|
Daily Archives: જાન્યુઆરી 19, 2021
વૅ ગુના સંસ્મરણો -૧૧ પ્રથમ પાના પરની પ્રાસ્તાવિક વાતમાં પ્રમુખશ્રીનો સંદેશ+મોરપિચ્છ-વિનોદ જોશી
← તેમનો મગર હમ ન હોંગે અણસાર
તેમને ગમતા-તેમના શબ્દમા અનુભવેલ– બોટાદકરના કાવ્ય ની યાદ આપે
અવસાન
( શિખરિણી )
અધૂરી અાશાઓ હૃદય મહિં રાખી હૃદયની, અહો ! સૂતો આજે કરી અહીં પથારી મરણની;
વહે ધીમી નાડી, શિથિલતર અંગો થઈ ગયાં, હવે લેવા શ્વાસો પરિમિત મદર્થે રહી ગયા.
ગઇ અાંખો ઉંડી, પ્રથમ સમ દૃષ્ટિ નવ પડે, ક્રમેથી કર્ણાદિ અબળ અતિશે ઇંદ્રિય બને;
ઘડી ઉંડો ઉંડો ઉતરી પડું પાતાલ-તલમાં, ઘડી વાયુવેગે વિવશ વિચરૂં વ્યોમ–પથમાં.
ઘડી હાહાકારે બધિર શ્રવણે આ બની જતા, ધડી મંજુ ગાને હૃદય અનુવર્તે રસિકતા;
ઘડી સ્વર્ગસ્થોનો સહચર બનીને વિચરતો, ધડી જીર્ણારણ્યે, ભયંકર નિદ્રાઘે ભટકતો.
સમીપે શું થાયે ? ખબર નહિ તેની ધડી પડે, વિલાપો વ્હાલાંના સકરૂણ ઘડીમાં મન દહે,
ઘડી કાન્તાસંગે કદલીવનમાં કેલિ કરતો રીસાતી રામાને પ્રણય-પટુતાથી રીઝવતો.
ઘડી અંકે રાખી સુતવદન હોંશે નિરખતો, શુણી કાલાં ઘેલાં મૃદુ વચન હૈયે હરખતો;
થતી હૃત્સૃષ્ટિમાં બહુ વિધ ક્રિયાને અનુભવું, ન જાણે જેનારાં, પરવશ નહિ હું કહી શકું.અરે ! એની આશા સહજ સહુ લાગી સળગવા, વિચારો ધારેલા ઉર ઉછળી આવે ખસી જવા.
ભિષણ ધ્યાનાભાસે ધમની અવલોકે કર ધરી, ઘડી અાશાવેશી, ઘડી ઉર નિરાશા ઉલટતી; અ
રૂએ માતા પેલી, જનક–મન છાનું અહીં રુએ, નિરાશે, નિઃશ્વાસે, વ્યથિત બની મારૂં મુખ જુએ;
રે ! શાને ઘેલા વિફળ વિષયે યત્ન કરતે ? ઉકાળા આ કાળા દઈ વિવિધ કાં દેહ ભરતો ?
ચડ્યું સ્કંધે ચાહી નહિ મરણ પાછું હઠી જશે, ઉપાયો સૌ તારા વન-રૂદન જેવા થઇ જશે.
દશા આ સર્વેની જરૂર બનવાની જગતમાં, હું આજે તું કાલે નહિ ધરવી શંકા નિધનમાં.
ઉદાસી મિત્રો ને પરિચિત જનો સૌ કળકળે, પૂછે વારે વારે, અભિલષિત ના ઉત્તર મળે;
રહી શાંતિ વ્યાપી પિતૃવિપિન જેવી સદનમાં, શુણી શું મૃત્યુનો પદરવ સહુ મૌન ધરતાં ?
અરે ! આ એકાંતે રડતી મમ ભોળી પ્રિયતમા, મૂકે છે નિ:શ્વાસો પ્રલયસમયસ્પર્શન સમા;
ઘડી પાસે આવી મુજ વિલોકી નવ શકે. અધીરાં આંસુને વિપળ પણ રેાકી નવ શકે.
દશા એના દુ:ખી હૃદય તણી કેવી થતી હશે ? નિરાધારા દારા વિપદનિલથી વેપતી હશે !
સુભાગી શુંગારો ઘડી પછી શું એના ઉતરશે ? અરે ! શું મૃદ્ધંગી પ્રિયવિરહ વૈધવ્ય ભજશે ?
દયા લાવી એની નિકટ જન કોઈ નથી જતું, મુંઝાણી જાણી ના પતિવચનથી શાત કરતું;
પડે જેને માથે સહન જગમાં તે જન કરે, સહુ દુઃખે ડૂબ્યાં, ક્યમ ઇતરનું સંકટ હરે ?
રૂદંતી રામાની સમીપ શિશુ પેલાં ટળવળે, મુખે વીલે રોતાં, જનની મુખ જોતા પળપળે;
“અહો ! માતા ! શાને રૂદન કરતી દીન વદને ? “પિતા કાં ઉઠે ના ? નિકટ નવલે કેમ અમને ?”
“બિચારાં ઓ ! મારાં શિશુ સતત ભાગી સુખતણાં ! “શિરે છાયાં અભ્રો નિરખી ન શકો સંકટ તણાં;
“રડે શાને બાપુ ! તમ જનક આરોગ્ય લઈને,”પથારીથી કાલે જરૂર ઉઠશે સ્વસ્થ થઈને.
“હસી બેાલી હેતે તમ હૃદયને હૃષ્ટ કરશે, “રમાહીને રંગે, સતત લઈ સંગે વિચરશે;”
દિલાસા દેતી ને હૃદય સરસા ચાંપતી અરે ! પરંતુ પ્રાણેશે હૃદય કંઈ વિશ્વાસ ન ધરે.
પિતાને સૌ પૂછે, કંઈક જન પૂછે જનનીને, પરંતુ આને કયાં પૂછવું મમ આરોગ્ય જઈને ?
ભુંડા ભાવી તર્કો હૃદય પટ ચીરે અયુતધા, મને વ્હાલાં કેરાં અહિતશતશંકાકુલ સદા.
ઘડી એક સ્થાને ઠરી નવ શકે ધીરજ ધરી, વિપજ્જાલે પેસી હરિણી સમ કંપે હર ધડી;
સુરોને સંભારી વિહિતવિનયા પ્રાર્થન કરે, પતિને મૃત્યુના કર થકી મૂકાવા કરગરે.
ઘડીમાં શાંતિથી શ્રવણ દઈ સાશંક શુણતી, સગાંના સંવાદે ભયચકિત ભીરૂ ભડકતી;
અરેરે ! સંસારે જરૂર સુખ શોધ્યું નવ જડે, વડા વિઘુત્પાતે કદલી ઢળીને કાં નવ પડે ?
ખરે ! પામી મૂર્ચ્છા, નહિ જઈ ઉઠાડે નિકટ કો, ધડી જાતાં ઉઠી, અહહ ! દુઃખકારી સમય શો !
સગું તેનું સાચું નહિ જગતમાં કો પણ રહ્યું,પતિ પ્હેલાં હા ! શું સકળ સુખ દૂરે વહી ગયું !
અરે ! શાને શાણી ! મમ હૃદયરાણી ! ટળવળે ? સલુણી છોડી દે રૂદન, નહિ તેથી કંઈ વળે,
વિપત્તિ પ્રાણીને સહન કરવાની શિર સદા, સુખો દુઃખો સર્વે મનુજ-ગણ માટે નહિ મૃષા.
સ્થિતિ જોને ! કેવી બહુવિધ બને એક દિનની ? ઋતુના ભેદેથી ષડવિધ નથી શું વરસની !
અને તેવી રીતે સમય વધતાં આ શરીરની, દશાભેદે એવી સ્થિતિ થતી સદા સંસૃતિ તણી.
શિરે સૌને શાણી ! મરણ રજની ને દિન વસે, સુએ, બેસે સર્વે પણ વિપળ ત્યાંથી નવ ખશે;
જવું વ્હેલું મોડું ત્યજી જગત, પ્રાણી સકળને, રડ્યાથી, કુટ્યાથી, વિધિનિયમ મિથ્યા નહિ બને.
સગાં ને સંબંધી પવનવશ સૌ અભ્ર સરખાં, થઈ ભેગાં છૂટે વિવિધ ભવનોમાં વિહરતાં;
ગયા જોને ! કોટિ મનુજ, ત્યજીને સર્વ મમતા, જવું તેવી રીતે, શરીરધરને શી અમરતા ?
વિપત્તિ જે વ્હાલી ! શરણગતની સત્વર હરે, ત્યજાવે સૌ ચિંતા, પ્રણયરસથી માનસ ભરે;
પ્રભુની પ્રાપ્તિને પુનિત પથ ઉદ્ઘાટિત કરે,અરે ! એ મૃત્યુનું શરણ ભયકારી ક્યમ ઠરે ?
વિયેગાવસ્થાને અમુક દિન તું સહ્ય ગણજે ! નિરાંતે દેહાંતે મુજ હૃદયને આવી મળજે !
અદેહીની સૃષ્ટિ, સતત સુખવૃષ્ટિ થકી ભરી, યથાકાળે કાન્તે ! અભય બનવું ત્યાં પદ ધરી.
નહિ જ્યાં સંસારી સહજ પણ દુઃખો રહી શકે, નહિ જેની કીર્ત્તિ સુરગુરૂ સમાએ કહી શકે;
સુરોની સંગાથે રસભરિત જ્યાં અંતર રમે, પ્રિયે ! એ સૃષ્ટિમાં ગમન મનને કેમ ન ગમે ?
જવા દે ઉત્સાહે વિતથ જગમાંથી મન ત્યજી, પરાનંદે પ્રીતિ પ્રકટ થતી ના રોક્ય રમણી !
રૂએ છે આ બાળો, દઈ દિલ દિલાસો નિકટ લે ! નબાપાંનાં દુઃખો મન નયનને પ્લાવિત કરે.
ઘડીમાં તેઓનું જનક-સુખ બ્હોળું બળી જશે, શિરશ્વત્રાભાવે ભવવિપિન માંહે ભટકશે;
નહિ એ શું મારાં ? વળી નહિ હું એનો પણ રહ્યો? ખરે ! એ સંસારી સુખ-સમય પૂરો થઈ ગયો.
હવે તે શાંતિથી, વિમળ મનથી પ્રાપ્ત મરવું, હવે શાને માટે જડ જગતમાં ધ્યાન ધરવું ?
હવે શાને માટે મરણ–પળથી લેશ ડરવું ?હવે શાને માટે પરમપદવૈમુખ્ય વરવું ?
સુખી રે’જો, સર્વે, ગત મનુજને વીસરી જજો, જગદ્ધયાપારોમાં ફરી વિવશ,
સંક્રાન્ત બનજો; રહે ના કૈં ભીતિ તન–મન થકી તેમ કરજો,
દશા આ પર્યન્તે સહન કરવા તત્પર થાજો !
Filed under Uncategorized