેડ એટલે જે બગડેલી નથી એવી બ્રેડ. તાજી રાંધેલી કે તાજી ઊગાડેલી વસ્તુઓ ફ્રેશ કહેવાય છે. કોઈ પ્રીઝર્વેટિવ વિના કે પ્રોસેસ કર્યા વિનાની ફૂડ આઇટેમ્સ પણ ફ્રેશ કહેવાય છે. કેરી ઉનાળાની સીઝનમાં મળે ત્યારે એ ફ્રેશ ફ્રૂટ કહેવાય. સફરજનની સીઝન અત્યારે નથી. એટલે સફરજન અત્યારે ફ્રેશ ફ્રૂટ ન કહેવાય. હવે દરિયાનાં પાણીની માછલી હોય તો એ સોલ્ટ વોટર ફિશ કહેવાય પણ નદી કે સરોવરની માછલી હોય તો? એને કહેવાય ફ્રેશ વોટર ફિશ. અપ્રદૂષિત અથવા તો શુદ્ધ હવા હોય તો એ ફ્રેશ એર કહેવાય. અને જેની નોકરી હમણાં નવી નવી લાગી હોય તો એ જણ પણ ફ્રેશ કહેવાય. કોલેજમાં પહેલાં વર્ષનાં સ્ટુડન્ટ્સ ફ્રેશર્સ કહેવાય. અને કોઈની યાદ પણ જો ફ્રેશ હોય તો એનો અર્થ એ કે એ વ્યક્તિ ભૂલાઈ નથી. જાવેદ અખ્તર સાહેબનાં શબ્દોમાં ‘મુઝે હૈ યાદ વો સબકુછ જો કભી હુઆ હી નહીં!’ પ્રેમની તો એ કેવી પરાકાષ્ઠા કે જે નથી થયું એ સઘળું પણ પ્રેમીનાં મગજમાં ફ્રેશ છે. લો બોલો!

ર. પા.નાં શબ્દોમાં ‘જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ..’- એવો ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે. એમાં ફ્રેશ કેવી રીતે રહેવું? ફુવારા સ્નાન, પરસેવા પ્રતિકારક સુગંધી દ્રવ્યો, સુતરાઉ હવાદાર વસ્ત્રો અગત્યની બાબતો છે. પણ પરસવો થયો હોય ત્યારે સુગંધી સ્પ્રે છાંટીને દુર્ગંધને દાબી દેવી પૂરતું નથી. હાથપગ, મોઢું ઠંડા પાણીથી ધોતાં રહેવું. અને દિવસભર પાણી પૂરતું પીવું. શ્વાસમાંથી દુર્ગંધ ન આવવી જોઈએ. શરીરનાં વસ્ત્રો સમયાંતરે બદલાતા રહેવું. અને સૌથી અગત્યની વાત તો રહી જ ગઈ. પૂરતી ઊંઘ. ઊંઘનો અભાવ હોય તો કોઈ પણ વ્યક્તિ ફ્રેશ શી રીતે રહી શકે? અને ધુમ્રપાન ન કરવું, કસરત કરવી અને રોજ એક ફળ તો ખાવું ખાવું ને ખાવું…. હવે સલાહ બંધ કરો મિ. પરેશ વ્યાસ..પણ બધા છાપાળાં લેખકો સલાહ જ આપતા હોય છે. આદત સે મજબૂર! હે સુજ્ઞ વાંચક, દરેક દિવસ ફ્રેશ સ્ટાર્ટ હોય છે. ઇતિ..

શબ્દ શેષ:

“ફ્રેશ સ્ટાર્ટ એ નવી જગ્યા નથી. એ નવું માઈન્ડસેટ છે.” –અજ્ઞાત

Leave a comment

Filed under Uncategorized

ઓચિંતો ત્રાટક્યો અષાઢ – દાન વાઘેલા

ભાવનગરના શિક્ષક કવિ શ્રી દાન વાઘેલાનો આજે જન્મ દિવસ છે, જન્મદિવસની શુભેચ્છાઓ
મધુરા ગીત બદલ ધન્યવાદ ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
યાદ આવે કામરૂપ ખાતેના પ્રસિધ્ધ કામાખ્યા દેવીના મંદીરે અંબુબાસી તહેવાર મનાવવામાં આવે છે. કહેવાય છે કે, આ દિવસે દેવી રજ:સ્વલા થાય છે. અષાઢ સુદ એકમે પૃથ્વી પણ રજ:સ્વલા થાય છે એવું મનાય છે.
કવિઓને પ્રણયરંગી કાવ્યો સર્જીને પ્રેમરસમાં મસ્ત થવાનો આ માસ છે, તો પ્રેમી યુગલોને પ્રેમરસ પાન કરવાનો ‘મધુમાસ’ છે. અષાઢનાં પ્રથમ દિને કોઈને પ્રિયત્તમાનું મધુર સ્મરણ થાય, તો પ્રભુપ્રેમીને આભમાં ગાજવીજ કરતા વાદળો વર્ષાના દેવ ઈન્દ્રનું વાદળમાં છૂપાઈને ડમરું વગાડતા ભગવાન શિવજીનું સ્મરણ થાય.પ્રકૃતિ કવિ કાલિદાસની મહાન ‘મેઘદૂત’નું સ્મરણ થઈ આવે.
મને ચઢી ગઇ રોમ રોમ ટાઢ
સ્વર : હેમાલી વ્યાસ નાયક
સ્વરાંકન : આલાપ દેસાઇ
માણો

ROM ROM TAADH – HIMALI VYAS NAIK – ALAP DESAI – SUR VARSHA – {live version}

ROM ROM TAADH – HIMALI VYAS NAIK – ALAP DESAI – SUR VARSHA – {live version}

Leave a comment

Filed under Uncategorized

નેહાની ઢીંગલી.શ્રી આનંદ રાવ

 

  • મા શ્રી આનંદ રાવ લિંગાયતજી
     વાર્તા  ”ઢીંગલી”. માણી.લાગણીઓનાં નાનાં મોટાં વાવાઝોડાંની જાળમાં ક્યારેક જબરજસ્ત ફસાઈ જવાય છે. વાર્તાના નાયક અને નિર્દોષ  દતક બાળા નેહાની ઓળખાણથી શરુ થયેલ વાર્તા આપણને  અવારનવાર થતા સહજ અનુભવો ની મજા કરાવે છે ત્યાર બાદ  આ વાર્તાના પાત્ર  ડો. અવનીની વીતક  નારીસંવેદના છે. નાયિકા બોલ્ડનેસ દાખવે છે.તે સંકુચિતતા કે પરંપરામાંથી મુક્ત થઇને પોતાના સંજોગો અને માનસિકતા પ્રમાણે આચરણ કરે છે.આ કનૈયાલાલ મુનશીનો મારા,તારા અને આપણા છોકરાઓને સહજ સ્વીકારવાનો જમાનો નથી.આ આર્થિક રીતે આત્મનિર્ભર નારી, પશ્ચિમી પરિવેશ અને ભૌતિકવાદી જીવન અભિગમ-આ ત્રણેની કશ્મકશ વાર્તાને નોંખી બનાવે છે.એન.આર.આઇ. પાત્રોની વિચારસરણી અને મુક્તજીવનશૈલી પણ આ વાર્તામાં નિરૂપાઇ છે.- જાતીયતા, ભાવાવેગો, રતિઇચ્છાપૂર્તિ કે એવી તેવી સંવેદનાઓનું નિઃસંકોચ છતાં વિવેકપૂર્ણ આલેખન પણ અહીં ધ્યાનપાત્ર બને છે.- કેવળ આર્થિક પગભરતા એ નારીને સાંવેદનિક કે માનસિક સમસ્યાઓથી મુક્ત નથી રાખી પરંતુ વ્યક્તિ સ્વાતંત્ર્યથી પણ મુક્ત છે તે વાસ્તવિકતા અહીં સ્વીકારવી જ રહી.ઢીંગલીનુ માથુ છુટ્ટું પડી ગયુ પ્રતિક દ્વારા વાર્તાનો હ્રદયદ્રાવક અંત  વાચકને નેહાના ભવિષ્ય અંગે કલ્પના કરવાનો છે.અમારા વિચારવમળે જે રશિયન ઢીંગલી પીટ્રો પેડ્રિલો જે પપેટ થિયેટર્સનો લોકપ્રિય પાત્ર બની ગયો હતો .ઘણી સદીઓથી, પાર્સલી લગભગ દેશભરમાં પ્રેમનું કારણ બને છે. તે એક ચુસ્ત, પરંતુ રશિયન પપેટ થિયેટરનું ઓળખી શકાય તેવું પ્રતીક બની ગયું,  તે રશિયન માનસિકતાનો ઢોળાવ છે. જવાબદાર, જીભમાં તીવ્ર, નિર્ભય, ઉત્સાહ ન્યાય, વાહક અને જીત મેળવવામાં મદદ કરે છે – આ તે જ રીતે તમે આ પપેટ પાત્રની છબીને પાત્ર બનાવી શકો છો. પાર્સલી પાસે ઘણા નામો હતા.  યુક્રેનમાં – વાનકુ રૂ-ટાય-તુ.  સમય જતાં, આ બધા નામો ભૂલી ગયા હતા -હવે માથું જોડીએ…ઇંડા માટે ટ્રેઝિંગ ટ્રેઝ અને તેમને ઉકળતા પાણી સાથે રેડવાની છે.સંપૂર્ણ સંમિશ્રણ પછી, વધારાનું પાણી દબાવો અને 3: 1 ગુણોત્તરમાં PVA ગુંદર ઉમેરો.ધ્યાનમાં રાખીને તમારે શરીરના અનુગામી આ જોડાણ માટે અગાઉથી સિલિન્ડર શામેલ કરવાની જરૂર છે.રાઉન્ડ બેઝ લઈને, અમે તેને ઘણી બધી માટે તૈયાર કરીએ છીએ અને વધુમાં એમ્બૉસ્ડ વિગતોને શિલ્પ: નાક, કપાળ, કાન, ચિન.આધારની સંપૂર્ણ સૂકવણી પછી વધુ ક્રિયાઓ બનાવવામાં આવે છે. પેઇન્ટ સાથે દોરવામાં હાથનો ઉપયોગ:પાણી-સ્તરના પેઇન્ટના માથાને આવરી લે છે, સૂકવણી પછી તેઓ સમગ્ર સપાટીને શારિરીક રંગના સ્પર્શથી ઢાંકી દે છે;અમે ચહેરાની લાક્ષણિકતાઓ દોરીએ છીએ, અમે તેમને સારા અને હસતાં કરીએ છીએ;આગળ, વાળ સાથે વ્યવહાર. અમે ફ્રેમ પર પસંદ કરેલા થ્રેડોને પવન કરીએ છીએ. ધારની આસપાસ તેમને કાપી;અમે માથાના માથાના વાળ સાથેના આધારને ગુંદર કરીએ છીએ – તે કેપ્પરથી મોટા કદના સમાનતાને વળગે છે.ઉપરોક્ત માહિતી પાર્સ્લી થિયેટર: ઇતિહાસ માંથી લેવામા આવી છે.

નેહાની ઢીંગલીનુ માથુ છુટ્ટુ પડ્યુ…’ વાતે યાદ આવે અમારી પૌત્રી નેહા !  ૧૯૯૪ માં, સુરતમાં ન્યુમોનિક પ્લેગ ફાટી નીકળ્યો.અમારી દીકરી યામિની અને દીકરો પરેશ ન્યુમોનીક પ્લેગ  ડ્યુટી પર હતા.ત્યાં સમાચાર આવ્યા કે અમારી દીકરી છાયા અને અમારી પૌત્રી નેહાને દિલ્હી પાસે અકસ્માત થયો.તેમા છાયાને ફ્રેકચર સાથે  બેભાન અવસ્થામા હોસ્પિટલમા દાખલ કરી પણ દીકરીની દીકરી નેહાનુ માથુ છુટ્ટુ પડી સામેની બસની હેડ લાઈટમા ભરાયું અને ધડ જમીન પર કાદવમા તડફડતુ હતુ.અમે દિલ્હી જવા રવાના થયા …ત્યાર બાદ ચિ સૌ છાયા ઠીક થયા બાદ આશ્રમમા રહ્યા… તેનો માનસિક આઘાત મટ્યો. તેને સમજાયુ કે કોઈપણ પરિસ્થિતિ વિશે ચિંતા કરવાથી તો દુઃખ અને અશાંતિ વધવાનાં જ. પણ તેના ઉપર ચિંતન કરવાથી ચિંતા ઓછી થઈ જશે. ચિંતા ઉપર ચિંતન કરવું, મનન કરવું, તેનું વિશ્લેષણ કરવું.. આ સમજ જાગૃત થતાં પછી ચિંતા ચાલી જાય છે. મન ચિંતામાંથી મુક્ત થયા પછી સમસ્યાઓ હળવી બની જાય છે. અથવા તો તે પછી ધ્યાન આપવા જેવી બાબત પણ લાગતી નથી.ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય કે વ્યક્તિને એવું લાગે કે તે ચારેબાજુ દુઃખથી ઘેરાઈ ગઈ છે, ત્યારે તે ખૂબ જ ચિંતા કરવા લાગે છે. યાદ રાખવું કે ભગવાન એક દ્વાર બંધ કરે છે, તો બીજાં બે દ્વાર ખોલી આપે છે. ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવાથી ભગવાન બીજું દ્વાર ખોલી આપે છે. सर्वम् क्षणिकम्, सुखम् क्षणिकम् दुःखमपि क्षणिकम् બધું જ અસ્થાયી છે. એ સમજાયા પછી સુખ અને દુઃખ બંનેમાં તાટસ્થ્ય આવે છે. પછી કોઈ પણ જાતના બાહ્ય સંજોગો ખળભળાવી શકતા નથી. 

Leave a comment

Filed under Uncategorized

સ્વાહા./હરીશ દાસાણીજી

Harish Dasani <harishdasanu@gmail.com> wrote:

સ્વાહા__
______.

હરે હરિ હરી.
હરિ બોલશે હા.
હા હા  હા.
હરિ ઓમ હા.
સ્વાહા.
સ્વધા સ્વાહા.
ઓમ અગ્નિર્મય આ સર્વ.
આકાશે સ્વાહા.
વાયુર્મય આ સર્વ
આકાશે સ્વાહા.
હા પણ સ્વાહા
ના પણ સ્વાહા.
દેહ સ્વાહા દેહી સ્વાહા
શૂન્ય સ્વાહા
એકમ્ સ્વાહા.
મૃત્તિકા સ્વાહા
મૃણ્મય સ્વાહા
સુવર્ણ સ્વાહા
સર્વ સ્વર સ્વાહા
વ્યંજન સ્વાહા
વિશેષેણ ઇતિ વિશ્વ સ્વાહા.
ય:સ્વાહા
સ:સ્વાહા
ધ્વનિ સ્વાહા
નાદ સ્વાહા
સ્ફોટ સ્વાહા
શબ્દ રૂપ આ સર્વ સ્વાહા
મન:સ્વાહા
મનોમય સ્વાહા
અહમ્ સ્વાહા
યજ્ઞમય આ ચિત્ત સ્વાહા
શકિત સ્વાહા.
હરિ ઓમ શાંતિ.

15/04/2023.
શનિવાર.
સુરત.
06/52

મા.હરીશ દાસાણીજી

 સનાતન ધર્મનો સાર —‘ શબ્દ રૂપ આ સર્વ સ્વાહા

મન:સ્વાહા
મનોમય સ્વાહા
અહમ્ સ્વાહા
યજ્ઞમય આ ચિત્ત સ્વાહા
શકિત સ્વાહા.
હરિ ઓમ શાંતિ.’ સામાન્ય જન ને સમજાવવા વિગતે વાત…

આપણા શાસ્ત્રોમાં અને પરંપરામાં હવન નું ખુબ મહત્વ છે. આપણે કોઈ પણ શુભ કાર્યની શરુઆત આપણા ઈષ્ટદેવની પૂજા અર્ચના સાથે કરીએ છીએ કારણકે તેનાથી આપણું ધારેલું કાર્ય કે શુભ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય, અને તેમાં કોઈ અવરોધ કે વિઘ્ન ન આવે. કોઈ પણ શુભ કાર્યમાં કરવામાં આવતું ઈષ્ટદેવનું આહ્વાન કે પૂજા એ હવન વિના તો અપૂર્ણ માનવામાં આવે છે. અને એટલે જ આપણા શાસ્ત્રોમાં પૂજા દરમિયાન હવનનુમ મહ્તવ સમજાવામાં આવ્યું છે. કારણકે હવનમાં અગ્નિદેવની સાક્ષી હોય છે અને અગ્નિ દેવની સાક્ષી એ થતું કોઈ પણ કામ સરસ રીતે પાર પડે છે. હવનમાં તમામ દેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે. સાથે જ હવનકુંડમાં અગ્નિ દેવને સામગ્રી અર્પણ કરવામાં આવે છે, અને તેની સાથે ‘સ્વાહા’ શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે છે. કેટલાક જાણકારો તો કહે છે ‘સ્વાહા’ શબ્દના જાપ કે તેના ઉચ્ચાર વગર તો યજ્ઞ કે હવન પણ સફળ નથી રહેતો. ત્યારે સવાલ તો એ છે કે ‘સ્વાહા’નું આટલું મહ્તવ કેમ ?  આપણે ત્યાં એક કથા છે કે, ‘સ્વાહા’ પ્રજાપતિ દક્ષની પુત્રી હતા. પ્રજાપતિ દક્ષે તેમની પુત્રી ‘સ્વાહા’ના અગ્નિદેવ સાથે વિવાહ કર્યા હતા. આ જ કારણે અગ્નિદેવને જે પણ અર્પણ કરવામાં આવતું તે સૌથી પહેલાં તેમના પત્ની ‘સ્વાહા’ પાસે પહોંચતુ. એટલે કે દેવી ‘સ્વાહા’ જે પણ વસ્તુ કે દ્રવ્ય અગ્નિદેવને અર્પણ કરે છે તેનો અગ્નિદેવ સ્વીકાર કરે છે.એક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ એ દેવી સ્વાહાને વરદાન આપ્યું હતું કે કોઈ પણ હવનમાં કોઈ પણ દેવતાને અર્પણ કરવામાં આવતું કોઈ પણ દ્રવ્ય દેવી સ્વાહાને યાદ કર્યા વગર કે તેમના ઉચ્ચાર વગર દેવતાઓ સુધી નહીં પહોંચે.તેથી જ આજે પણ કોઈ પણ હવનમાં ‘સ્વાહા’નો ઉચ્ચાર થાય છે. અને સ્વાહાના ઉચ્ચાર વગર યજ્ઞ પણ સફળ નથી થતો. કારણકે કે કોઈ પણ દેવતાને પ્રસન્ન કરવાની આપની કામના ત્યાં સુધી પરિપૂર્ણ નથી થાતી જ્યાં સુધી તેમને અર્પણ કરવામાં આવતી તે વસ્તુ તે ગ્રાહ્ય નથી કરતાં. અને તે ગ્રાહ્ય ત્યાં સુધી નથી કરતાં જ્યાં સુધી ‘સ્વાહા’ ઉચ્ચારણ નથી થતું કે દેવી સ્વાહાને પહેલાં અર્પણ નથી થતું.આ વાત આધ્યાત્મિક રીતે સમજીએ…

હરિ ઓમ શાંતિ ક્યારે થાય? 

જ્યારે 

અહંકાર મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર

શંકા સર્વે મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ મોહ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ કામ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ ક્રોધ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ ભયમ્ સર્વે મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ લોભ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ રોગઃ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ આસક્તિ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ દ્વેષ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ રાગ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ દુઃખમ્ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ સર્વસ્વમ્ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
 હરિ ઓમ શાંતિ.
હરીશ દાસાણીજી  
સ્વાહા થવું નો અર્થ--બળી જવું; પાયમાલ થઈ જવું , ખવાઈ જવું.
સ્વાહા શબ્દનું મહત્વ :  સ્વાહા અગ્નિ દેવની પત્ની છે તેથી હવનમાં દરેક મંત્ર પછી તેમના નામનો જાપ કરવાથી અગ્નિ દેવ પ્રસન્ન થાય છે અને તેનાથી યજ્ઞ પૂર્ણ માનવામાં આવે છે.                                   સ્વાહા શબ્દનું ઉચ્ચારણ કરતા મંત્રોના પાઠ કરીને અને હવન સામગ્રી અર્પણ કરીને તે ભગવાનને સમર્પિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ યજ્ઞ ત્યાં સુધી સફળ નથી માનવામાં આવતો જ્યાં સુધી હવન સામગ્રી અગ્નિ દેવતાને સ્વીકાર્ય ન હોય અને તેને સ્વાહા બોલ્યા વિના પૂર્ણ નથી માનવામાં આવતી.       ઋગ્વેદ અનુસાર હવનનો સબંધ અગ્નિદેવ સાથે છે અને સ્વાહા પ્રકૃતિની એક કળા હતી, જેમના લગ્ન અગ્નિદેવ સાથે થયા હતા. એવું માનવામાં આવે છે કે તેમના લગ્ન દેવતાઓના આગ્રહને કારણે થયા હતા.   કારણ કે સ્વાહાને ભગવાન કૃષ્ણ તરફથી વરદાન મળ્યું હોવાથી હવન દરમિયાન તેમનું નામ લેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવન દરમિયાન, સ્વાહા બોલતી વખતે હવન સમાગ્રી અને સમિધાને અગ્નિમાં રેડવામાં આવે છે જેથી તે દેવતાઓ સુધી પહોંચી શકે.                                                               જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યાં સુધી સ્વાહા શબ્દનો ઉપયોગ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ યજ્ઞ અને હવન પૂર્ણ કહેવામાં નથી આવતો. વાસ્તવમાં સ્વાહા શબ્દ વિના યજ્ઞ અધૂરો છે, તેથી તેનો નિષ્ઠાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.                                 
પ્રમુખજી આપની ઉપકાર વર્ષા ભીંજવે અમને,

ઋણી રહેશું સદાયે આપના નવ ભૂલીએ તમને. ૧

સહ્યા છે કષ્ટ અપરંપાર જીવનભર તમે સ્વામી,

છતાં અમ કાળજી લેતા કશી નવ રાખતા ખામી. ૨ૐ ગુરુવે સ્વાહા
.............................................................................
કાત્યાયનિ મંત્રાઃ
કાત્યાયનિ મહામાયે મહાયોગિન્યધીશ્વરિ ।
નંદ ગોપસુતં દેવિપતિં મે કુરુ તે નમઃ ॥

॥ઓં હ્રીં કાત્યાયન્યૈ સ્વાહા ॥ ॥ હ્રીં શ્રીં કાત્યાયન્યૈ સ્વાહા ॥
અષ્ટનામનું સ્વરૂપ કેવું છે? અષ્ટનામમાં આઠ પ્રકારની વચન વિભક્તિ કહેલ છે. વચન વિભક્તિના તે આઠ પ્રકાર આ પ્રમાણે છે – ૧. નિર્દેશ – નિર્દેશ પ્રતિપાદક અર્થમાં કર્તા માટે પ્રથમા વિભક્તિ. ૨. ઉપદેશ – ઉપદેશ ક્રિયાના પ્રતિપાદનમાં દ્વિતીયા વિભક્તિ. ૩. કરણ અર્થમાં તૃતીયા વિભક્તિ. ૪. સંપ્રદાન – સ્વાહા અર્થમાં ચતુર્થી વિભક્તિ. ૫. અપાદન – છૂટા પડવાના અર્થમાં વિભક્તિ. ૬. સ્વર સ્વામિત્વ બતાવવા ષષ્ઠી વિભક્તિ. ૭. સન્નિધાન – આધારકાળ ભાવમાં સપ્તમી વિભક્તિ. ૮. સંબોધન – આમંત્રણ અર્થમાં અષ્ટમી વિભક્તિ વપરાય છે. ૧. નિર્દેશમાં પ્રથમા વિભક્તિ, જેમ કે – તે, આ, હું ૨. ઉપદેશમાં દ્વિતીયા વિભક્તિ, જેમ કે – તેમને કહો, આને કહો. ૩. કરણમાં તૃતીયા વિભક્તિ, જેમ કે – મારા વડે કહેવાયેલ, તેના દ્વારા કહેવાયેલ, મારા કે તેના દ્વારા કરાયેલ, ૪. સંપ્રદાન તથા નમઃસ્વાહા અર્થમાં ચતુર્થી વિભક્તિ, જેમ કે – ‘નમો જિનાય’ જિનને નમસ્કાર ‘અગ્નયે સ્વાહા’ ‘વિપ્રાય ગાં દદાતિ’ – બ્રાહ્મણને ગાય આપે છે. ૫. અપાદાનમાં પંચમી વિભક્તિ, જેમ કે – આને અહીંથી દૂર કરો, આને અહીંથી લઈ લો. ૬. સ્વામી સંબંધમાં ષષ્ઠી વિભક્તિ, જેમ કે – તેની અથવા આની આ વસ્તુ છે. ૭. આધાર કાલ ભાવમાં સપ્તમી વિભક્તિ, જેમ કે – તે ફલાદિ આમાં છે. ૮. સંબોધન આમંત્રણમાં અષ્ટમી વિભક્તિ, જેમ કે – હે યુવાન! સૂત્ર સંદર્ભ– ૨૦૫–૨૧૨
પ્રેરકમન્ત્રો એક એવ 'ૐ રાષ્ટ્રાય સ્વાહા' ।
Moti Shanti | બૃહદ્ શાંતી | श्री बृहत्‌-शांति | મોટી શાંતિ
https://jainstavanlyrics.com/lyrics/moti-shanti/

જિનાઃ શાન્તાઃ શાન્તિકરા ભવન્તુ સ્વાહા. ૐ મુનયો મુનિપ્રવરા રિપુ-વિજય-દુઠ્ઠભક્ષ- ...
ઓમ ગતે ગતે પરગતે પરસંગતો બોધિ સ્વાહા અક્કલની પૂર્ણતા ...
મહામૃત્યુંજય મંત્ર તેનો અર્થ, જાપ કેવી રીતે કરવો ? શુ ફળ ...

amarkathao.in
https://amarkathao.in › maha-mrity...

મહામૃત્યુંજય મંત્ર તેનો અર્થ, જાપ કેવી રીતે કરવો ? શુ ફળ મળે ? રચના કોણે...
મહામૃત્યુંજય મંત્ર, મહામૃત્યુંજય મંત્ર કથા, મહામૃત્યુંજય મંત્ર mp3 downland, મહા મૃત્યુંજય જાપ, મૃત્યુંજય મંત્ર ...


... દોઢ લાખ જાપનો દસમો ભાગ એટલે કે 12500 મંત્રોના અંતે “સ્વાહા” લગાવીને હવન કરવામાં આવે છે.આમ સ્વાહા શબ્દ વેદમા માનનાર સીવાય જૈન..ઇના મંત્રો બાદ જપવામા આવે છે 


Leave a comment

Filed under Uncategorized

The life-force PRANA.

kanak bhai asked: “I would appreciate your evaluation of the following where in  SatyNarayanDas Babaji has

interpreted the life-force PRANA.” as per link:  https://www.youtube.com/watch?v=x8XPdMwgcPcas per late S N Tavaria a parsi gentelman and our spiritual guide till 1994 in body– has explained all these in diagrammatic way..in summary–in my rough explanation-prana enters at the time of birth and rotates between Mooladhar and Swadhisthan and due to that our whole system becomes active and first cry and then machine -pumping etc starts..our breathing is 36 per minute for 9 months as need for fast development-then 18 per minute for another 9 months and then 12 per minute till we are of 27 months..there after we are influenced by society– and taught many things and while following or not following our rhythm of 12 breathing is disturbed to different  and more breathing and we become socially influenced -and so effect or power of prana is obstructed- and so we all have different personality –abnormal than a true human being– and true human has 1 breathing per minute–which syncronises with rhythm of prana- and we get adequate energy to remain as true human being..

so his emphasis was to learn this natural rhythm of breathing – he called 3srb= 3 step rhythmic breathing. for details if interest you see his web sight and study.:  https://3srb.org/ and there see tab 3srb: –> https://3srb.org/3srb/3step-rhythmic-breathing-for-inner-evolution

then technique: –> https://3srb.org/3srb/how-to-practise-3srb –read this completely…

…and there are enough FAQ–only if interest further.

two of his disiple Digant Desau  and Deepak Dhingra as later given lecture talk  at HELP, Health Education Library for People, the worlds largest free patient education library www.healthlibrary.com

hope this may help to know about prana a bit as per ancient theories.

mhthaker

https://sites.google.com/site/mhthaker/

Leave a comment

Filed under Uncategorized