આજે કેશલેસ ને ઉધાર કાલે..
એકલા આઘાતથી ગઝલ બનતી નથી,
રોકડા રળિયાતથી ગઝલ બનતી નથી. – પંચમ શુક્લ
કૈસ મજનૂ થયો અને લૈલા ઘર ઘર ગાઇ રહી છે કોઇ પથ્થરસે ના મારે મેરે દીવાનેકો.. કેશ કરન્સી ઉર્ફે નગદ નાણાં ઉર્ફે રોકડા રૂપિયાનાં જમાના ગયા. રોકડા રળિયાતથી હવે જિંદગી બનતી નથી. પૈસો પ્લાસ્ટિક બન્યો છે. પહેલાં આપણે રોકડી નાણાંકીય શૌચક્રિયા જાહેરમાં કરતા હતા; હવે બેન્ક્સ રૂપી ટોઇલેટ્સનો ઉપયોગ કરવા સ્વચ્છ ભારત મિશન ચાલે છે. અલબત્ત સાચા માણસો હેરાન થાય છે. પેન્શનર્સની હાલત કફોડી છે. નાના માણસોનાં બિઝનેસ તૂટીને બિગ બાઝારમાં ટ્રાન્સફર થઇ રહ્યા છે. પણ ફરિયાદ કરવાનો કોઇ અર્થ નથી. નવી રીત શીખી જઇએ. કાળો રૂપિયો ફૂલગુલાબી થયો છે. પણ કહે છે કે ગુલાબી ચલણી નોટો પણ ટૂંક સમયમાં પાછી ખેંચાશે. એટીએમ પણ ક્રમશ: ઘટશે. ચલણી નોટ્સની જરૂર શું રહે? લગ્નસરામાં ચાંલ્લો લખવાવાળા વાયરલેસ પોઇન્ટ ઓફ સેલ્સ ઉર્ફે સ્વાઇપ મશીન્સ લઇને બેસી ગયા હશે. મહેમાન આવે, યથાશક્તિ વ્યવહારે 101, 251 કે 501ની રકમ પોતાનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સથી સ્વાઇપ કરે. સાલી, એક રૂપિયાનો સિક્કો શોધવાની કે ચાંલ્લો રાખવા પરબીડિયાં ગોતવાની ઝંઝટ નહીં. લગ્નનાં ઘરમાં હિસાબકિતાબ રાખવાની ય ચિંતા નહીં. બેન્કનાં કમ્યુટર્સ સરવાળા બાદબાકી કર્યે રાખે. શાકભાજી વેચતા રેંકડીધારકો પાસે ય મશીન હોય. તોલમોલકે બોલેલી રકમ ગણીને નહીં પણ ઘસીને ચૂકવી દેવાની. પેટ્રોલપંપે તો મશીન હોય જ. હવે તો એમાં 0.75% વળતર પણ મળે છે. અનાજ-કરિયાણાં-દૂધ માટે પણ એવું જ. કેશ-ઓન-ડીલીવરી ઑબ્સોલીટ છે. અમને આવડતુ નથી-નાં રોદણાં ક્યાં સુધી રડશો? હવે ઇલેક્ટ્રોનિક વૉલેટ ઉર્ફે વીજાણું બટવાથી સ્ક્રીનટચ આર્થિક વ્યવહાર કરવો રહ્યો. ચીઝનાં કારખાનાનાં ઉદઘાટનમાં ડીસા આવેલા મોદીસાહેબ દિશા દેખાડતા ગયા કે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. કહી ગયા કે મોબાઇલ બેન્કિંગ નામની ચીઝ બડી હૈ મસ્ત મસ્ત! લો બોલો! પણ એમાં ય સાયબર ક્રાઇમનો ખતરો છે. ઇ-મની વધારે અથવા તો ખોટી જગ્યાએ ખર્ચાઇ જવાનો ખતરો ય ખરો. છાશમાં ચીઝ જાય ને વહુ ફૂવડ કહેવાય. હેં ને?!
શું કરવું? બેસ્ટ છે કે બચત કરો. જરૂરિયાત પૈકી અનિવાર્ય શું છે? એશોઆરામ શું છે? શું અચળ(ફિક્સડ઼્) ખર્ચ છે? શું અસ્થિર(વેરિએબલ) ખર્ચ છે? નોટબંધીએ ઘણું શીખવાડ્યુ છે. હવે લિવ લાઇફ કિંગ સાઇઝ નહીં પણ લિવ લાઇફ કરજ મુક્ત! વધારાનાં પૈસા વાપરો નહીં પણ બચાવો. વેકેશનમાં કોઇ સગોવહાલો યુરોપ જાય તો ભલે જાય. સોશિયલ મીડિયા પર ભલે ફોટા અપલોડ કરતો ફરે. આપણે અદેખાઇ કરવી નહીં. દેખાદેખી ત્યાં નહીં પરમેશ્વર! કારની સાઇઝ અને સગવડતાની ય ચડસાચડસી ચાલતી હોય છે. લોકોમાં વટ પડવો જોઇએ. નાનો ફ્લેટ કે નાનો બંગલો જામે નહીં અને ટીવી, ફ્રીઝ પણ એની સાઇઝનાં મોહતાજ બની ગયા છે. પણ આ બધું હવે બંધ. બિગ બ્રધર ઇઝ વોચિંગ! પગ કરતા વધારે ચાદર લંબાવો કે તરત જ કોઇ વીર ઇન્કમટેક્સવાળો આવીને પૂછે કે આ એક્સ્ટ્રાલાર્જ ચાદર લાવ્યા છો તો તમે ભાગે પડતો આવકવેરો ભર્યો છે?
તો મિત્રો, પ્યારા દેશવાસીઓ, હવે લક્ષ્મી માતા નહીં પણ સંતોષી માતાની ભક્તિ કરવાનો અવસર છે. હવે ઉધાર ખરીદવામાં જોખમ છે. કારણ કે ભવિષ્યમાં કયા નવા પગલા આવશે એની ખબર નથી. હું હપ્તેથી કાંઇ પણ લેતા ડરું છું. હપ્તા ભરાયા નહીં તો? સાદાઇનો જમાનો છે. માત્ર 500 રૂપિયાનાં ટોટલ ખર્ચમાં મધ્યપ્રદેશનાં એક આઇએએસ દુલ્હા આંધ્રપ્રદેશની એક આઇએએસ દુલ્હનને પરણી ગયા. હું રાજી છું. અમથીય મારામાં વધારાનાં નાણાં કમાવવાની ત્રેવડ નથી. ક્વોત્રોચીથી લઇને મહેશ શાહ સુધીનાં અનેક વચેટિયાઓ કાળાનાં ધોળા કરતા રહ્યા છે. મારામાં એવી આવડત નથી. હિંમત પણ નથી. પ્લાસ્ટિક મની મને ગમી ગયા છે. ધીરે ધીરે સઘળું શીખી લેશું. ટીકાકારો કહે છે કોઇ પણ જાતની પૂર્વ તૈયારી વિના આ નિર્ણય પ્રજા પર ઠોકી દેવાયો છે. વાત સાચી છે પણ અર્થક્રાંતિ એમ ને એમ થોડી થાય છે? નોટ ને સિક્કા નાંખ બેન્કમાં, ઓનલાઇન મારગ ચાલ!
છેલ્લી રોશની, જયપ્રકાશ–૫
ઈન્દિરા ગાંધીએ આપાદસ્થિતિ લાગુ પાડવા જયપ્રકાશ નારાયણની Total Revolution હાકલને બહાના તરીકે આગળ કરીહતી. જયપ્રકાશ પોતે, અને સામાન્ય પ્રજા, એનો અર્થ સંપૂર્ણ ક્રાન્તિ એટલે કે રાષ્ટ્રજીવનના અનેક ક્ષેત્રમાં સંપૂર્ણબદલાવ એવો કરતા.
જયપ્રકાશ સાત ક્ષેત્રમાં બદલાવના હિમાયતી હતા. સામાજીક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, વિચારધારા, શૈક્ષણિક અનેઆધ્યાત્મિક. આ બધા ક્ષેત્રમાં પ્રવેસેલી બુરાઈઓ હટાવી, સમાજમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ લાવવા માટે, એકઆંદોલનની એમણે માત્ર શરૂઆત કરી હતી. એ માનતા કે દેશના યુવાઓને આ સાત વાતો સમજાઈ જાય તો યુવાઓ આબદલાવ આવી શકશે, અને એટલા માટે એમના આંદોલનનું લક્ષ્ય યુવાઓ હતા.
Narayan with Israeli Prime Minister David Ben-Gurion in Tel Aviv, 1958
જયપ્રકાશે પાછળથી કહ્યું હતું, કે સામાન્ય માણસને ગીતા સમજવી અધરી છે, કારણકે લોકો એમાં વપરાયલા સંસ્કૃતશબ્દોનો સાચો અર્થ સમજી શકતા નથી, એવી જ રીતે મારી સંપૂર્ણ ક્રાંતિની હાકલ કેટલાક લોકો સમજી શક્યા નહિં.ઈન્દિરા ગાંધી તો સમજ્યા છતાંયે પોતાના ફાયદામાં ગેર સમજુતિ ચાલુ રાખી.
ગાંધીજી પછી જે એક બે વ્યક્તિઓ, કે જેમણે પોતાનું સર્વસ્વ ત્યાગી, પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા માટે વ્યતિત કર્યું,એમાં મારા હિસાબે જયપ્રકાશ એવા મહામાનવ હતા. ભારતને દિશા બતાવવા એ છેલ્લી રોશની હતા.
–પી. કે. દાવડા
(અહીં આ નાનકડી લેખમાળા પુરી કરું છું. થોડા દિવસ પછી, અનેક શ્રોતોમાંથી શોધખોળ કરી, ભારતને આઝાદી મળીએ પહેલાના પાંચ વર્ષ દરમ્યાન, વિશ્વમાં, બ્રિટનમાં અને હિન્દુસ્તાનમાં બનેલા નિર્ણાયક બનાવો, જે હિન્દુસ્તાનનીઆઝાદી માટે કારણભૂત હતા, તેમને આવરી લેતી, ૧૬ પ્રકરણની, Time Line ને અનુસરતી લેખમાળા રજૂ કરીશ.)