+આંસુ વિણ હરફરવાનું દુ:ખ કોને કહેવું
સાવ સૂકું ઝરમરવાનું દુઃખ કોને કહેવું
અમે અતળના મરજીવાને ક્યાં ધક્કેલ્યા
કોરાં મૃગજળ તરવાનું દુઃખ કોને કહેવું
કોઈ તજેલાં સ્થળનાં સ્મરણો પગને વળગે
એ બંધન લઈ ફરવાનું દુઃખ કોને કહેવું
કશાય કારણ વિના ઉદાસી નિત મ્હોરે ને-
પર્ણ લીલાં નિત ખરવાનું દુઃખ કોને કહેવું
કૈ જ લખાતું ના હો એવા દિવસો વીતે ઠાલા
શ્વાસો ભરવાનું દુઃખ કોને કહેવું
-મનોજ ખંડેરિયા
સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા